SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૭ (૧૮). પાંડવ ચરિત્રમ્ એ નગરમાં એ પ્રમાણે કાલ પસાર થાય છે, મારી આજે ચિઠ્ઠી નીકળી છે. મારું મૃત્યું આવ્યું છે. આજે હું દ્રોણ પ્રમાણ શાલિ-ઓદનની બલિ લઈને તે વનમાં બકના પ્રાસાદે જઈશ. તે બક બલિ સહિત મારું ભક્ષણ કરી તૃપ્ત થશે. પછી સ્વસ્થાનમાં જશે, પછી બધાય કામ માટે લોકો નગરની બહાર જશે. હે માત ! કુન્તી ! તેથી નિરાશ, આલંબન વિનાનું આ મારૂં કુટુંબ રડે છે. જેમ આશ્રમના વૃક્ષનો નાશ થતાં પક્ષીઓ પણ આક્રંદનને કરે છે. તે માત ! વળી બીજું મને જે આ બ્રાહ્મણીએ કહ્યું છે, તે પણ સાંભળો. તે આ પ્રમાણે, હે નાથ ! તમારા વિના મારા જીવવાથી શું ? તમારા વિના સંતાન પણ પરાભવને પામશે. આથી હું જ બક રાક્ષસની પાસે બલિ લઈને જઈશ. તમે અહીંયા જ ઘરમાં રહો. તમારા સંતાનનું પાલન કરો. મારા મનમાં એક મોટી ચિંતા એ પણ રહે છે કે, તે રાક્ષસ સ્ત્રીનું ભક્ષણ કરતો નથી. હવે પાંચ વર્ષનો કંઠ પર રાખેલા હાથવાળો દેવશર્માનો પુત્ર બોલ્યો : “હે માતા ! હે પિતા! તમે ઘરમાં રહો. હું એકલો પણ આ સોટી વડે જલ્દી જઈને રાક્ષસને હણીશ.” એ પ્રમાણે બ્રાહ્મણાદિની વાણી સાંભળીને અશ્રુથી ભરેલી આંખવાળી કુન્તીએ હૃદયના ભાવપૂર્વક બ્રાહ્મણને કહ્યું : “હે વિપ્ર ! આ વીરતાથી ભરેલા પાંચેય મારા પુત્રો મહાપરાક્રમી છે. તેમાંથી એક તમારા બદલામાં જઈને તે રાક્ષસને પાપની સાથે હણીને ક્ષણવારમાં જ અહીંયા આવશે. તમે સ્વસ્થ થાઓ. ચિંતા ન કરો. તમારી આ ચિંતા મારી જ થાઓ.” એ પ્રમાણે કુન્તીનું કહેલું સાંભળીને હસતો હસતો બ્રાહ્મણ બોલ્યો : “હે અંબ ! જગતને જીતનારા તમે બકનું પરાક્રમ જાણતા નથી. જેમ સૂર્યમંડલ પાસે દીપક, તારા વગેરેનું તેજ નષ્ટ થઈ જાય છે, તેમ તેના બળ પાસૈ બધા પરાક્રમીઓનું બળ નષ્ટ થઈ જાય છે. તે માત ! કુન્તી હું જ બકને યમનો દાસ કરીશ. તમારા વિશ્વવાત્સલ્ય ધરનારા આ પાંચેય પુત્રો ચિરકાળ જીવો.” | વિએ કહેલા આ વચનો સાંભળીને માતાની બાજુમાં રહેલો ભીમ બોલ્યો : “હે માત ! તમારી આજ્ઞાથી હું આ દુરાચારી રાક્ષસને ક્ષણવારમાં યમનો મહેમાન કરીશ. હે માતા ! તમે ચિંતા ન કરો. હે વિપ્ર ! તું સ્વસ્થ મનવાળો થઈ સ્વગૃહની રક્ષા કર. તારા સ્થાનમાં બલિ લઈને બકને શિક્ષા આપવા માટે હું જ જઈશ.” ભીમે કહેલું સાંભળીને દેવશર્માએ કહ્યું: “હે મહાભાગ ! તમારું મૃત્યુ સ્વીકારી હું આત્માના રક્ષણ માટે ઉત્સાહિત નથી. એટલે કે મારું મન તે માટે ઇચ્છતું નથી.” કહ્યું છે કે – નીલમ (પાનું) તોડીને કાચનું કોણ રક્ષણ કરે છે.? મારા જેવા બ્રાહ્મણને માટે તમારા જેવા નરરત્નને રાક્ષસને ભેટણારૂપે આપવો, તે કોણ માન્ય કરે.? તમારા જેવા તો કોઈ વિરલ હોય, પણ મારા જેવા તો લાખો છે, લોકમાં કલ્પવૃક્ષ તો થોડા હોય છે, પરંતુ વૃક્ષો ઘણા હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy