SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૧૫૮) સર્ગ - ૬ પામેલો કૂબર ઘરની બહાર નીકળ્યો નહિ. તેથી નળરાજા કૂબરના ઘરે જઈને કૂબરને ઘણું કહીને બાહુ વડે પકડીને ભેટવાપૂર્વક આ પ્રમાણે કહ્યું : “હે બંધો ! તું ખેદ ન કર, આપણે બે ભાઈઓ વીરસેનના પુત્રો છીએ, તું દેવી દમયંતીનો દેવર અને મારો નાનો ભાઈ છે. આથી હું તને ભાઈ હોવાના કારણે અડધું રાજ્ય આપું છું.” એમ કહીને પિતાએ આપેલા રાજ્યનો અડધો હિસ્સો એટલે કે અડધું રાજ્ય આપીને ભાઈ કૂબરને રાજી કરીને નળ રાજા સ્વગૃહે પાછો આવ્યો, તે બધાય લોકોએ અત્યંત પ્રશંસાનું ઘર એવા નળની પ્રશંસા કરી ક્રૂર કર્મ કરનારા કૂબરની વારંવાર નિંદા કરે છે. એ પ્રમાણે અર્ધ ભારતના રાજા નળને રાજ્ય કરતાં મણિ, માણિક્ય, હાથી, ઘોડા, રથ વગેરે મંગલ ભેટશું આવ્યું. (પ્રાપ્ત થયું, મલ્યું) હવે નળ રાજા, દમયંતી રાણી અને તેનો પુત્ર પુષ્કર યુવરાજ, એ ત્રણે જણાએ રાજ્યલક્ષ્મીથી શોભતા ઉત્સવપૂર્વક કોશલા નગરીમાં રહેલા ચૈત્યોના દર્શન કર્યા. એ પ્રમાણે અધ ભરતના રાજાઓથી સેવાતા (સેવાયેલા) ચરણ કમળવાળો મહારાજા નળ સર્વ પ્રકારના સુખને ભોગવનારો થયો. દમયંતીની સાથે સાંસારિક સુખનો અનુભવ કરતાં તેના ઘણા હજારો વર્ષ પસાર થયા, તોપણ કામદેવ સંબંધિ અલ્પ પણ વિકાર ન શમ્યો. આથી તેઓમાં કામદેવની રતિ નિત્ય નવી નવી વર્તે છે, તેઓ દેવ-દેવીની જેમ સુખનો અનુભવ કરતાં દિવસો પસાર કરે છે. એક વખત સભામાં બેઠેલા નળ રાજાને આવેલ પહેરેગીરે આ પ્રમાણે વિનંતી કરી કહ્યું : “સ્વામિન્ ! કોઈક કુશિલવાચાર્ય નામનો નાટ્યકાર આવ્યો છે, તે કહે છે કે હું દેવ (રાજા)ની આગળ નૃત્ય કરું ?” નળે કહ્યું: “સભામાં બોલાવ.” બોલાવેલા નૃત્યકારે રાજાને કહ્યું : “હે રાજન્ ! તમે જગતમાં નૃત્ય કરનારાઓ ઘણા જોયા. મારું પણ એક નૃત્ય જુઓ.” એમ કહીને તેણે એક ભૂંડ પડદા પાછળ લાવી મૂક્યું. તેનું વર્ણન કરતાં કહે છે કે તે ઝાંઝરના ધીર અવાજવાળો, હાર અને બાજુબંધથી શોભતો, મસ્તક ઉપર મુગટ પહેરેલો, ઝુલતા સુવર્ણના કુંડલવાળો, વિવિધ વસ્તુઓથી યુક્ત, મનોહર હાર વડે શોભતા અંગવાળો એવા તેને નૃત્ય કરતાં જોઈને પૂરી સભા ચકિત થઈ. તે શૂકર (ભૂંડ)ને તે નળની સભ માં નૃત્ય કરતાં બધાએ જોયો. સભા આશ્ચર્ય પામી. નળ અને દમયંતી પણ આશ્ચર્ય પામ્યા. ભૂંડને શીખવાડનાર રંગાચાર્યની પ્રશંસા કરતાં નળે એક લાખ સુવર્ણથી પૂજા કરી ભેટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy