SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ (૧૬૧] પાંડવ ચરિત્રમ્ કૂબને પાછું આપ્યું. આ જીતેલ પાંડવો તમારા પુત્રનો દેશ ત્યાગ કરાવશે અર્થાત્ દેશનિકાલ કરશે. જીતેલું રાજય નળની જેમ આપે નહિ. તેથી આ દુર્યોધનને આ દુષ્ટ ઘૂતના (જુગારના) કદાગ્રહથી પાછો વાળો. જુગાર કોઈને માટે પણ સુંદર દેખાતો નથી. એવા વિદુરના વચનથી ભાવિત થયેલા ધૃતરાષ્ટ્ર વારંવાર પાછો વાર્યો, તો પણ દુર્યોધન જુગારના કદાગ્રહથી પાછો ફર્યો નહિ. તેથી તે દુર્યોધનની ઉપેક્ષા કરીને વિદુર પોતાના સ્થાને ચાલી ગયો. હવે દુર્યોધને સભાને જોવાના બહાનાથી ધર્મપુત્ર (યુધિષ્ઠિર)ને બોલાવવા માટે તૈયારી કરી, ત્યારે ધૃતરાષ્ટ્ર પણ નિષેધ કરવા છતાં દુર્યોધને ભૂતથી ઘેરાયેલાની જેમ હુંહુંકાર કરતાં જયદ્રથને બોલાવ્યો. દુર્યોધન બોલ્યો : “હે જયદ્રથ ! આ બાજુ તું હસ્તિનાપુર જા, જઈને મારૂં કહેલું પાંડવોને કહેજે, દુર્યોધને એક દિવ્ય સભા કરાવી છે. તે તમારા આવવાથી કૃતાર્થ થશે. સર્વ બાંધવામાં તમે જયેષ્ઠ છો, મોટા છો, આથી તમે તે સભાને જોવા માટે યોગ્ય છો. કારણ કે, તમારા આવવાથી હું કૃતાર્થ થઈશ, ઇત્યાદિ બહુ યુક્તિઓથી નિમંત્રણ આપવું. તેણે પણ ત્યાં જઈને ઘણી માયા કરીને યુધિષ્ઠિરને બોલાવ્યો. કુટિલ આશયથી એ પ્રમાણે વિનંતી કરી સરળ આશયથી યુધિષ્ઠિરે બધું સત્ય માની લીધું. પછી સત્ય માનતા ચાર ભાઈઓ અને દ્રૌપદી સાથે અને સકલ સૈન્ય સાથે પરિવરેલો રાજા યુધિષ્ઠિર જયદ્રથ યુક્ત ઇન્દ્રપ્રસ્થ માર્ગ તરફ ચાલ્યા. પહેલા આવેલા જયદ્રથે દુર્યોધનને યુધિષ્ઠિર આવવાના સમાચાર આપ્યા, યુધિષ્ઠિરનું આગમન સાંભળી દુર્યોધન પરિવાર સાથે સામે ગયો. રસ્તામાં યુધિષ્ઠિર અને દુર્યોધન બંને મળ્યા. ધર્મશીલ ધર્મપુત્ર (યુધિષ્ઠિર) બધું સરળ (બરાબર) જુએ છે. કહ્યું છે કે – સરલ ગતિ, સરલ મતિ, સરલ આત્મા, સરલ શીલયુક્ત, સરલ મનુષ્ય સરલ (સહજ)ભાવથી બધું જુએ છે.” યુધિષ્ઠિર આવતાં દુર્યોધને તે નગર ઇન્દ્રપ્રસ્થને તોરણ અને પતાકાથી ઉત્સવયુક્ત બનાવ્યું. ભીષ્મ દ્રોણાચાર્યાદિ વૃદ્ધો સ્નેહથી બંધાયેલા યુધિષ્ઠિરની સાથે આવ્યા. તેઓની સાથે યુધિષ્ઠિરે ઇન્દ્રપ્રસ્થ નગરમાં પ્રવેશ કર્યો. દુર્જનાત્મા ક્રમતિ મુખે મીઠાં દુર્યોધને યુધિષ્ઠિરનો દાન, સન્માનપૂર્વક ભોજનાદિ સર્વ પ્રકારે સત્કાર કર્યો, એટલે કે આગતા-સ્વાગતા કરી. ગાંધારી તનય દુર્યોધને યુધિષ્ઠિર આદિ આવેલા ભાઈઓનું સ્વાગત કરીને પોતાની સભાને બતાવી, સુવર્ણથી ચમકતી દિવાલવાળી, મણિના કળશની શ્રેણીથી શોભતી, હજારો સ્થંભોથી મનોહર, હજારો કાંગરાઓથી યુક્ત, થંભે થંભે પૂતળીઓવાળી, સૌધર્મ સભાથી અધિક અને સ્થાને સ્થાને સુંદર દાનશાળાઓથી શોભતી, કવિઓની શ્રેણીઓથી સ્તવાયેલી, કુકવિઓથી અદુષિત, ક્યારેક નાટકોથી ખચાખચ ભરેલી, ક્યારેક જુગારીઓની મંડળીથી મંડિત, ક્યારેક પોપટ, સારિકાદિના અવાજથી મધુર, નિલમણિયુક્ત તળીયાવાળી, સ્ફટિક મણિથી રચિત દિવાલોથી યુક્ત, પંચવર્ણી, પુષ્પોથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy