SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચિરત્રમ્ સર્ગ - ૭ ૧૭૭ એક પતિવાળી હોવા છતાં પત્ની દુઃખને જાણતી (પામતી) નથી, પરંતુ પાંચ પતિ હોવા છતાં પણ એક દ્રૌપદી દુઃખને પામે છે. એ પ્રમાણે માર્ગમાં થાકથી કંટાળેલા યુધિષ્ઠિર અને પરિજન ખિન્ન હોવા છતાં તૃષાથી પીડાતા કુન્તી અને દ્રૌપદી ભૂમિ પર પડી ગયા તેથી યુધિષ્ઠિરે દૂરથી પાણી લાવીને તેઓને પીવડાવ્યું, પીવડાવીને યુધિષ્ઠિર રાજા વિચારે છે, વિધિ બલવાન છે કે જેણે પહેલા રાજ્યથી ભ્રષ્ટ કર્યા પછી શત્રુઓનો ભય ઊભો કર્યો. પછી (પાછલી) રાત્રે નસાડ્યા. રુઠેલા નસીબે બધા પાંડવોને જ વિડંબના કરી. વિધિને ધિક્કાર હો, જે આવા પ્રકારે લોકોને વિડંબના કરે છે, એ પ્રમાણે વિચાર કરતાં યુધિષ્ઠિર માર્ગમાં ચાલે છે. અહો ! મારો આ પરિવાર માર્ગથી થાકેલો, ગરમીમાં છત્ર વિનાનો, ઠંડીમાં વસ્ત્ર વિનાનો, પથ્ય આહાર વિનાનો, શિરીષ પુષ્પ જેવા સુકોમળ અંગવાળો, ડગલે ડગલે પડતો અથડાતો (લથડીયા ખાતો) પર્વતોવાળા (ભયંકર) વનને પાર કેવી રીતે કરશે ? યુધિષ્ઠિરને ચિંતાથી કરમાયેલા મુખવાળા જોઈ અત્યંત પરાક્રમી ભીમ રાજા બોલ્યા : હે ભાઈ ! બલવાન સૈનિક પાસે હોવા છતાં તમે દુ:ખી ન થાઓ.’” એ પ્રમાણે કહીને માતાને જમણા ખભે બેસાડી અને વળી પ્રિયતમા (દ્રૌપદી)ને ડાબે ખભે બેસાડી બંને નાના ભાઈઓને (સહદેવ અને નકુલને) પણ પીઠ પર બાંધીને વળી યુધિષ્ઠિર અને અર્જુનને પણ ભુજા પર રાખીને અમર્યાદિત પરાક્રમી ભીમ માર્ગમાં વૃક્ષોને પાદના પ્રહારથી પાડતો જલ્દી ચાલે છે. દયાવંત પુરુષની જેમ રાત્રિની ઠંડી હવાએ ભીમના થાકને દૂર કર્યો. માર્ગમાં પવનથી શાંત થયેલા સ્વસ્થ ચિત્તવાળા ભીમે માર્ગથી થાકેલા યુધિષ્ઠિર અને અર્જુનને પણ પીઠ પર લઈ લીધા. રાત્રિને વિશે તે ભીમ તે અટવીરૂપ સમુદ્રમાં પોતાના ભાઈઓને લઈને ચાલતાં (ભીમ) વાહન જેવા દેખાવા લાગ્યા. એ પ્રમાણે જતાં ભીમથી જાણે ડરેલી ન હોય તેમ તે રાત્રિ ક્ષણ માત્રમાં ચાલી ગઈ. હવે ભીમના મુખ કમળને જોવાને માટે ઉત્પન્ન થયેલ કુતૂહલ (ઇચ્છા)વાળો સૂર્ય, જાણે ઉદયગિરિના શિખર પર ચઢી ગયો. ભીમના પરાક્રમને બતાવવા પક્ષીઓ પોતાની જાતિને બોલાવવા માટે જાણે કુંજી (બોલી) રહ્યા છે. એ પ્રમાણે તેઓની સાથે પરિવરેલ ભીમે બે પહોર વ્યતિત થયે છતે સૂર્ય માથા પર આવી જતાં એટલે કે મધ્યાહ્ન થતાં કોઈક ઝાડની નીચે જળની નજીકમાં વિશ્રામ લીધો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy