SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૭ ૧૭૩ પાંડવ ચરિત્રમ્ વિવેકરહિત એવા મેં તારા વિશે વિપરીત આચરણ કર્યું છે, તો તું મારા અપરાધને માફ કર કારણ કે તું મોટો છે, મોટા જનો નાનાઓના અપરાધને સહે છે. મેં સરળ આશયવાળા તમારો અપરાધ કર્યો છે. કારણ કે કપટથી ઘૂત રમીને રાજ્ય લઈ લીધું છે. પછી તે રાજ્યથી તને બહાર કાઢી મૂક્યો છે. હું પણ મારા અપરાધને સહી લે. હવે મારા પર કૃપા કરીને ફરી તમે રાજ્યને શોભાવો. આજથી તમારી આજ્ઞા મારા મસ્તકરૂપ પત્યેકમાં ખેલ કરનારી થાઓ (અર્થાત્ તમારી આજ્ઞા મારા શિર પર રહો.) તેથી પ્રસન્ન થઈ હસ્તિનાપુરનું રાજ્ય ગ્રહણ કરો. જો હસ્તિનાપુર આવતાં સત્યવ્રતની વિપરીતતાથી લજ્જા આવતી હોય તો મનને સ્થિર કરીને વારસાવત નગરે મારા આગ્રહથી સુખપૂર્વક રહો. હે રાજેન્દ્ર ! તમારા ભાઈ દુર્યોધને મારી પાસે તમને આ પ્રમાણે કહેવડાવ્યું છે (જણાવ્યું છે) એવા પુરોચન પુરોહિતના વચન સાંભળીને યુધિષ્ઠિર આદિ પાંડવો અને કૃષ્ણ વગેરે પણ ખુશ (હર્ષિત) થયા. કારણ કે પ્રેમથી સ્નેહના વચન સાંભળી કોણ ખુશ થતું નથી ? ત્યાંથી વાહનમાં બેઠેલા આગળ ચાલતા પાંડવો કૃષ્ણ મિત્રની સાથે પુરોચને બતાવેલા માર્ગે ચાલતા ક્રમ કરીને વારણાવતી નગરે આવ્યા. તે નગરમાં રહેનારા સઘળાય નાગરિક લોકો મંગલ ભટણાઓ લઈને તેઓની સામે આવ્યા. પછી કૃષ્ણની સાથે તે પાંડવોએ હર્ષ સાથે દેવલોકમાં ઈન્દ્રની જેમ તે નગરમાં પ્રવેશ કર્યો. પાંડવો તે નગરમાં આવીને ચિત્રશાલાઓમાં, ઘરના આંગણામાં, મકાનોમાં, વાવડી, કૂવા, સરોવરાદિમાં સુખપૂર્વક આનંદ (ક્રીડા) કરતા વિચરે છે. દુર્યોધનના પુરોહિત પુરોચને તે પાંડવોની ચતુરાઈપૂર્વક સેંકડો પ્રકારે સેવા, શુશ્રુષા કરીને આત્માને ખુશ કર્યા. તેવી રીતે હસ્તિનાપુરથી દુર્યોધન તે પાંડવોને અતિ સુંદર વસ્તુઓ દરરોજ સેવકો દ્વારા ભટણા રૂપે આપે (મોકલે) છે. તેવી રીતે તે નગરનો રાજા પણ નગરજનોથી પરિવરેલો યુધિષ્ઠિરની સેવા કરે છે. એ પ્રમાણે સુખમાં રહેલા પાંડવો પોતાના નગરમાં રહેલાની જેમ ક્યારે પણ પોતાના ઘરને યાદ કરતા નથી. દાનમાં જ રસવાળી, પાંડવોની માતા કુન્તી ગરીબોનો ઉદ્ધાર કરવામાં પોતાના હાથે પ્રયત્ન કરે છે. કહ્યું છે કે – દીનનો ઉદ્ધાર કર્યો નહિ. સાધર્મિક વાત્સલ્ય કર્યું નહિ. હૃદયમાં પરમાત્માને ધાર્યા નહિ. તે જન્મ હારી ગયો છે. એ પ્રમાણે તે બધાય પાંડવો માતા અને પત્ની સહિત, દાનને આપતાં તે નગરમાં સુખપૂર્વક વિચરે છે. હવે કૃષ્ણ તે પાંડવોનું સુખ અને કુટુંબનું સુખ જોઈને દુર્યોધનની વાણી, પુરોચન પુરોહિતના મુખથી સાંભળીને આનંદ પામેલા ભ્રાતૃવાત્સલ્ય પાંડવોએ વિદાય આપેલા (કૃષ્ણ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy