SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ ૧૬૩ પાંડવ ચરિત્રમ્ હે યુધિષ્ઠિર ! તમે કંઈપણ જોયું અથવા સાંભળ્યું છે ? અમૃત અને વિષ એક પાત્રમાં હોય ? તેવી રીતે ધર્મપુત્રપણામાં જુગારપણું યોગ્ય નથી અર્થાત્ ન હોય ઇત્યાદિ વચનો વડે ગાંગેય (ભીષ્મ) આદિ વૃદ્ધો વડે વાળવા છતાં પણ યુધિષ્ઠિર જુગારના અવ્યવસાયથી અટક્યા નહિ. અહો ! વિધિ રૂઠે ત્યારે સજ્જનોની પણ બુદ્ધિ વિપરીત થઈ જાય છે. નહીં તો ધર્મપુત્ર (યુધિષ્ઠિર)નું મન વ્યસનમુક્ત બને ખરું ? યુધિષ્ઠિરને વ્યસનવાળો જાણીને બીજા સહાયકો ગાંગેય (ભીષ્મ) આદિ યુધિષ્ઠિરને તિરસ્કારતા હસ્તિનાપુર જવાની ઇચ્છાવાળા થયા. કારણ કે રાજહંસો જેમ વાદળોથી શ્યામ (મલીન) થયેલા આકાશને જોઈને દૂર છોડી દે છે (તેમ તેઓ યુધિષ્ઠિરને જોઈને છોડી જવાની ઇચ્છાવાળા થયા). હાથી, ઘોડા, રથાદિ હારી જતાં તેજહીન મુખવાળા યુધિષ્ઠિરને કર્ણ સાથે દુર્યોધન હર્ષ પામ્યો. ઘુવડો સૂર્યાસ્ત થતાં અંધકારને જોઈને હર્ષ પામે, તેમ તેઓ હર્ષ પામ્યા. વળી હવે આકર, પુર, ગામ, નગર આાદ હારી જતાં યુધિષ્ઠિરને કણે કહ્યું: હે યુધિષ્ઠિર ! હે દુર્યોધન ! તમે બંને જણા પોતાના સામ્રાજ્ય (રાજ્ય)ને દાવમાં મૂકો. જુગાર રમવાનું કાળનું પ્રમાણ કરીને દાવ રમો.” ત્યારે બંનેએ કહ્યું : “બાર વર્ષ સુધીમાં જુગાર રમતા રાજ્ય જીતે તો રાજ્ય જીત્યું અને હારી જવાય તો રાજ્ય હાર્યું (ખોયું), એ પ્રમાણે કર્ણના વચન બંને જણાએ સ્વીકારીને બધાય લોકો સમક્ષ એવી પ્રતિજ્ઞા કરીને બેઉ રમવા લાગ્યા. યુધિષ્ઠિર પાસામાં માયા કરવા છતાં પણ રાજ્ય હારી ગયા. બાર વર્ષે રાજ્ય હારી જતાં શ્યામ મુખવાળા યુધિષ્ઠિરે ચારે ભાઈઓને દાવમાં મૂક્યા. વિધિ વિપરીત થતાં તે પણ હારી ગયા. જુગારમાં હારેલા ભીમાદિ ચારે ભાઈઓએ દુર્યોધનના ઘરે દાસ્યકામ કરવું. પાસા નાંખવામાં માયા કરવા છતાં, ક્ષણવારમાં રાજ્ય હારી ગયા, તો પણ યુધિષ્ઠિરે ચારે ભાઈઓને દાવમાં મૂક્યા. યુધિષ્ઠિર ભાઈઓને હારી જતાં સર્વ જનોએ હાહાકાર મચાવ્યો. આ જુગારની રમતને જોઈને કેટલાક લોકો યુધિષ્ઠિરને, કેટલાક દુર્યોધનને, કેટલાક ધૃતરાષ્ટ્રને નિંદવા લાગ્યા. એ પ્રમાણે સકલ લોકમાં નિંદા થતાં યુધિષ્ઠિર ચિંતવે છે. અહો ! મેં ઉછું આચરણ કર્યું. કારણ કે જુગારના વ્યસનવાળા એવા મેં ભીષ્માદિના વચન ન માન્યા. પૂર્ણ રાજ્ય વગેરે ગુમાવી દીધું અને ભાઈઓ પણ હારી ગયો. હવે કોઈપણ ઉપાયથી ગયેલું ફરી પાછું મેળવવું, એવી બુદ્ધિથી પોતાને દાવમાં મૂક્યો. વિધિના વિપરીતપણાથી અને પાસા ઉલ્ટા પડવાથી યુધિષ્ઠિર પોતાનો દેહ પણ હારી ગયા. ફરી પણ પોતાને છોડાવવા માટે યુધિષ્ઠિરે દ્રૌપદીને દાવમાં મૂકી. વિધિના વિપરીતપણાથી અને દુર્યોધનની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy