SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૧૭ સર્ગ - ૭ અને દુઃખ અસીમ પામી. ફરી વિદુરે કહ્યું : “હે યુધિષ્ઠિર ! રસ્તે આવતાં તું સાવધાન રહેજે. ક્યારે પણ પ્રમાદ કરીશ નહિ.” વિશેષથી રસ્તામાં ચાલતાં આ પ્રકારની શિક્ષાને આપી, આંસુવાળી આંખે વિદુરે પાર્ટુને સાથે લઈને હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું. તે સમયે પાડુરાજાએ વિદ્યાધરે આપેલી દેવતાથી અધિષ્ઠિત સર્વ કાર્ય કરવામાં સમર્થ પોતાના હાથમાં રહેલી મણિમુદ્રિકા (વીંટી)ને ખેંચીને મોટા પુત્રના હાથની અંગુલિમાં પહેરાવી પછી પુત્ર અને પત્નીને શિક્ષા આપીને તે પાડુરાજા અને વિદુર હસ્તિનાપુર તરફ જવા માટે તૈયાર થયા, ત્યારે યુધિષ્ઠિરે માદ્રીને કહ્યું : “હે માતા ! રાત્રિ દિવસ તારે મારા પિતાની શુશ્રુષા કરવામાં પ્રમાદ ન કરવો. વિશેષ પ્રકારે પુરુષાર્થ કરવો. કારણ કે હું દૂર દેશમાં જાઉં છું, મારી પાછળ આવનારી કુન્તી પણ સાથે આવે છે. આથી શુશ્રુષા વિશેષ પ્રકારથી કરવી, માદ્રી માતાએ તે વાતનો સ્વીકાર કર્યો. એ પ્રમાણે કરીને તે પણ પાડુરાજાની સાથે ચાલી. એ પ્રમાણે સર્વ સ્વજન વર્ગ પાછો ફર્યો. પછી ત્યાંથી ચાલેલા કુન્તી દ્રૌપદી સાથે પાંડવો કૃષ્ણના આગ્રહથી વાહનમાં બેઠેલા કૃષ્ણની સાથે ચાલ્યા. જ્યાં નાસિકનગરે આવ્યા. ત્યાં પૂર્વ કુન્તીએ બનાવેલું શ્રી ચંદ્રપ્રભ જિનનું ચૈત્ય જોયું. તે ચૈત્યમાં પાંડવોએ કુન્તી સહિત પૂજાને કરી. વિધિપૂર્વક પ્રભુને પૂજીને વિવિધ સ્તોત્રો વડે સ્તુતિ કરીને કુન્તી અને દેવકીના પુત્રો (પાંડવ અને કૃષ્ણ) પોતપોતાના ઘરમાં રહેલા સ્વજનો સાથે પોતાના કુળને ઉચિત સુખ ભોગવે છે. એ પ્રમાણે તે કૃષ્ણ અને યુધિષ્ઠિરે સુખમાં મગ્ન થઈને કેટલાય દિવસો ત્યાં પસાર કર્યા. એક દિવસ કૃષ્ણની સાથે બેઠેલા યુધિષ્ઠિરની પાસે દુર્યોધનનો પુરોહિત પુરોચન આવીને આ પ્રમાણે બોલ્યો. હે રાજેન્દ્ર ! તમારા ભાઈ દુર્યોધને આદરપૂર્વક હમણાં મારા મુખે આ પ્રમાણે જણાવ્યું છે, કહેવડાવ્યું છે. હે આર્ય ! તું આર્યજનોમાં પ્રથમ છે. હું અનાર્યજનોમાં છું. તું ગુણવાનોમાં અગ્રણીય છે જ, હું નિર્ગુણીઓમાં છું. તું સ્વજનોમાં મુગટ છે, હું દુર્જનોમાં છું. સદ્ગદ્ધિવાળાઓમાં તું અગ્રેસર છે, હું દુર્બુદ્ધિવાળાઓમાં છું. તું કૃતજ્ઞજનોમાં શેખર છે, હું કૃતઘ્નોમાં છું. તું ઉત્તમજનોમાં માણિક્ય છે, વળી હું અધમજનોમાં મહાન ઇચ્છાઓમાં તું પ્રથમ છે, તુચ્છ ઇચ્છાઓમાં હું છું. જ્ઞાનીઓમાં તું આદ્ય છે, અજ્ઞાનીઓમાં હું છું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy