SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ , (૧૮૮ો. સર્ગ - ૭ વળી બ્રાહ્મણ બોલ્યો : “હે મહાભાગ ! મારા મરી જવાથી મારા જેવા બીજા ઘણા થશે. તમારા વિના આ સંપૂર્ણ પૃથ્વી સીદાસે, દુઃખી થશે. આ તમારી ભૂજા જોઈને બક વિના બધા ય શત્રુઓ ત્રાસ પામે છે. મહારાણસ બકને હણવા માટે પાણ્ડપુત્ર ભીમ વિના બીજો કોઈ શક્તિશાળી (શક્યો નથી.” કારણ કે આ નગરીમાં પહેલાં કેવલી ભગવંત આવ્યા હતા, ત્યારે બધા વંદન કરનારા માનવસમૂહો સુવર્ણ કમલ પર બેઠેલા કેવલીને નમીને સભામાં બેઠા. કેવલીએ પણ ધર્મલાભરૂપ આશીર્વાદ આપીને તેઓની આગળ ધર્મદેશના આપી. તે ધર્મદેશનાને સાંભળીને લોકોએ કેવલીને પૂછ્યું: “હે સ્વામિન્ ! આ નગરમાં રાક્ષસનો ઉપદ્રવ ક્યારે શાંત થશે ?” મુનિનાથે પણ કહ્યું: “હે ભદ્ર ! જુગારમાં જીતાયેલા પાણ્ડપુત્રો વનમાં ફરતા ક્રમે કરીને અહીંયા આવશે, ત્યારે આ નગરી ઉપદ્રવ રહિત બનશે. કારણ કે મહાત્માઓનો મહિમા વાણીથી કહી શકાતો નથી, એ પ્રમાણે કહીને તે મુનિ બીજે વિહાર કરી ગયા.” તે દિનથી લઈને નગરીના બધા ય લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે. અહો ! તે પાંડવો કેવા પ્રકારના હશે ? કે જે આ બક રાક્ષસને મારશે. એ પ્રમાણે ચિંતવન કરતા નગરજનો કુળદેવીઓની માનતા માને છે. દરરોજ હસ્તિનાપુરના માર્ગથી સંપૂર્ણ કાર્યોના અર્થી તે નગરના લોક વિવિધ ભેટાને હાથમાં લઈને સામે જવા માટે ઉત્કંઠિત થયા છે. એક વખત તે માર્ગથી કોઈક પથિક આવ્યો. તે મુસાફરને તે લોકોએ પૂછ્યું : “હે પાંથ ! આ માર્ગે પાંડવોના કંઈ આવવાના સમાચાર તેં સાંભળ્યા છે ?” પથિકે કહ્યું: “હે લોકો ! અયોધ્યાથી અનુક્રમે કરીને હું વારણાવત નગરમાં આવ્યો. તે નગરમાં રહેનારા રડતા એવા લોકો તરફથી પગલે પગલે મારા કાને વિષની ઉપમા જેવું આવું સાંભળ્યું કે, દુર્યોધનના વચનથી વારણાવત નગરે લાખના ઘરમાં પુરોહિત પુરોચને પાંચેય પાંડવોને પત્ની અને માતા સાથે બાળી નાંખ્યા છે. તે મુસાફરી આ વાતને કહીને આગળ ચાલ્યો.” તે મુસાફરનું વચન સાંભળીને એકચક્રી નગરીમાં નગરજનો પાંડવના દુઃખથી દુઃખી થઈ રડવા લાગ્યા. માતાના પિતાના અને સ્વામિના (માલિકના) મૃત્યુના સમાચારથી જેવો શોક થાય તેના કરતાં પણ અધિક શોક નગરજનોને પાંડવોના મૃત્યુના સમાચારથી થયો. તે દિવસથી લઈને આનંદ વગરના લોકો રાક્ષસનું ઇચ્છિત વિશેષરૂપથી પૂર્ણ કરે છે. ભીતિથી ડરેલા લોકો દરરોજ જો એક માણસને ન આપે તો તે રાક્ષસ નગરના સર્વ લોકોને તે જ ક્ષણે જ હણી નાંખે. દેવશર્મા બ્રાહ્મણે કહેલું બક રાક્ષસનું આ ચરિત્ર સાંભળીને ભીમ મૌન રહ્યો. વળી કુન્તીની આગળ ફરી બ્રાહ્મણે કહ્યું: “હે માત ! તારી આજ્ઞાથી હું બક રાક્ષસની પાસે જાઉં છું. એ પ્રમાણે કહીને ગૃહદેવને પૂજી, કુળદેવીને નમસ્કાર કરીને કુન્તીને પ્રણમીને પાંડવોને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy