SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ પાંડવ ચિરત્રમ્ ૧૬૪ કૂટનીતિથી તે પણ હારી ગયા. યુધિષ્ઠિરને હારેલા જાણીને દુર્યોધનને જીતેલા જોઈને મામા શકુનિએ ઉંચા સ્વરે ક્ષણ માત્રમાં ભુજાના સ્ફોટથી જાહેર કર્યું. જીત્યા, જીત્યા એ પ્રમાણે ઊંચે સ્વરે શકુનિ વાણી બોલ્યા. ત્યારે સ્પંભિત થયેલાની જેમ, મૂર્છા પામેલાની જેમ, ચિત્રમાં કંડારેલાની જેમ, મૃત્યુ પામેલાની જેમ, ગ્રહથી ગ્રસ્ત થયેલાની જેમ, સભાજનો સ્તંભિત થઈ ગયા. અન્યાયથી પ્રાપ્ત થયેલી લક્ષ્મીથી જેમ ચોરો આનંદ પામે છે. તેમ પાણ્ડપુત્રના શત્રુઓ દુર્યોધનાદિ તે અવસરે આનંદને પામ્યા. ગ્લાની પામેલા પાંડવો મૌન રહ્યા. હવે મદોન્મત્ત દુર્યોધનના ભાઈઓ દુઃશાસન વગેરે પાણ્ડપુત્રોના વસ્ત્રોને ખેંચવાની ચેષ્ટા કરવા લાગ્યા. તેટલામાં નીતિને ધરનારા પાંડવો જાતે જ વસ્ત્રોને છોડીને કંઈક પહેરેલા સભામાં નીચા મુખવાળા થઈ ઊભા રહ્યા. દુર્યોધને દુઃશાસનને કહ્યું : “હે બંધુ ! પાંચ ભર્તારવાળી તે દ્રૌપદીને પણ આ સભામાં લાવો.’’ ખીલેલા કમળ જેવા મુખવાળો તે પાપાત્મા દુઃશાસને પણ દ્રૌપદી પાસે જઈને આ પ્રમાણે કહ્યું : ‘‘હે દ્રૌપદી ! દુષ્ટ બુદ્ધિવાળા યુધિષ્ઠિર જુગાર રમતાં તને હારી ગયા છે. સબુદ્ધિવાળો મારો ભાઈ દુર્યોધન તને જીતી ગયો છે. તારા પૂર્વના સત્કર્મો આવી ગયા છે અર્થાત્ તારો સત્કર્મનો ઉદય થયો છે. સારી રીતે આચરેલો તારો ધર્મ તને ફળ્યો છે. હવે દુર્યોધનની સાથે નિશ્ચિંત થઈને પ્રીતિપૂર્વક સુખનો અનુભવ કર. કારણ કે વિધિએ પહેલાં વિપરીત કર્યું હતું. જેણે તને એકલીને પાંચ પાંડવોને આપી દીધી હતી, પછી વિચારીને વિધિએ આ રીતે તને દુર્યોધનને આપી. તેથી હવે તું દુર્યોધનની સાથે પ્રીતિક્રીડા કર.'' જો તું મારૂં કહ્યું કરીશ નહિ તો તને બળથી પણ કરાવીશ. દ્રોપદીએ કહ્યું : “હે દેવર ! દુઃશાસન ! તારા કુળને ઉચિત બોલ, કુળથી વિરૂદ્ધ કેમ બોલે છે?’’ દુઃશાસને કહ્યું : “તને તો યુધિષ્ઠિર હારી ગયા છે. દુર્યોધન તને જીતી ગયો છે. આથી હવે દુર્યોધનની જ સેવા કર.'' સભામાં રહેલો દુર્યોધન તને બોલાવે છે. ચાલ, મારી સાથે ચાલ. જો નહીં આવે તો બળાત્કારથી હું તને ત્યાં લઈ જઈશ. તે સાંભળીને દ્રૌપદી કંઈક પ્રત્યુત્તર આપવા જાય છે, ત્યાં તે દુરાત્મા દુઃશાસને દ્રૌપદીને વાળ પકડીને ખેંચી. દ્રોપદીએ કહ્યું : “હે પાપી ! કુરુરાજાના ગોત્રમાં કિંપાક વૃક્ષસમાન આ સભામાં તારી માની જેવી મને શા માટે હેરાન કરે છે ?’ જે વસ્ત્રથી ઢાંકેલું એવું મારૂં સુખ કોઈએ પણ જોયું નથી. હા ! વસ્ત્ર વિનાની એવી મને આજે બધા વડીલો જોશે, એ પ્રમાણે પોકાર કરતી (ચિલ્લાતી) હોવા છતાં પણ દુઃશાસને વાળથી પકડીને સિંહ જેમ મૃગલીને ખેંચે, તેમ તેને ખેંચી. એક વસ્ત્રવાળી અશ્રુયુક્ત આંખવાળી લજ્જાથી નીચે વળી ગયેલી ડોકવાળી, ભયભીત આંખવાળી દ્રૌપદીને દુઃશાસન તે સભામાં લઈ આવ્યો. પાંડવો તેને તેવા પ્રકારની જોઈને લજ્જાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy