SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ સર્ગ - ૭ પાંડવ ચરિત્રમ્ કરવું.’’ રસ્તે ચાલતાં આવા પ્રકારના દુર્જનો ઘણા મળશે. જેને તેને પગલે પગલે હણતાં અમે લજ્જા પામીએ. અહો ! આ પાંડવો મહાતેજસ્વી છે. જેણે દિશાઓને વશ કરી છે. આવા પ્રકારના સામાન્ય લોકોને હણતાં અમારો લોકોમાં અપવાદ (નીંદા) થશે. તેથી સામાન્ય માણસોને હણવા નહિ અને તેવી રીતે આજથી આરંભીને તેર વર્ષ સુધીની લીધેલી આ પ્રતિજ્ઞા પૂર્ણ હો... (થાઓ) જેમકે વિદ્યાના બળનો બીજે જવા માટે ઉપયોગ ન કરવો. કોઇ પણ જાતનું ભોજનાદિ કરવા માટે ઉપયોગ ન કરવો પરંતુ બાહુબળથી સર્વ કાર્ય કરવું. એ પ્રમાણે કર્મોની પણ ખબર પડે. જેથી આપણા સત્ત્વની પણ પરીક્ષા થાય. આથી જ આ ગૃહે રાત્રિએ ક્યાંય પણ એક સ્થાને રહીએ. જ્યારે દુર્યોધનના નિર્દેશથી આ પુરોચન આ મહેલને કૃષ્ણ ચૌદશ રાત્રિએ આગ લગાડશે. ત્યારે આ સુરંગના રસ્તેથી આ મહેલમાંથી નીકળી જવું. એ પ્રમાણેનો વિચાર કર્યો છતે ફરી રાજા બોલ્યો : ‘એક ગુપ્ત સુરંગ ખોદાવવાનું. તે સુરંગનું પૂર્વ દિશામાં રહેલા અદ્વૈત વનના માર્ગમાં આ દ્વાર બનાવવાનું. પરંતુ તેવા પ્રકારનો કોઈ સુરંગ ખોદવાવાળો જુઓ ?’' યુધિષ્ઠિરે આ પ્રમાણે કહેતા ફરી પ્રિયંવદ બોલ્યો : “હે સ્વામિન્ ! વિદુરે સુનક નામનો ખોદનાર મોકલ્યો છે. તે વિદુરનું જ આ બહારનું મન છે અને વિશ્વાસની ભૂમિ છે. એ વિદુરનું જ જાણે આ બીજું શરીર ન હોય ! તેણે પણ જમીન ૫૨ મસ્તક નાખી, રાજાને નમીને આજ્ઞાને માંગી.’ યુધિષ્ઠિરે પણ તેને યોગ્ય જાણીને એક જનરહિત ભૂપ્રદેશ બતાવ્યો. તે પણ સુનક નામનો સુરંગ ખોદવાવાળો ગામની બહાર ક્યારેક ઘરની અંદર રહીને દિવસે બીજા કામ કરતો રાત્રિએ ધીરે ધીરે સુરંગને ખોદે છે. 0:0 ભીમના શયનની નીચે સુરંગમાં જવાનું દ્વાર બનાવી યુધિષ્ઠિરને જણાવ્યું. ત્યાં રહેલા પુરોચન ૫૨ વિશ્વાસ વિનાના પાંડવો વિશ્વાસ બતાવે છે. આનંદ વગરના તેઓ લોકોને આનંદવાળા બતાવે છે તથા હરરોજ સવારે ઉઠીને જાતિવાન ઘોડા પર બેસીને ચારે દિશાઓમાં માર્ગનું અવલોકન કરે છે. ક્યારેક તે ભીમ કુન્તીને અને દ્રૌપદીને નકુલ અને સહદેવને અભ્યાસ માટે સુરંગનું અંતર બતાવે છે. અગાસીમાં બેઠેલા પાંચેય પાંડવો નક્ષત્રો વડે આ અદ્વૈત વનમાર્ગનો નિશ્ચય કરે છે, ત્યારે કુન્તી પણ પુત્રોના મંગલ માટે મનોહર આહારના દાન વડે દીન, અનાથોને ખુશ કરે છે. શ્રી શાંતિનાથની પ્રતિમા પાપોની શાંતિ માટે પૂજે છે તથા જેના પાપ ખતમ થઈ ગયા છે, તેવા શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ કરે છે. એ પ્રમાણે તે પાંડવોને માતા અને પત્ની સાથે સ્વેચ્છાપૂર્વક ક્રીડા કરતા જોઈને પુરોચન વિચાર કરે છે. ખરેખર આ વિશ્વાસવાળાઓને આજે કૃષ્ણ ચતુર્દશીએ મારવા (મારીએ) અને આ બાજુ તે જ ચતુર્દશી કોઈક વૃદ્ધાને પાંચ દીકરા અને એક સ્ત્રી સાથે અહીંતહીં ફરતી જોઈને કુન્નીએ તેને પોતાના જેવી જાણીને બહેનની જેમ માનતી મધુર આહાર ખવડાવીને પોતાની નજીક રહેલ સદનમાં રાખી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy