SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૭ (૧૯) પાંડવ ચરિત્રમ્ સર્ષની જેમ તરલ જીભવાળો, દાંતો વડે દાંતોને ઘસતો, આવા પ્રકારના રાક્ષસે દ્રૌપદીની નજીક આવીને મોટા અવાજે અટ્ટહાસ કર્યો. તેના તેવા પ્રકારના અવાજથી ડરેલી દમયંતીએ પૃથ્વી ફાટી જાય તેવા મોટા અવાજથી ભીમને સાદ કર્યો. તે અવાજ સાંભળીને પરાક્રમી ભીમે નજીક આવીને તર્જના કરતાં વાદળની જેમ ગાજતા કહ્યું: “રે મહાપાપી રાક્ષસ ! આ તારું પાપનું ચાપલ્ય કેવું? કારણ કે તું લાંબી માર્ગના પ્રવાસના કારણે ખેદ પામેલી એવી મારી પ્રિયા દ્રૌપદીને કેમ ડરાવે છે?” તો તેનું તું ફળ ભોગવ. એ પ્રમાણે કહીને ગદાના પ્રહારથી તે રાક્ષસને મસ્તકમાં ઘા કર્યો (માર્યો). તે પ્રહારથી તાડન કરાયેલો રાક્ષસ ભૂમિ પર પડ્યો. જે ભીમનો ક્રોધ દુર્યોધન પર થયો. તેવો તે રાક્ષસ પર થયો. તે દુર્યોધનનો વલ્લભ એવો કિર્તીર ભીમની ગદાના પ્રહારથી હણાયો અને મરીને નરકે ગયો. ભીમે હણેલો, ક્રૂર કિર્તીર રાક્ષસ મહાભારતના આરંભે પ્રથમ ઓંકાર જેવો હતો, જેવી રીતે મંગલના આરંભે પ્રથમ ઓંકાર હોય છે, તેવી જ રીતે આ રાક્ષસને ભીમે પહેલાં માર્યો, આથી ઑકારની ઉપમા પામ્યો. ત્યાંથી ચાલતાં પરિવાર સહિત પાંડવો લતાઓથી સુંદર કામ્યક નામના વનમાં આવ્યા. સુંદર પ્રદેશમાં મનોહર વૃક્ષોથી ભરેલા તે વનમાં જ્યાં આવ્યા, તેટલામાં ભીમે યુધિષ્ઠિરને કહ્યું: “હે બંધો! માતા, પિતા વગેરે લોકો પગપાળા રસ્તામાં ચાલતાં અત્યંત થાકી ગયેલા જણાય છે. આથી પાંચ રાત્રિ આ જ વનમાં સ્થિરતા કરીએ.” એમ રાજા યુધિષ્ઠિરને વારંવાર ભીમસેને વિનંતી કરી. કેટલાય દિવસો તે જ વનમાં રહ્યા. રસ્તાથી થાકેલા લોકો સુખપૂર્વક દરેક વૃક્ષ નીચે સૂઈ ગયા, સુખપૂર્વક સૂતેલા લોકોને ભૂખથી આક્રાન્ત જોઈને યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું : “આ બધા લોકોને સુંદર રસોઈ જમાડ.” યુધિષ્ઠિરની આજ્ઞાથી અર્જુને મનોહર આહારને લઈ આવનારી વિદ્યા શીવ્ર યાદ કરી. તે વિદ્યા વડે લવાતી સુંદર રસવતી જોઈને યુધિષ્ઠિર આશ્ચર્ય પામ્યા અર્જુનની રજાથી દ્રોપદીએ પણ તે રસોઈ તે લોકોને જમાડી. એ પ્રમાણે દરરોજ વિદ્યા વડે લવાયેલી રસોઈનું ભોજન કરતાં લોકો કેટલાક દિવસો સુધી પાંડવો સાથે ત્યાં જ રહ્યા. એક દિવસ પિતાના આદેશથી મહાયોદ્ધા દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન પાંડવોને બોલાવવા માટે તે વનમાં આવ્યા. પાંડવોએ સ્નાન, ભોજન વગેરે ભક્તિ કરીને પૂછ્યું, હે ધૃષ્ટદ્યુમ્ર ! તું શા માટે અહીંયા આવ્યો છે. ધૃષ્ટદ્યુમ્ર પણ યુધિષ્ઠિર વગેરે પાંડવોને નમન કરીને આવવાનું કારણ તે આ પ્રમાણે જણાવે છે. હસ્તિનાપુરમાં રહેલ ગુપ્તચરોથી છૂપા સમાચાર દ્વારા પ્રવાસના સમાચાર જાણીને પિતાએ મને અહીંયા મોકલ્યો છે. આથી હું તમને બોલાવવા માટે આવ્યો છું. તમે મારા ઉપર કૃપા કરીને મારા ઘરને પવિત્ર કરો. પાંડવોએ કહ્યું : અમે બાર વર્ષ વનમાં જઈએ છીએ. તેથી સસરાના ઘરે રહીશું નહિ.” ફરીવાર ધૃષ્ટદ્યુમ્ર બહેન દ્રૌપદીને કહ્યું : “હે બહેન ! તું મારી સાથે પિતાના ઘરે ચાલ.” દ્રૌપદીએ કહ્યું : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy