SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૭ ૧૮૧ પાંડવ ચરિત્રમ્ આલંબન વિનાના કુટુંબના આલંબનરૂપ તારા વિના દૂરથી પાણી લાવીને તૃષાને કોણ શાન્ત કરશે ? વનના પુષ્પો લાવીને અંબોડામાં સુંદર (નવા) પુષ્પોની વેણીના બંધનથી વહુને કોણ અલંકૃત કરશે (શોભાવશે). ઈત્યાદિ વિલાપ કરતી કુન્તીને જોઈને માતાના દુઃખથી દુઃખી થયેલા અર્જુને પોતાના વસ્ત્રના છેડા વડે પવન નાંખીને ભીમને ચેતનવંત બનાવ્યો. પછી ઉઠેલો ભીમ ગદાને ઉછાળતો રાક્ષસને હણવા જાય છે. ત્યાં અર્જુન બોલ્યો : “હે ભાઈ ! ધીરજ ધર, આને હું જ શિક્ષા આપીશ. તું એના ઘાતના પ્રહારથી નબળો પડેલો છે.” તું દૂર જા ! મારું શસ્ત્ર કૌશલ્ય (ચતુરાઈ) જો. ભીમે કહ્યું : “હે અર્જુન તારી દૃષ્ટિના અમૃતની વૃષ્ટિથી સિંચાયેલું મારું શરીર તાજું થઈ ગયું છે.” એટલે કે તારી આંખમાંથી વરસતી અમૃતની ધારાના સિંચનથી મારું શરીર નિરોગી થઈ ગયું છે. આથી હું એ રાક્ષસને હણીશ, એમ કહીને ભૂજાના આસ્ફાલનપૂર્વક ગદાને ઉંચી કરીને ફરી દોડ્યો. ત્યારે તે બંનેનું યુદ્ધ થતાં જયરૂપ લક્ષ્મી વિચારમાં પડી ગઈ. તે જ હિડંબ અને ભીમ પાંડવને પરસ્પર લડતા પ્રહાર કરતાં યુધિષ્ઠિરે જોયા ત્યારે યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું : “હે અર્જુન ! આ રાક્ષસે આ તારા મોટા ભાઈને પીડા આપી છે.” એ પ્રમાણે યુધિષ્ઠિરે કહેતા ભીમે તે રાક્ષસને હાથ વડે ગરદનને પકડીને ઢોરની જેમ માર મારી હણી નાંખ્યો. રાક્ષસને મરેલો અને ભીમને જીતેલો જોઈને પુત્રનું આનંદપૂર્વક તે જ ક્ષણે લૂણ ઉતાર્યું. યુધિષ્ઠિરે ધૂળથી લેપાયેલા ભીમને પોતાના વસ્ત્રના છેડાથી સ્વચ્છ કર્યો. અર્જુન આદિ નાના ભાઈઓએ યુદ્ધના થાકથી થયેલા પસીનાને વસ્ત્રના છેડા થકી દૂર કર્યો. અર્થાત્ પસીનો દૂર કર્યો. દ્રૌપદી એકાંત પામીને ક્ષણવાર પ્રાણપ્રિય ભીમને ભેટી પડી. કામદેવથી પીડિત હિડંબા ભાઈના શોકને ભૂલી જઈને તે યુધિષ્ઠિર વગેરેની સેવા કરવા લાગી. તે હિડંબાએ કુન્તી દ્રૌપદીની એવી રીતે સેવા કરી, જેથી કરીને તેઓનું મન જીતી લીધું. હવે પાછળની રાત્રિ થોડી બાકી રહેતાં તે બધાય માર્ગમાં ચાલવા લાગ્યા. કારણ કે મોટો વિરોધ હોતે છતે વિદ્યાવાળો કોણ પ્રમાદ કરે ? આગળ યુધિષ્ઠિર તેની પછી તેના નાના ભાઈઓ પછી કુન્તી અને તેની પછી દ્રોપદી, એ પ્રમાણે માર્ગમાં પગ વડે આગળ ચાલે છે અને આકાશમાં હિડંબા ચાલે છે. એ પ્રમાણે રસ્તે ચાલતાં બે પ્રહર પસાર થતાં ભયંકર ગરમીથી થાકી ગયેલ કુન્તી તૃષાથી વિદ્વલ બનેલી મૂર્છાને પામી. ત્યારે એક દિશામાં અર્જુન ગયો. બીજી દિશામાં ભીમ, એ પ્રમાણે ચારે દિશામાં ચારે ભાઈઓ પાણી લેવાને માટે ગયા. મૂચ્છમાં પડેલી માતાને જોઈને શોકમાં ડૂબેલા યુધિષ્ઠિર દેવ (નસીબ)ને ઉપાલંભ આપે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy