SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૧૮૪). સર્ગ - ૭ ઉદ્યાનોમાં, ક્યારેક વનોમાં ભીમને લઈ જઈને સુખને ભોગવે છે. અર્થાત્ સુખપૂર્વક ખેલે છે. એ પ્રમાણે ભીમની સાથે સ્વેચ્છાપૂર્વક ક્રીડાને કરતી હિડંબા વિદ્યાધરી ગર્ભવતી થઈ. રસ્તે ચાલતા રસ્તો પસાર કરીને યુધિષ્ઠિર આદિ ક્રમે કરીને એકચકા નગરીમાં આવ્યા. તે નગરીના ઉદ્યાનમાં સ્થિરતા કરીને પાંડવો સુખપૂર્વક રહ્યા છે, તે ઉદ્યાનમાં સુવર્ણ કમળ પર બેઠેલા કેવલી એવા ધર્મઘોષ નામના મહામુનિને જોયા. મુનિના દર્શન માત્રથી જ અમૃતમાં સ્નાન કરેલાની જેમ શ્રદ્ધાળુ એવા તેઓનો માર્ગનો થાક દૂર થયો અને પોતાના અંતર્મલને દૂર કરવા માટે ઉત્કંઠિત થયેલા મનવાળા તેઓ મુનિને વંદન કરવા માટે આવ્યા. તે પાંડવોએ તે મુનિને નમસ્કાર કર્યા. મુનિએ પણ ધર્મલાભરૂપ આશીર્વાદ વડે અભિનંદિત કર્યા અને આગળ બેઠા. મુનિ તે યુધિષ્ઠિરના અતિશય રૂપને આદરપૂર્વક જુએ છે. ત્યારે મુનિએ તેઓને આશ્રયીને વિશેષ રીતે દેશના આપી કે, સર્વ પુરુષાર્થમાં મુગટ સમાન એક જ ધર્મ પુરુષાર્થ, તેમાં પણ સર્વ પ્રાણી પર દયા તિલક સમાન છે. ઉન્નતિ રૂપ મોતીની છીપ સમાન મોક્ષ અને સંયમની દૂતિકા સમાન દયા એક જ નિશ્ચિત સર્વ કલ્યાણનું કારણ છે. એવી કેવલીના મુખથી દેશનાને સાંભળીને જીવરક્ષાનું વ્રત હિડંબાએ લીધું. દેશના પૂરી થતાં કુન્તીએ ઉઠીને કેવલીને પૂછ્યું : “હે પ્રભો ! આ મારા પુત્રો પરાભવના હજારો સ્થાનની આપદથી ક્યારે મૂકાશે. હાથમાં રહેલા આંબળાની જેમ ત્રણે લોકને જોતાં મુનિવરે કેવળજ્ઞાન વડે તેના સ્વરૂપને જાણીને મનોહર એવી વાણીને ઉચ્ચારી.” હે મહાભાગે ! આ તારા પુત્રો ફરી રાજ્યલક્ષ્મીને ભોગવીને મુક્તિના ભાગી બનશે. આ પાંચેય ક્રમથી સંયમની આરાધના કરી કર્મોને મૂળથી ઉખેડી વિશ્વનું રક્ષણ કરનારા પાંચમી ગતિ (મોક્ષ)ને પામશે. આવી સાધુની અમૃત જેવી મીઠી વાણી સાંભળીને બધા પરમ આનંદને પામ્યા. મહામુનિ ત્યાં થોડીવાર દેશના આપી અન્યત્ર વિહાર કરી ગયા. તે જ દિવસે પાડુપુત્ર યુધિષ્ઠિરે હિડંબાને આ પ્રમાણે કહ્યું : “હે શુભે ! તારી સહાયથી જંગલ, નદી આદિ કઠીન માર્ગને ઉલ્લંધ્યા છે. હવે અમે આ નગરીમાં કેટલાક દિવસો રહીશું, તો હે ભદ્ર ! તું જા, તારા પોતાના ભાઈની સંપત્તિની સ્વામિની બન. મારા ભાઈના ગર્ભનું સારા સ્થાને રહીને વૃદ્ધિ કર (મોટો કર) હે વત્સ ! યાદ કરવા માત્રથી જલ્દી આવી જજે.” તેના વચનને અંગીકાર કરીને બધાને નમીને હિડંબા આકાશ માર્ગેથી હિડબ વનમાં આવી પહોંચી. તે વનમાં વિદ્યાના બળથી નૂતન જિનચૈત્ય બનાવીને જિનસેવા-ભક્તિમાં રત બની દિવસો પસાર કરે છે. પાંચેય બ્રાહ્મણનું રૂપ-વેષ કરીને એકચક્રા નગરીમાં આવ્યા. તે નગરીમાં પ્રવેશ થતાં નગરીના માર્ગમાં પ્રવેશતાં દેવશર્મા બ્રાહ્મણે તેમને જોઈ. ઉત્તમ બ્રાહ્મણ જાણીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy