SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૧૭૦). સર્ગ - ૭ પાંડવોના ચરણોથી જે વનો પણ પાવન થાય છે, તે મને પસંદ છે. પિતાના ઘરથી સર્વ અર્થાત્ પિતાનું ઘર નહિ. કેવળ સરલ, બાળક જેવા એવા તારા આ પાંચેય પાંચાલ (ભાણીયાઓ)ને લઈને જા અને વિજયી થા. તે પ્રમાણે કહીને યુધિષ્ઠિરની આજ્ઞા લઈને ધૃષ્ટદ્યુમ્ર પાંચેય પાંચાલોને લઈને આંસુઓ સાથે પોતાના ઘર તરફ ચાલ્યો. ક્રમે કરીને પોતાના ઘરે આવેલા ધૃષ્ટદ્યુઝે દ્રુપદ રાજાને દોહીત્રાઓને સોંપ્યા. પછી તેણે પાંડવોની બધી વાત કરી. તે જ વનમાં રહેલા પાંડવોને એક દિવસ યુધિષ્ઠિરની. પ્રીતિથી દ્વારકાથી સકલ સૈન્યથી પરિવરેલા મિલન માટે ઉત્સુક કૃષ્ણ આવ્યા. કૃષ્ણને આવતાં જાણીને પાંચેય પાંડવો સામે જઈને ગાઢ આલિંગીને ભેટીને) નમસ્કાર કર્યા. તેણે પણ જલ્દી આવીને ઉત્સાહપૂર્વક કુન્તીના ચરણકમળને વંદ્યા (ચરણમાં નમ્યા). અને યથાસ્થાને આસન પર બેઠેલા કૃષ્ણ આગળ બેઠેલા યુધિષ્ઠિરને આ પ્રમાણે કહ્યું : “હે યુધિષ્ઠિર ! દુષ્ટ દુયોધને ઉત્તર સાધક શકુનિ અને કણે કપટ કરીને ખોટા પાસાઓ વડે તને જીતીને તારું રાજ્ય ગ્રહણ કર્યું છે,” એવું દૂત મુખથી મેં સાંભળ્યું છે. જો, હું બાજુમાં હોઉં ત્યારે જુગાર ખેલાય તો જુગારની પ્રવીણતા જણાય. યુધિષ્ઠિરે કહ્યું : “સ્વામિન્ ! બુધ નજીક હોય ત્યારે ચંદ્રને રાહુ કેવી રીતે પ્રસ્ત કરી શકે ? તમે નજીક હોત તો આ દુર્યોધન મને કેવી રીતે જીતીને રાજ્ય ગ્રહણ કરી શકત ? પરંતુ તે રાજન ભાવિને કોણ ઉલ્લંઘી શકે છે ?” કારણ કે – તેવા તેવા પ્રકારની બુદ્ધિ, તેવી મતિ અને તેવી ભાવના અને તેવા સહાયકો જેવી ભવિતવ્યતા હોય તેવા પ્રાપ્ત થાય છે, તેમ જાણવું. જેવું ભાવિમાં થવાનું હોય તેવું જ મહાપુરુષોને પણ થાય છે. શંકરને નમ્રપણું અને વિષ્ણુને મોટા સર્પનું શયન ભવિતવ્યતાના કારણે મળ્યું છે. હે હર ! તમે ક્રોધિત થયે છતે (થતાં) ઇન્દ્ર પણ પરાક્રમી (કંઈ કરી શકતો નથી) થતો નથી, તો વળી આ મનુષ્ય રૂપે ક્રીડારૂપ દુર્યોધન આદિ કોણ માત્ર ? દ્રૌપદીના વસ્ત્રને ખેંચવાના સમયે મારી આજ્ઞાને વશ રહેનારા ભીમ અને અર્જુનને દુર્યોધનના વધનો મેં નિષેધ કર્યો હતો. તે હરે! તમે પણ આવા દુર્યોધનના વધરૂપ આવા વિચારથી હમણાં વિરમો, એ પ્રમાણે નીતિમાં પ્રવીણ યુધિષ્ઠિર વડે કૃષ્ણમાં શાંતતા આવે છતે તે ભાઈઓની સાથે, ભીષ્મની પાસે ગયા. ભીષ્મને નમીને યુધિષ્ઠિરે કહ્યું: “હે બૃહત્તાત ! તમે ગુરુના પણ ગુરુ છો, આથી પૂછું છું કે સ્વામિન્ ! પરદેશ જવાની ઇચ્છાવાળા અમને સ્વકુળને ઉચિત બોધને આપો.” ભીખે કહ્યું: “હું પણ તમને સહાયક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy