SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ (૧૫૭) પાંડવ ચરિત્રમ્ બધા રાજાઓ નળની આજ્ઞાને શિરસાવંદ્ય કરે છે (પાળે છે) મોટા હોવાથી તારો પૂજ્ય છે, પરંતુ રાજા તો વિશેષ પ્રકારે પૂજ્ય છે.” જીતવાની ઇચ્છાવાળા મોટા ભાઈ નળ અહીં આવ્યા છે, તો તું સ્વાગત ન કરવાના વિચાર વગરનો મૂઢ થઈને કેમ બેઠો છે ?” તું ભાઈની સામે જા. પહેલાં લીધેલું રાજ્ય વગેરે બધું પાછું આપી દે. તેમની કૃપાથી તને કંઈપણ ઓછું નહિ થાય (આવે). હે ફૂબર ! તેમનું સામ્રાજ્ય તારું જ છે, એમ જાણ (માન). કારણ કે તમારા બંનેમાં કંઈપણ જુદાપણું નથી. કૂબરે કહ્યું: “હે વિદ્વાન્ તે સારું કહ્યું, કુલભૂષણ નળ મારો મોટો ભાઈ છે, તેની ભક્તિ કરતાં મારી શોભા જ છે. પરંતુ બંને પરસ્પર વિરોધી હોવાથી મિલન ભયનું કારણ થશે (ભયરૂપ બનશે), અવિશ્વાસ કરનારું થાય.” આથી મારૂં એક વાક્ય સાંભળ. પિતાએ મને રાજ્ય આપ્યું નથી, તાકાતથી તે મેં મેળવ્યું નથી, નસીબના જ જોરે જુગાર દ્વારા પ્રાપ્ત થયું છે, મેળવ્યું છે. જુગાર દ્વારા તે મારા હાથમાંથી પોતાના રાજ્યને ગ્રહણ કરે. જેવી રીતે આપ્યું છે, તેવી રીતે ગ્રહણ કરવું તે મહાપુરુષની નીતિ છે. એ રીતિએ ન્યાયવાદી એવા મને હણીને જો રાજા નળ રાજ્યને ગ્રહણ કરશે, ત્યારે મને શું નથી મળ્યું ? તું પણ જલ્દી જઈને મારા કહેવા પ્રમાણે ભાઈની આગળ બધું કહે. પછી રાજા જાતે જ જે ઠીક લાગે તે કરે, એમ કહીને તેને સન્માન આપીને સુવર્ણાદિથી સારી રીતે સત્કારીને, પૂજીને મહાબુદ્ધિશાલી કુબેરે નળના દૂતને રજા આપી. દૂતે પણ નળની પાસે જઈને કૂબરે કહેલું બધું જ કહ્યું. તેના વચનને અંગીકાર કરીને રાજા નળ પણ કૂબર સાથે ફરી જુગાર રમવા લાગ્યો. નળની જેમ કૂબરા રાજ્યાદિ સર્વ હારી ગયો. જેવી રીતે પહેલાં કૂબરે નળને જીત્યો હતો, તેવી રીતે મળે પણ કૂબરને જીત્યો. કહ્યું છે કે – “કોના વડે સ્વીકૃત કરેલું (મેળવેલું) દ્રવ્ય કોનું થાય, દૂત કોને આધિન છે, વેશ્યા કોનામાં આસક્ત હોય છે, લક્ષ્મી કોને છોડતી નથી.” જેમાં પુત્ર અને સ્ત્રી, નાક અને કાન હારી જવાય છે, અન્ય દુઃખ સાથે તુલના કરતાં તે જુગારના જેવું બીજું કોઈ અત્યંત દુઃખ નથી. કૂબર હારી ગયો, નળ જીતી ગયો, પછી સત્ય પ્રતિજ્ઞ નળ રાજાએ સર્વ રાજાઓ સાથે ઊંચા તોરણ, થંભવાળી પોતાની રાજધાની અયોધ્યા નગરીમાં પ્રવેશ કર્યો. તે દિવસથી લઈને લજ્જા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy