SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ (૧૫૯) પાંડવ ચરિત્રમ્ આપ્યું). તે નૃત્ય બંધ થતાં લોકો પોતાને સ્થાને ગયા. રંગાચાર્ય પણ પોતાના ગૃહે ગયો. ચંદન, અગરથી વિલેપન કરાયેલો હોવા છતાં પણ છોડી મૂકાયેલો તે ભૂંડ રાજાના દેખતાં જ સ્નાન કરાયેલા પાણી ભરાયેલા ખાબોચિયાના કાદવમાં જઈ પડ્યો. તે જોઈને રાજા નળ વિચારે છે, અહો કષ્ટ ! અહો કષ્ટ ! આવા પ્રકારનો કલાધારક હોવા છતાં આવા કાદવમાં મજા માને છે. ફરી તે ભૂંડને સ્નાન, વિલેપનથી પવિત્ર (સુંદર) કર્યો. ફરી તેને તેવી જ રીતે છૂટો મૂક્યો. તે જ ક્ષણે જઈને ફરી તે જ કાદવમાં રમવા લાગ્યો, આળોટવા લાગ્યો. એ પ્રમાણે બે-ત્રણ વાર કરતાં ભૂંડને જોઈને રાજા નળે મુખને વિકૃત કરતાં તે ગામડાના ભૂંડની નિંદા કરી. તે વખતે જ તેના ઉપાધ્યાયે આક્ષેપ પૂર્વક રાજાને કહ્યું : “હે રાજન્ ! આ પરદોષ દર્શન જગતનો સ્વભાવ છે, તમે પણ કામરૂપી કાદવમાં મગ્ન છો, ડૂબેલા છો. ગુરુએ ઉપદેશ દ્વારા વારંવાર વાળવા છતાં પણ કામદેવરૂપ કાદવમાં ડૂબો છો.” એમ કહીને નાટકની સાથે નૃત્યકાર અદશ્ય થઈ ગયો. પછી આકાશવાણી થઈ. . હે નળ : “હું તારો પિતા વીરસેન છું. તમને બોધ આપવા માટે આવ્યો છું. હે વત્સ ! મહામોહને છોડ. મોક્ષમાર્ગને અપનાવ (સેવ). તે સાંભળીને નળ રાજા ઊંઘમાંથી ઉઠેલાની જેમ એકદમ આશ્ચર્ય પામ્યો, પ્રમાદિ એવા પોતાની નિંદા કરવા લાગ્યો.” સંધ્યા, દિવસ, રાત્રિરૂપ ઘડાયુક્ત, સૂર્ય અને ચંદ્રરૂપ બે બલિષ્ટ બળદો દ્વારા કાળરૂપ રેંટ મનુષ્યના આયુષ્યરૂપ પાણીને શોષવા માટે ફરે છે. યૌવન જલતરંગ જેવું ચંચળ છે, જીવન વાદળાની ઘટા જેવું, સ્નેહીજનોનો સંગમ બનાવટી નાટકની ઉપમા જેવો છે. ભવરૂપ સમુદ્રને પાર કરવો, બહુ દુઃખે કરીને તરવા જેવો છે. ઇત્યાદિ ચિંતવતો નળ જ્યાં વૈરાગ્ય વાસિત બને છે, તેટલામાં માળીએ આવીને કહ્યું: “નંદન ઉદ્યાનમાં જિનસેન નામના આચાર્ય આવ્યા છે.” તે સાંભળીને ખુશ થયેલો રાજા માળીને સવા લાખ સુવર્ણ આપીને પરિવાર સાથે રસ્તામાં દાનને આપતો દમયંતી સાથે ગુરુને વંદન કરવા માટે ઉદ્યાનમાં આવ્યો. દમયંતીની સાથે નળે ગુરુને ત્રણ પ્રદક્ષિણા કરી, વંદીને આગળ બેસી દેશનાને તે આ પ્રમાણે સાંભળે છે. હે રાજન્ ! બાહ્ય, અત્યંતર શત્રુઓને જીતવાની ઇચ્છાવાળો તું તે જીતીને વિશ્વમાં એક તું વીરોના માર્ગમાં પ્રસ્થાન કરનારો છો. ઇત્યાદિ દેશનાને સાંભળીને રાજ્યને છોડવાની ઇચ્છાવાળા નળ રાજાએ દમયંતીના પુત્ર પુષ્કલનો રાજ્યાભિષેક તે નિષધ દેશના રાજા નળે કર્યો. જેવી રીતે લગ્ન પ્રસંગે ઉત્સવ કર્યો હતો, તેવી રીતે સંયમ ગ્રહણ વખતે પણ ઉત્સવ કર્યો. તે કહેતાં કહે છે કે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy