SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૭ (૧૭૯) પાંડવ ચરિત્રમ્ મનોહર રૂપને પ્રકાશિત કરે છે. તેને સામે આવતી જાણીને કોમલ, મધુર વાણી વડે ભીમે કહ્યું : “હે સુલોચને ! તું કોણ છે ? તે પહેલા રૌદ્ર પછી સૌમ્ય રૂ૫ શા માટે કર્યું ? એનું સ્વરૂપ તું મારી આગળ જેવું છે તેવું સત્ય કહે.” તેણીએ કહ્યું : “હે મહાપુરુષ ! મારું ચરિત્ર સાવધાન થઈને સાંભળો. આ વનમાં હિડંબ નામનો રાક્ષસ છે. તેના નામથી આ હિડંબ વન કહેવાય છે. અહીં કોઈ માણસ મુસાફર તરીકે ફરતો નથી. કોઈક વખત દુર્ભાગ્યથી કોઈ માણસ આવી જાય તો ગમે તેવો શૂરવીર હોય તો પણ આ રાક્ષસ તેનું ભક્ષણ કરે છે. તે મારો ભાઈ વિદ્યાધર છે. તેની હું હિડંબા નામની બહેન છું. નહિ પરણેલી એવી હું ભાઈના ઘરે રહું છું. મારા ભાઈની મારી પાસે પણ ક્રમથી આવેલી રાક્ષસી નામની વિદ્યા છે.” મહેલમાં રહેલા તે મારા ભાઈએ મને આ પ્રમાણે કહ્યું: “હે ભગિની! હમણાં મનુષ્યની ગંધ મને ભૂખ ઉઘાડે છે. તેથી તું જા, મનુષ્યોને જોઈને ક્યાંયથી પણ લઈ આવ. કારણ કે હું ભૂખ્યો થયો છું.” એથી ભાઈએ મોકલેલી હું રતિ (સુંદર) રૂપવાળી હોવા છતાં પણ રાક્ષસી રૂપને કરીને અગ્નિની જવાલા જેવા ભયંકર લોચન કરીને જ્યાં અહીંયા આવી, તેટલામાં તારું સુંદર રૂપ જોઈને ભાઈની આજ્ઞાને ભૂલી જઈને કામદેવને વશ એવી હું તમને જોઉં છું, યાદ કરું છું. આજથી હું તમારી પાછળ ચાલનારી છું. તમે મારા પ્રાણપ્રિય છો. મારા ઉપર ઉપકાર કરીને મારી સાથે લગ્ન કરો. હે મહાનૂ! લજ્જાને છોડીને રાત્રિચરી એવી મને સહચરી (સંગિની) બનાવો. આજે મારી બધી કુળદેવીઓ પ્રસન્ન થઈ છે. કારણ કે તમારા જેવા પ્રાણપ્રિય મળ્યા છે. હે પ્રાણેશ ! મારા જેવી સહચારિણી હોવાથી રાક્ષસો દૂર રહેશે. બલવાન વનચારિણીઓ પણ પ્રભાવવાળા (શક્તિવાળા) રહેતા નથી. (ઉભા રહેતા નથી) બીજું પણ જે કાંઈ અજુગતું થવાનું હશે, તે મારા જેવી સહચારિણી હોતે છતે બધું દૂર થઈ જશે. હવે ભીમે કહ્યું : “હે ભદ્ર ! જો મહાન પુણ્યોદય હોય ત્યારે તારા જેવી પ્રેમ પરાયણ, સ્વયંવરી નારી પ્રાપ્ત થાય છે અર્થાત્ મળે છે. હે સુગાત્રિ ! પરંતુ એના માટેનું કારણ સાંભળ ! આ સૂતેલા ચારે મારા ભાઈઓ છે. આ જે વૃદ્ધા નિરાંતે સૂતી છે, તે અમારી જનેતા (માતા) છે. આ સૂતેલી શિરીષ પુષ્પ જેવી કોમલાંગી જે સુખપૂર્વક સૂતેલી છે, તે પાંચેય ભાઈની પત્ની છે. આ એક પત્ની હોવા છતાં અમે બધા ભાઈઓ કૃતાર્થ (સંતોષી) છીએ. સર્વ પુરુષાર્થમાં એક થઈ રહીએ છીએ. આવી કલ્યાણકારી હોવા છતાં બીજી પ્રેયસીને અમે સ્વીકારતા નથી. એક માત્ર કલ્પલત્તાને પામીને કેરના વનમાં કોણ હાથ નાંખે ?' એ પ્રમાણે ભીમે વારંવાર નિષેધ કરવા છતાં પણ હિડંબા બોલી : “હે પ્રાણેશ ! જોકે તમે મારા પર પ્રેમભાવ નહિ કરશો તો પણ આ ભવમાં તમે જ મારા જીવન આધાર છો. તેથી જ્યારે તમને ગમે ત્યારે તે સ્વામિન્ ! મારો સ્વીકાર કરજો, પરંતુ આ મારી પાસે ચાક્ષુષી વિદ્યા છે, તે ગ્રહણ કરો. જેથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy