SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૧૭૪ો સર્ગ - ૭ દ્વારિકા નગરી તરફ ગયા. અર્જુન પત્ની સુભદ્રા માતાના મિલનની ઇચ્છાવાળી અભિમન્યુ પુત્રની સાથે પાંડવની આજ્ઞાથી કૃષ્ણની સાથે દ્વારિકા નગરમાં આવી. હવે એક દિવસ વિદુરે મોકલેલા પ્રિયંવદ નામનો દૂત યુધિષ્ઠિરાદિ બંધુની પાસે આવીને વિદુરે કહેલું કહેવા લાગ્યો. તે આ પ્રમાણે. એક દિવસ ધૃતરાષ્ટ્રની પાસે રહેલા એવા મેં ગુપ્ત રીતે કર્ણ, દુઃશાસનાદિ વિચારણા કરતા લજ્જા વિનાના દુર્યોધનને પુરોચન પુરોહિતને આ પ્રમાણે બોલતાં જાતે સાંભળ્યું છે. હે ભદ્ર ! તું પણ જાણે છે કે પાંડવો મારા શત્રુ છે. તેઓના જીવતાં મારું રાજ્ય આકાશમાં રહેલા વાદળાઓથી બનેલ હાથી-ઘોડાદિ જેવું છે. એટલે કે ક્યારે રાજ્ય તેઓના હાથમાં જતું રહેશે, તેની ખબર નથી. શણસર્જરસાદિ દ્રવ્યો વડે ઉદીપન થયેલ અગ્નિ વડે લાખનું બનાવેલું મકાન સળગાવી આ બે શ્લોકો સાંભળીને પાડુપુત્રે વિચાર્યું– અહો ! આ પુરોચને અમને મારવા માટે આવી માયા કરી છે. અમે રાજ્ય આપીને આવી ગયા. અમને સ્વામિની બુદ્ધિથી રાખ્યા છે. પરંતુ તેઓએ કપટ કરીને અમને મારવા માટેની આ યોજના કરી છે, તો ખરેખર આ દુષ્ટ પુરોચન અમને આ લાખના ઘરમાં બાળી નાંખશે. હવે ભક્ત વિદુરનો દૂત કહે છે :- “હે રાજન્ ! બે શ્લોકમાં કહેલી વાત દુષ્ટ દુર્યોધને પુરોચનની આગળ કહી. ત્યારે ગુપ્ત રીતે વિદુરે તે સાંભળી છે અને તે વાત મારા દ્વારા આપને જણાવી છે. આથી સારી રીતે વિચારીને તમને યોગ્ય લાગે તેમ કરો.” પુરોચનમાં વિશ્વાસ કરવા જેવો નથી. તે જીભે મીઠો, હૃદયમાં અત્યંત દુષ્ટ છે, તેમ જાણો. દુર્યોધનના કહેવાથી આ પુરોચન આપનાથી શોભતું આ મકાન કૃષ્ણ એટલે વદ ચૌદશના ભસ્મસાત્ કરશે. પરંતુ તે ચૌદશ કઈ, તે વિદુરે જાણી નથી. આથી બધી કૃષ્ણ ચૌદશે સાવધાન થઈને રહેવું, પ્રમાદ નહિ કરવો. એ પ્રમાણે વિદુરે કહેલું દૂત દ્વારા સાંભળીને ક્રોધથી લાલ થઈ ગયેલી આંખવાળા પાંડવોએ તેના રહેવાના મહેલને (ઘરને) લાખથી બનાવેલો છે કે બીજા કોઈ દ્રવ્યથી તેની પરીક્ષા કરી અર્થાત્ ખાતરી કરી. પરીક્ષાથી લાખનું ઘર જાણીને માતા-ભાઈ-પત્ની વગેરે દરેકને તે વાત જણાવી. ભીમે કહ્યું – “હે આર્ય ! શત્રુનું હૃદય ફાડીને જણાય છે. પુરોચનને શિક્ષા આપી આગળ જવું.” અર્જુને પણ યુધિષ્ઠિરને આ પ્રમાણે કહ્યું : “તમારી આજ્ઞા હોય તો એને શિક્ષા આપીને જઈએ. એ પણ જાણે કે પાંડવોની સાથે જેવું કર્યું તેવું મળ્યું.” એઓના આ વચન સાંભળીને યુધિષ્ઠિરે કહ્યું: “હે વત્સો ! તમારામાં જો શૌર્ય (તાકાત) હોય તો દુર્યોધનને હણવાનું કાર્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy