SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૭ પાંડવ ચરિત્રમ્ ૧૮૨ રે દૈવ ! હમેશા શું એક પક્ષે અમને એકલાને જ જોયા છે. કારણ કે અમને આ પ્રમાણે દુઃખી કરે છે. રે વિધે ! તું રાજ્ય લઈને કેમ સંતોષ પામતો નથી ! હવે નેત્રોથી અમૃત વરસાવીને અમારૂં સિંચન કરનારી અને અમારા પાપને હણનારી જે અમારી માતા છે, તે પણ આવી દશાને પામી. અહો ! જેટલો પ્રિયાનો પરાભવ, રાજ્યનો ભ્રંશ અને માર્ગનો શ્રમ મને નથી પીડતો. તેથી અધિક માતાનો પરાભવ પીડે છે. દુઃખથી વ્યથિત યુધિષ્ઠિર હોતે છતે તે બધા ય ભાઈઓ સર્વત્ર ભમી ભમીને પાણી વિના દુઃખથી વિહ્વળ પાછા આવ્યા. બધી દિશાઓમાં બધે પાણી શોધ્યું, પરંતુ કોઈપણ જગ્યાએ મળ્યું નહિ. આવા મહાબલવાન્ તેજસ્વી ભીમ અને અર્જુન ઉષ્ણ આંસુઓ વડે માતાને સિંચે છે. નિરાશ મનવાળા તે પાંડવોને દિશાઓમાં નજર કરતાં હિડંબા પડીયામાં પાણી લાવીને સામે આવી. તે પાણી કુન્તીના શરીર પર નાંખ્યુ અને પાયું. તેથી તેનું શરીર નવપલ્લવતાને પામ્યું. એટલે કે ચેતનાવાળું બન્યું. તેને કંઈક સૂકા ધાનને સ્વાતિ પાણી વડે સિંચાયેલાની જેમ બધા પાંડવોએ જોયું. માતાને જીવિત દાન કરવાથી (આપવાથી) અમારા કુટુંબમાં આ હિડંબા બધાથી અધિક માનનીય બની અને બધા પાંડવોના મનમાં હિડંબા વસી ગઈ. ત્યાંથી હિડંબા સહિત ચાલેલા બધાયે સુખપૂર્વક માર્ગને અતિક્રમ્યો. એક વખતે વનની રમણીયતાને જોતી એકલી દ્રૌપદી એક હાથીને જોઈ જંગલમાં નાસી ગઈ. હાથી પણ કમલ જેવી આંખવાળી તે દ્રૌપદીની પાછળ ગયો. ભયથી ત્રસ્ત થયેલી તે દ્રૌપદી સ્તનના ભારથી એક પણ ડગલું આગળ જવા માટે અસમર્થ બની... તે સિંહ પાસે આવ્યો. દ્રૌપદીએ તેને નજીક આવેલો જાણીને પોતાની અને તેની વચ્ચે રેખાને દોરી. તે આ પ્રમાણે બોલી : “કે જો મારા પતિએ સત્યરેખા ન ઓળંગી હોય તો, હે સિંહ ! તું પણ આ રેખાને ઓળંગીશ નહિ. તે સિંહ તે સાંભળીને ત્યાં જ ઊભો રહ્યો. સતીના શીલના પ્રભાવથી સિંહ કાંઈપણ ખરાબ કરવા માટે સમર્થ ન બન્યો. અહો ! મહાનુભાવોના પ્રભાવને જાણી શકાતો નથી. એ પ્રમાણે પાંડવોથી છૂટી પડી ગયેલી તેમના જવાના માર્ગને જરા પણ નહિ જાણતી યુથથી છૂટી પડેલી હાથણીની જેમ વનમાં ભમતી તે દ્રૌપદીએ માર્ગમાં એક સર્પને સામે આવતો જોઈને તેવી રીતે રેખા કરી અને બોલી કે મન, વચન, કાયાથી જો મેં મારા પાંચ પતિને ઠગ્યા ન હોય તો હે સર્પ, તું દૂર જા. એ પ્રમાણે રેખાના પ્રભાવથી તે પણ દૂર જતો રહ્યો. એ પ્રમાણે કરાયેલી રેખાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy