SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૧) સર્ગ - ૭ પાંડવ ચરિત્રમ્ થઈશ.” પછી વિનયથી નમેલા યુધિષ્ઠિરે સાથે આવવા માટે નિષેધેલા ભીષ્મ આવા પ્રકારની શિક્ષાને આપે છે. કામ, ક્રોધ, લોભ, માન, મદ, હર્ષ, આ છ વર્ગો છોડવા જોઈએ. અજ્ઞાન, જૂઠ, લાંચ, સર્વ પ્રકારના (સાત) વ્યસન. આ રાજ્યને હરી જનારા સોળ ચોરો છે. હે વત્સ ! તું નિરીક્ષણ કર. એક જ જુગારના વ્યસનથી કેટલા અનર્થ થયા. આથી વ્યસનને છોડવું જોઈએ. હે વત્સ ! આ ધર્મથી, પરાક્રમથી, નીતિથી અને વિનયથી તમે આ ભુવનના દૃષ્ટાંતરૂપ થશો. એ પ્રમાણેની ભીષ્મની વાણી સાંભળીને યુધિષ્ઠિર ખુશી થયા. પાડુ, વિદુર, દ્રોણ, કૃપાચાર્ય વગેરે વૃદ્ધો આ બધા પણ યુધિષ્ઠિરને જણાવીને પોતાના ઘર તરફ પાછા વળેલા એવા તેઓએ પ્રયાણ કર્યું. હવે યુધિષ્ઠિર ફરી પણ ધૃતરાષ્ટ્રને નમીને બોલ્યા: “હે વૃદ્ધ તાત ! તમે મારા ભાઈ દુર્યોધનને આ પ્રમાણે કહેજો. હે કુરુકુલના મુગટ! આ પ્રજાને તેવી રીતે પાલવી, જેવી રીતે પૂર્વજોએ ઉપાર્જન કરેલ કીર્તિ આ સંસારમાં સર્વત્ર આપનો આશ્રય કરીને રહેલી સ્કુરાયમાન થાઓ.” (જગતમાં ફેલાઓ) એ પ્રમાણે યુધિષ્ઠિરના વિનયપૂર્વકના વચન સાંભળીને પોતાના પુત્રની દુનીતિ જોઈને લજ્જા પામેલો ધૃતરાષ્ટ્ર મૌન રહીને પાછા ફરી તે પણ પોતાના નગરે આવી ગયા. મોટા વડીલ માતાપિતા, સત્યવતી આદિ માતાઓએ નમસ્કાર કરતાં યુધિષ્ઠિરને આશીર્વાદ આપી અભિનંદીને અતિ શોકથી ઘેરાયેલા મૂચ્છિત જેવા તેઓ ગમે તેમ કરીને પાછા ફર્યા. હવે યુધિષ્ઠિરે સાથે ચાલતા સર્વ નગરના લોકોને બોલાવીને આ બાજુ તમે પાછા ફરો, એ પ્રમાણે આદેશ આપ્યો. એ પ્રમાણે સાથે આવેલા ભીષ્માદિ કુલવૃદ્ધો સત્યવતી આદિ માતાઓ, બુદ્ધિસાગર વગેરે મુખ્ય મંત્રીઓ તે નગરમાં રહેનારા સાથે ચાલનારા લોકો પણ કામ્યક વનથી પાછા ફરેલા પોતાના સ્થાનમાં ગયા. હવે વિનયથી નમી ગયેલા મસ્તકવાળા યુધિષ્ઠિરે વિદુરને કહ્યું : “હે આર્ય ! તમે જ અમારા પર પિતા સંબંધી પ્રીતિને રાખનારા છો. પાડુરાજા તો ફક્ત જન્મદાતા જ છે. આથી અમે તમને પૂછીએ છીએ.” વિરહથી દુઃખી મારા માતાપિતાને સાથે જ લઈ જઈએ ? અથવા અહીંયા જ રાજ્ય ઉપર મૂકીને જઈએ ? આ વાતમાં તમે જ પ્રમાણરૂપ છો. જે તમારી આજ્ઞા થશે, તે અમે કરીશું. જે સારું લાગે (સારું જણાય) તે કહો. વિદુરે કહ્યું : “હે વત્સ ! દુર્યોધન તારા પર ઈમ્પ્રભાવ રાખે છે. તેથી પૂર્ણ કુટુંબની સાથે (જવું) યોગ્ય નથી. તે કારણથી તટસ્થ એવા દેવ પાડુએ અહીંયા જ રહેવું. દેવી કુન્તી તમારા વિરહને સહી શકનારી ન હોવાથી તે નહીં જ રહે. આથી પાર્ટુને અહીંયા જ મૂકીને કુન્તીમાતા અને દ્રૌપદીની સાથે મહાતેજસ્વી તમે પાંચેય ભાઈઓ વનવાસ માટે જાઓ.” યુધિષ્ઠિરે તે સાંભળીને ભીની આંખે આંસુ સારતા પિતાને વિદુરની પાસે રાખ્યા. તે વખતે કુન્તી પતિના વિયોગથી દુઃખ અને પુત્રોના સંયોગથી સુખ પામી. ત્યારે કુન્તી એકી સાથે હર્ષ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy