SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ (૧૫પો પાંડવ ચરિત્રમ્ રાજ્યથી ભ્રષ્ટ થશે. શેષ બાકી રહેલી રાત્રિએ સ્વપ્ન જોવાથી નળનો સંગમ આજે થશે.” રાજા ભીમે અને દમયંતીએ નળની પરીક્ષાને માટે દધિપર્ણને કહ્યું : “હે દધિપર્ણ ! તમારો આ રસોયો સૂર્યપાક રસોઈ જાણે છે, તેવું સાંભળ્યું છે, તે તમારા કહેવાથી આ સૂર્યપાક રસોઈ બનાવે તે જોવાની અમને ઇચ્છા (ઉત્કંઠા) થઈ છે.” ત્યારે રાજા દધિપણે કહ્યું : “હે હુંડક ! સૂર્યપાક રસોઈ ભીમરાજા અને નળ પત્ની દમયંતીને જમાડે.” દધિપર્ણના કહેવાથી કુષે દાળ, ચોખા, ઓસામણ વગેરે બધું તડકામાં મૂકીને સૂર્યમંત્ર જપીને સૂર્યપાક રસોઈ બનાવીને ભીમ, દધિપર્ણ આદિને પરિવાર સાથે જમાડી. દમયંતી પણ સુવર્ણ થાળમાં તે રસોઈ જમી. તે રસોઈ જમીને ખુશ થયેલી દમયંતીએ ભીમને એકાંતમાં લઈ જઈને કહ્યું કે આ જ તમારો જમાઈ નળ નામનો વીરસેનનો પુત્ર છે, જેની સાથે મેં લગ્ન કરેલા છે. કોઈપણ કારણે આ કુન્જ થયો છે. જ્ઞાનીએ પણ કહ્યું છે, સૂર્યપાક રસોઈ નળ વિના બીજો કોઈપણ જાણતું નથી. દેવે કહ્યું છે કે તારો પતિ બાર વર્ષના અંતે મળશે. તે આ જ બાર વર્ષનો અંતિમ દિવસ છે. ત્રીજી પરીક્ષા પણ છે, જે એના સ્પર્શમાત્રથી મારું શરીર રોમરાજીથી ખીલેલું થશે. ત્યારે દમયંતીએ નળકુન્જને ભોજન માટે બોલાવીને અંગુલી વડે સ્પર્શ કર્યો. તે જ વખતે ખીલેલા રોમયુક્ત શરીરવાળી થઈ અર્થાત્ તેજ વખતે તેના શરીરની રોમરાજી ખીલી ઉઠી. તે જ ક્ષણે દમયંતીએ ભીમની સામે જ નળનો કપડાનો છેડો પકડ્યો અને કહ્યું કે : “તમે નળ છો. મેં અંગુલીના સ્પર્શમાત્રથી જાણ્યું છે.” કુષે કહ્યું : “કામદેવ જેવો નળ ક્યાં ? આંખને વિષના અંજન જેવો હું ક્યાં ?” એ પ્રમાણે કહેવા છતાં પણ દમયંતી નળને ભીમ આદિના જોતાં ઘરના અંદરના ભાગમાં લઈ ગઈ અને દમયંતીના પ્રેમભર્યા વચનોથી પીગળેલા મનવાળા નળને સ્નાન કરાવીને બિલ્બ (બીજોરા) અને દાબડામાંથી વસ્ત્ર અને આભૂષણો કાઢીને પહેરાવ્યા. તેથી પોતાનું મૂળરૂપ પ્રગટ થયું. દમયંતીએ નળને ઓળખી લીધો અને નળ દમયંતીને ભેટી પડ્યો. એ પ્રમાણે બાર વરસને અંતે તે બેઉનું મિલન થયું. ફરી એકબીજા પ્રીતિવાળા બન્યા. દમયંતીને મળીને ફરી નળ દરવાજા પર આવ્યો. ભીમરાજાએ નળને પ્રદક્ષિણા આપી, નમસ્કાર કરી, પોતાના સિંહાસને બેસાડીને હાથ જોડીને કહ્યું : હે ભૂપતે ! આ લક્ષ્મી આ પ્રાણો તમારા જ છે, કંઈ આદેશ આપો, એમ કહીને ભીમ છડીદારની જેમ ઊભા રહ્યા. દધિપર્ણ રાજાએ પણ આશ્ચર્યથી નમસ્કાર કરીને નળને કહ્યું : “હે દેવ ! અજ્ઞાનતાથી પૂર્વે થયેલા મારા અપરાધને ક્ષમા આપો.” કુબ્સ પણાનું વિરૂપ છોડીને નળ પોતાના મૂળરૂપમાં આવી ગયો. બંધનમાંથી મુક્ત થયેલા સર્પની જેમ પ્રકાશવા લાગ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy