SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૧૭૬) સર્ગ - ૭ હવે ભીમ દુર્નિમિત્તો વડે તે રાત્રિને ભયંકર જાણીને સ્વકુટુંબને તે સુરંગમાં રાખ્યા અને જાતે સુરંગના દરવાજા પર રહીને જ્યાં અવલોકન કરે છે, તેટલામાં તે પાપી પુરોચને કૃષ્ણ ચતુર્દશીની રાત્રિના બીજા પહોરે તે મહેલના દ્વારના પ્રદેશ પર અગ્નિ લગાડ્યો. કલ્પાંતકાલના અગ્નિ જેવા તે અગ્નિને જોઈને ક્રોધે ભરાયેલો ભીમ સુરંગના માર્ગથી પોતાના કુટુંબને તે ઘરમાંથી બહાર લઈ આવ્યો. પછી જાતે જ સુરંગના દ્વાર પર ઉભા રહેલા પુરોચનના ચરિત્રને આંખો થકી જોયું. સ્વામિનું કાર્ય કરીને હર્ષિત થયેલો પુરોચન કાર્ય સિદ્ધ થતાં જ્યાં નાચ કરે છે, તેટલામાં પરાક્રમી ભીમે તેને હાથમાં લઈને(પકડીને)સિંહ વડે જેમ મૃગલુ હણાય તેમ મુઠ્ઠી વડે તે પુરોચનને હણીને અગ્નિમાં નાખ્યો. પછી પુરોચન મરીને નરકે ગયો. પોતે કરેલું કર્મ ફલવાળું બન્યું અર્થાત્ પોતે કરેલા કર્મનું ફળ પોતે પામ્યો. કહ્યું છે કે – સ્વામિ (માલિકીનું પાપ સહજભાવથી નોકરને લાગે છે. લવણ સમુદ્રના કાંઠાની જમીનને સહજ ખારાશ લાગે છે. પુરોચને જેવા પ્રકારના માણસોની સેવા કરી તેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થઈ. હવે ભીમ પુરોચનને હણીને સુરંગના માર્ગથી કુટુંબની સાથે તે માર્ગે ચાલ્યો. કેટલીક ભૂમિ સુધી ગયેલા તે પાંડવોને જોવા માટે જાણે મેરુ પર્વતના શિખર પર રહેલો સૂર્ય ઉદયને પામ્યો. હવે નગરજનો તે લાખના મહેલને ભસ્મસાત્ થયેલો જોઈને તે સાતે ય મનુષ્યોને મરી ગયેલા જોઈને (જાણીને) હાહાકાર કરતાં દેવને ઉપાલંભ આપવા લાગ્યા. તે હુતાશ ! હે વિધે ! તેં આ પાંચેય પાંડવો જે કલ્પવૃક્ષ સમાન હતા, દીન અનાથોના ઉદ્ધારક હતા, તેને કેમ મારી નાંખ્યા ? એ પ્રમાણે વારંવાર ગુણોને યાદ કરતા લોકો જોરજોરથી રડવા લાગ્યા, ત્યારે પાંડવો સૂર્યનો ઉદય થયે છતે પગે ચાલતા થાકેલા દુઃખને અનુભવે છે. પ્રથમ મુસાફર રાજા યુધિષ્ઠિરના પગો અલનાને પામ્યા. નકુલ, સહદેવ પણ માર્ગમાં થાકેલા હોવા છતાં પણ મોટા ભાઈઓને ખેદ (દુઃખ) ન થાય તે બીકથી મૌનપણે આગળ ચાલે છે. યુધિષ્ઠિર માતાને અને પત્નીને પગે ચાલતા જોઈને હૃદયમાં આ પ્રમાણે ચિંતવે છે. જેણે પિતાના અને ભરથારના ઘરમાં કષ્ટને જોયા નથી. એવી આ મારી માતા મારા કારણે ક્લેશને અનુભવે છે. અહો ! મહાતેજસ્વી પાંડવોની પત્ની દરિદ્રની સ્ત્રીની જેમ વનની ભૂમિ પર ચાલે છે. પાછુપુત્રોના જોતા છતાં કુશ (ઘાસ)ના અંકુરો વડે પત્નીના ચરણ કમલિનીની જેમ ભેદાય છે. હા ! હા ! દુઃખની વાત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy