SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૧૬) સર્ગ - ૬ અરિહંત પ્રભુના મંદિરમાં અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. સર્વ યાચકોને સન્માનપૂર્વક દાન આપ્યું. મહામંગલપૂર્વક દમયંતીની સાથે શિબિકામાં બેઠેલા, વાજિંત્રોના અવાજ થકી દિશાઓને ગજાવતા નંદન ઉદ્યાનમાં જિનસેન આચાર્યની પાસે આવ્યા. શ્રુતશીલ મંત્રી, બાહુક સેનાની, મહાબલ મંત્રી, કેશિની સખી, ઋતુપર્ણ રાજા અને બીજા પણ રાજાઓ અને રાણીઓથી પરિવરેલો નળ રાજા એ દમયંતીની સાથે જિનસેનાચાર્ય પાસે દીક્ષાને અંગીકાર કરી. હવે નળ રાજર્ષિએ ચોથભત્ત, છઠ્ઠ, અઠ્ઠમ, દશ, બાર, પંદર, માસક્ષમણાદિ કરી આત્માને શોધ્યો. જેનો ઉગ્ર તપ જોઈને બહુ શું કહેવું? પોતાના રાજ્યના હરણનો શંકાશીલ ઇન્દ્ર પણ હૃદયમાં ક્ષોભ પામ્યો. આ પ્રમાણેનો તપ કરવા છતાં પણ નળના મનમાં ક્યારેક કામદેવના વિકારો ઉત્પન્ન થતા હતા. ત્યારે મુનિ તેમને વાળતા, ત્યારે તે અધ્યવસાયથી ક્યારેક અટકી જતા. વિવિધ પ્રકારના આહારના ત્યાગ વડે કરમાઈ ગયેલા અંગવાળા સ્વાધ્યાય, સંયમ અને સમાધિમાં રત રહેલા, નાશ કરી નાંખ્યો છે કર્મમલ જેણે એવા નળ રાજર્ષિ પણ ભાગ્ય વડે સર્વ મહામુનિઓના ઉપરી બન્યા. નૃપઋષિ ગયા પછી શિશિર ઋતુમાં અને સમ્યક સમાધિના પરિણામમાં મગ્ન સાધ્વીઓમાં મુખ્ય પ્રધાન, અસંખ્ય ગુણની એક માત્ર ભૂમિ સમાન દમયંતી પણ દેવપણાને પામી. તે નળ મહામુનિ અનશન વડે મરણ પામી ઇશાનેન્દ્રના કુબેર (ધનદ) થયા. દમયંતી પણ તેની પ્રિયાદેવી થઈ, ત્યાંથી અવીને એકાવતારીપણા થકી બીજા ભવે મોક્ષને પામશે. ઇતિ જુગારના વિષયમાં નળ ચરિત્ર પૂર્ણ. શ્રી વિદુરે કહ્યું : “હે બંધુ ! ધૃતરાષ્ટ્ર ! મેં આ નળચરિત્ર તમારી આગળ કહ્યું. તમારે સારી રીતે વિચારવું જોઈએ. જુગારના વ્યસનથી નળ રાજાએ રાજ્ય ગુમાવ્યું. કૂબરથી કષ્ટને પામ્યા, દમયંતીને હારી ગયા, દરિદ્રની જેમ રખડ્યા, ફરી પણ મહાકષ્ટથી રાજ્યાદિ મળ્યું. આ બલવાનને લજ્જા કરનારું થયું. આથી તમો પુત્ર દુર્યોધનને જુગારથી પાછો વાળો, ફરી વિદુરે કહ્યું: “હું જુગારથી મહાઅનર્થ જોઉં છું. જીતેલી અથવા હારેલી જો આ પૃથ્વીને પાંડવો આપે નહિ તો એવો કોણ બલવાન છે કે એ પાંડવો પાસેથી પૃથ્વીને ગ્રહણ કરી શકે ? કદાચ જીતેલી પણ પૃથ્વી સત્યવચની યુધિષ્ઠિર પાછી આપે, પરંતુ ભીમ અર્જુન કેવી રીતે આપશે ? જીતેલું હોવા છતાં પણ દુર્યોધન જો યુધિષ્ઠિર પાસેથી રાજ્ય ગ્રહણ કરી લે ત્યારે દુર્યોધનની કૂલરની જેમ નિંદા થશે. વળી મને શંકા છે. તેની રાજ્ય લેવાની ઇચ્છા હાથમાં રહેલું ઇન્દ્રપ્રસ્થ પણ ચાલ્યું જશે. પરંતુ નળ જેવા કોઈ જ નથી. જેણે (નળે) જીતેલું - ગ્રહણ કરેલું રાજ્ય ક્રૂર હોવા છતાં પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy