SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૧૮૬ સર્ગ - ૭ અમને આજ્ઞા આપો. તે વખતે મસી જેવો કાળો, પીળી આંખો તેમજ પીળા વાળવાળો એક ભયંકર વ્યક્તિ આકાશમાં દેખાયો. ડરેલા અને ધ્રૂજતા શરીરવાળા તેઓએ કહ્યું : “હે મહાભાગ ! તમે કોણ છો, દેવ અથવા દાનવ તમે જે હો તે, પણ આ સંહાર તમે કેમ આદર્યો છે? મહાત્માઓ બીજાને સુખી કરવા માટે પોતે દુઃખ સહન કરે છે. સૂર્ય આકાશમાં પરિભ્રમણ કરે છે. તેમાં બીજું શું કારણ? વૃક્ષો પોતે તડકો વગેરે સહન કરીને બીજાને સુખ આપે છે, તો તે મહાભાગ ! તમે દુઃખ કેમ આપો છો ?” પછી તે બોલ્યો : “હે લોકો ! મને બક નામનો વિદ્યાધરનો રાજા જાણો. એક દિવસ મેં રત્નશૈલ નામના પર્વત પર રાક્ષસી વિદ્યા સાધી છે. તેથી મારી સાધેલી વિદ્યાના પ્રભાવને જોવાના કુતૂહલથી આ શીલા કરીને (વિકુર્વિને) અહીંયા હું આવ્યો છું. અને તે લોકો ! તમે તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરો. આજે હું આ શીલાથી બધા નગર લોકોનું ચૂર્ણ કરીશ.” લોકોએ કહ્યું : “હે વિદ્યાધરાધીશ ! આટલા કાર્ય માટે વિદ્યા પરીક્ષા કરવા માત્ર આટલા લોકોને શું ચૂરીશ ? એક ખીલીને માટે પ્રાસાદ તોડવાનું કોણ ઇચ્છે ? કહ્યું છે કે ભસ્મને માટે કોણ ચંદનને બાળે ? તેવી જ રીતે અહીંયા વિદ્યા પરીક્ષા માટે નગરીનો સંહાર કોણ કરે ? આથી હિંસાને છોડ, ત્રણ લોકની રક્ષાને માટે વિદ્યાનો ઉપયોગ કર.” એ પ્રમાણે લોકોએ કહ્યું: ત્યારે માંસ લોલુપી બક રાક્ષસ બોલ્યો : “હે લોકો ! જો તમારે જીવવું હોય તો દરરોજ બલિપૂજા રૂપ ઉપહારયુક્ત એક મનુષ્ય મને આપો. જેથી તે પુરૂષ વડે હું રાક્ષસી વિદ્યાને અને આત્માને સંતોષ. નહિ તો બધા નગર લોકોને હણીશ તથા નગરની નજીકમાં ભૈરવ નામના વનમાં શીધ્રાતિશીઘ મારો પ્રાસાદ કરો. જો એ પ્રમાણે નહિ કરો તો ફરી બધા નગરલોકોને હણીશ. એ પ્રમાણે અનિષ્ટ હોવા છતાં પણ તેની વાતને સાંભળીને સ્વીકારી.” અહો ! પરતંત્ર માણસ શું શું નથી સ્વીકારતો ? પછી તે પાપી વિદ્યાધરે તે શીલાને વિદ્યા વડે બનાવેલી સંહરી લીધી. હવે રાજા, મંત્રી અને લોકોએ ભેગા થઈને આ પ્રમાણે વિચારણા કરી. બધા નગરના લોકોના નામો લખીને ગોળામાં નાંખીને કુમારિકા વડે ખેંચાયેલા નામવાળી ચિઠ્ઠીમાં જેનું નામ નીકળે તે મનુષ્યને નગરની બહાર રાખવો. તે રાક્ષસ તેને લઈ જશે, તેનું ભક્ષ બનાવશે. બીજા તે નગરવાસી લોકો સ્વસ્થ મનથી રહેશે. એ પ્રમાણે વિચારીને લોકોએ ભૈરવ વનમાં બકના નામનો પ્રાસાદ બનાવ્યો. ત્યાં એક બકની મૂર્તિ કરાવી મૂકી. ત્યાં દરરોજ પૂજા થવા લાગી તથા એક મનુષ્ય કુમારિકાએ ખેંચાયેલી ચિઠ્ઠીના નામવાળાને નગરની બહાર મોકલે છે, તેનું રાક્ષસ ભક્ષણ કરીને સ્વસ્થ મનથી રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy