SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૧૭૮) સર્ગ - ૭ યુધિષ્ઠિરના કહેવાથી અર્જુને વિદ્યાને યાદ ન કરી, પરંતુ વિદ્યા વિના જ બધા કાર્યો કરે છે. રસ્તામાં થાકને દૂર કરવા માટે ભીમ સૂઈ ગયો. યુધિષ્ઠિરની આજ્ઞાથી અર્જુને વનમાં જઈને વનમાં ઉગેલા કંદમૂળ અને ફળો લાવીને દ્રૌપદીને આપ્યા. નકુલ અને સહદેવે કાષ્ટ આપ્યા. પછી દ્રૌપદીએ વન ફળોને અગ્નિ વડે પકાવીને સાસુ સહિત પાડુપુત્રોને જમાડીને દેવ-ગુરુનું સ્મરણ કરીને પછી પોતે ભોજન કર્યું. જમ્યા પછી પરિવાર સાથે પાંડવો માર્ગમાં આગળ ચાલ્યા. માર્ગમાં તૃષાથી આક્રાંત બધાયને ભીમસેને પાણી આપ્યું. થાકેલાઓને પોતાના ખભા પર બેસાડીને માર્ગમાં આગળ ચાલવા માંડ્યુ. ફરી રાત્રિએ અશોકવૃક્ષની નીચે ભીમે પાથરેલા વૃક્ષના પાંદડાઓ પર તેઓ સુખપૂર્વક સૂઈ ગયા, ત્યારે અંધકારનું સામ્રાજ્ય પથરાયું. કારણ કે ક્રોધિત થયેલી વિધિ મનુષ્યોને પગલે પગલે આપત્તિને આપે છે. તે જ અંધારી રાત્રિની શરૂઆતમાં કુન્તી અને દ્રોપદી તૃષાથી વિઠ્ઠલ થયા અને તેઓએ પાણી માંગ્યું. યુધિષ્ઠિરની આજ્ઞાથી મધ્યમ પાંડવ પરાક્રમી ભીમે જલપાત્ર લઈને એક ગાઉ માત્ર રસ્તો કાપીને પ્રાણીઓના સ્વરથી નિશ્ચય કરી સરોવરને પ્રાપ્ત કર્યું. ત્યાં ભીમે કમળના પત્તાના પડીયામાં પાણી પીને તે જ સરોવરમાં હાથીના બચ્ચાની જેમ સ્નાન કરીને જલપાત્ર ભરીને ત્યાં આવ્યો. જ્યાં તે પાર્ટુપુત્રો કુન્તી અને દ્રૌપદી રહેલા છે, આવેલ ભીમ દુઃખી અવસ્થામાં રહેલા તેઓને પાંદડાના બિસ્તરમાં સૂતેલા જુએ છે. પોતાના કુટુંબને દુઃખે કરીને સૂતેલું જોઈ, (નિદ્રામાં જોઈ) ભીમસેન વિચારે છે, અહો ! મારા આ ભાઈ યુધિષ્ઠિર જે પલંગમાં કોમળ રૂવાળી અને ઉપર સુંદર કપડાથી આચ્છાદિત સરસ સુગંધી ધૂપથી વાસિત પુષ્પ સુવાસથી યુક્ત સુગંધિ દ્રવ્યોથી સંસ્કારિત પથારીમાં સુખપૂર્વક નિદ્રાને લેતાં વારાંગનાઓના સમૂહ થકી ચામરો વડે વીંઝાતા તે આજે ધૂળના ઢગલાની ઉપર માર્ગથી થાકેલા ઘુવડ, ભૈરવ, કેરવના અવાજોને સાંભળતા વૃક્ષના પાંદડામાં સૂઈ ગયા છે, એ પ્રમાણે બોલતો ભીમ અત્યંત રૂદન કરતો ચારે બાજુ ફરતો આ પ્રમાણે કહે છે. જે આ પહેલાના સમયમાં વિમાનમાં બેસી આકાશમાં ઘૂમતો હતો, તે અર્જુન આ ભયંકર વનમાં ગરીબની જેમ ઊંધે છે. આ અમારા નાના ભાઈ નકુલ અને સહદેવ પણ અમારા ખોળામાં અનેક પ્રકારની રમતથી લાલન પાલન કરાયેલા દરિદ્રની જેમ ભૂમિ પર સૂઈ ગયા છે. આ પાંડવોની માતા પાડુરાજાની પત્ની ચાલવાથી થાકી ગયેલા પગવાળી કુન્તી અરેરે ! ભૂમિ પર સૂઈ ગઈ છે. આ દ્રૌપદી જે અર્જુનને રાધાવેધથી મળેલી છે. જે પાંચ પાંડવોને સુખપૂર્વક (સ્વેચ્છાએ) પરણી છે, તે આ દ્રૌપદી રાંકની પત્નીની જેમ રખડે છે. મારા જીવિત અને પરાક્રમને ધિક્કાર હો. એ પ્રમાણે વારંવાર બોલતો સીમા વિનાનો પરાક્રમી ભીમ બધાની ચારે બાજુ ફરતો અત્યંત રુવે છે, એ પ્રમાણે મોટેથી વિલાપ કરતાં ભીમે ભયંકર આકૃતિવાળી પીળી આંખવાળી એક યુવતીને સામે આવતી જોઈ. તે યુવતી જેમ જેમ ભીમની નજીક આવતી જાય છે, તેમ તેમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy