SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૭ (૧૮૫) પાંડવ ચરિત્રમ્ પોતાના ઘરમાં લઈ જઈને અત્યંત પૂજા કરી. (સત્કાર કર્યો.) પછી તેઓની પોતાના વૈભવને યોગ્ય ભોજનાદિ સેવાદિ કરીને બે હાથ જોડી અંજલિબદ્ધ મોટા બ્રાહ્મણ (યુધિષ્ઠિરને) પાંડવને આ પ્રમાણે કહ્યું: “હે વિપ્ર ! હું યાચું છું તે તું લઇચ્છા) પૂર્ણ કર.” આ ઘર, સૌભાગ્યશાલિની આ મારી પત્ની, આ પુત્ર, આ પુત્રી સર્વ તમારું છે, તેમ સમજો. અહીંયા આ ઘરમાં સુખપૂર્વક રહેતા આ નગરીને પાવન કરો. વિર્તમાનકાળમાં પૃથ્વી રત્નવાળી છે, એ પ્રમાણે લોકો જાણો. તેની વારંવાર પ્રાર્થના સાંભળીને સારૂં, એ પ્રમાણે યુધિષ્ઠિરે સર્વ કુટુંબની સંમતિથી અંગીકાર કરી, એ પ્રમાણે તે ઘરમાં બાહ્ય રીતે બ્રાહ્મણના આચારને સેવતા, અંતરથી પરમહંત પાંડવો જિનધર્મને સેવનારા દિવસો પસાર કરે છે. દ્રૌપદી આનંદપૂર્વક સાસુની સેવામાં અને પાંડવો માતાની ભક્તિમાં રત એકચક્રી નગરીમાં રહેતા કુટુંબના અનુકુલપણાના કારણે વિધિની પ્રતિકુળતાને જાણી નહિ. તે દેવશર્માની પત્ની સાવિત્રી નામની હતી. તેના વિનયથી કુન્તીનું મન પરવશ (પ્રસન્ન) થયું. કુન્તી તેને દ્રૌપદીની જેમ સાવિત્રીને માનવા લાગી. સાવિત્રીના ગંગાધર અને દામોદર નામના પુત્રોને કુન્તી પૌત્રોની જેમ માનવા લાગી. તે કુન્તી તે સાવિત્રીના સહવાસથી પોતાના આવાસને ભૂલી લીલામાત્રમાં અનેક મહિનાઓને એક દિવસની જેમ પસાર કર્યો. એક દિવસ તે નગરીમાં તે દેવશર્માના ઘરમાં કુન્તીએ મોટેથી રડવાનો અવાજ સાંભળ્યો. તે રડવાનો સ્વર સાંભળીને કુન્તીને ભાલાથી ભેદાયેલાની જેમ હૃદયમાં દુઃખ થયું. તે દુઃખથી દુઃખિત કુન્તીએ દેવશર્માને ગદ્ગદ્ કંઠે કહ્યું – હે વત્સ ! અત્યંત દુઃખને ઉત્પન્ન કરનાર આ દુઃખ ક્યાંથી આવ્યું. દેવશર્મા કુન્તીની આગળ સાંભળી ન શકાય તેવી રુદનની કથાને કહેવા લાગ્યો. હે માત ! આ નગરીમાં પહેલા એક અનિષ્ટ અતિ કષ્ટ ઉભું થયું હતું. કારણ કે કોઈ વિદ્યાધરે જેટલા પ્રમાણની નગરી છે તેટલા પ્રમાણવાળી શીલાને વિદુર્વી તેથી નગરી ઉપર અકાળે એક મોટી શીલા દેખાઈ. કલ્પાંતકાળના આવર્ત જેવી તેનાથી યુગાંતકાળના અગ્નિમાંથી નીકળેલા ધૂમ્રના અંધકાર સમાન ભયંકર અંધકાર વ્યાપ્ત થયો. તે વખતે વૃક્ષોને મૂળમાંથી ઉખેડતો પવન વાવા લાગ્યો. કોઈ અદષ્ટ પરચક્રનો ભય ઉત્પન્ન થયો હોય તેમ એકચક્ર નગરી અત્યંત ભયથી વ્યાકુળ બની ગઈ. આ ઉપદ્રવ શાંત કરવા માટે નગરના સ્ત્રી-પુરુષો પોતપોતાના કુળદેવતાને યાદ કરવા લાગ્યા. નિમિત્તિયાઓ નિમિત્ત જોવા લાગ્યા. શકુન શાસ્ત્રીઓ શકુન જોવા લાગ્યા. રાજા તેમજ નગરના મુખ્ય માણસો અંજલિ જોડીને ધૂપ ઉવેખીને ઊંચે જોઈને કહેવા લાગ્યા કે યક્ષ હોય કે રાક્ષસ હોય કે કોઈપણ આ નગરી પ્રત્યે ક્રોધિત થયા હોય તે અમારા ઉપર પ્રસન્ન થાઓ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy