SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ ૧૫૧ પાંડવ ચિરત્રમ્ બધું મને સત્ય કહે.” તે બ્રાહ્મણે પણ કહ્યું કે : “હું હરિમિત્ર નામનો બ્રાહ્મણ છું, કુંડિનપુરમાં રહું છું, કુંડિનપુરથી આવ્યો છું, નળને જોવા માટે ભીમરાજાએ મોકલ્યો છે, પરંતુ નળની ક્યાંયથી પણ કોઈપણ જાતની ભાળ મળતી નથી. (સમાચાર મળતા નથી.) તેથી હું પાછો સ્વદેશ જાઉં છું.” કુબ્જે કહ્યું : “હે વિપ્ર ! દમયંતીનું કંઈક (થોડું ઘણું) સ્વરૂપ જાણે છે ?” વિષે કહ્યું : “કંઈક જાણું છું.” ત્યારે કુબ્જે કહ્યું : “તો મને કહે, પછી હરિમિત્રે સૂતેલી દમયંતીને નળના વિયોગથી લઈને ભીમરાજાના ઘ૨આંગણે આવ્યા, ત્યાં સુધીનો સંપૂર્ણ વૃત્તાંત કહ્યો.” તે વૃત્તાંતને સાંભળીને કુબ્જ બહુમાનપૂર્વક સંબંધી એવા બ્રાહ્મણને જાણીને અને પાત્રને જાણીને ભોજન માટે પોતાના મહેલમાં લઈ ગયો અને પછી એને સૂર્યપાક રસોઈ જમાડી. તેને જમાડીને દધિપણે આપેલી લાખ સુવર્ણ મહોર અને અંગ પર પહેરેલા આભૂષણ વગેરે બધું તે બ્રાહ્મણને દક્ષિણામાં આપીને વિદાય આપી. વિદાય આપેલો તે બ્રાહ્મણ કુંડિનપુર આવ્યો. તે બ્રાહ્મણે કુંડિનપુર આવીને ભીમરાજાને અને દમયંતીને પણ સર્વ હકીકત જણાવી. પછી દમયંતીએ ભીમરાજાને કહ્યું : “તે જ નળ છે, જે સકલ કલાને જાણનારો, હાથીને શિક્ષા આપવામાં પ્રવીણ સૂર્યપાક રસોઈ બનાવનારો, એવા પ્રકારના તમારા જમાઈ છે.’” તેના વિના બીજો કોઈપણ આ ભરતક્ષેત્રમાં નથી, એ પ્રમાણે મુનિએ કહ્યું હતું, તે જ આ મારો પ્રાણપ્રિય છે, એ પ્રમાણે દમયંતીએ પિતાની આગળ વારંવાર કહ્યું. પછી પુષ્પદંતિ રોતી રોતી બોલતી, અશ્રુ ભરેલા લોચનવાળી માતાએ ઇષ્ટ (સારા) વચનો વડે આશ્વાસન આપવાનું શરૂ કર્યું. હે વત્સે ! તારા પરના વાત્સલ્યથી મેં તારા પિતાની સાથે આ પ્રમાણે મંત્રણા કરી. આ સૂર્યપાક રસોઈને જાણનાર કુબ્જ નળ જો હોય તો આ શ્લોક સાંભળવાથી સામો આવશે જ. તે માટે એક યુક્તિ વિચારી છે કે, તારા માટે સ્વયંવરની યોજના કરાવી, આવું જાણશે તો નળ જરૂર વિચારશે કે, આ શું ? પ્રભાતે ફરી દમયંતીનો સ્વયંવર મંડપ રચાશે ? પિતાના કહેવાથી નળના શોકથી મુક્ત કરવા દમયંતીનો પ્રભાતે ફરીવાર સુંદર સ્વયંવર મંડપ બનાવવામાં આવશે. એ પ્રમાણે સાંભળીને તે કુખ્ત હોવા છતાં પણ જો નળ હશે તો આકાશમાંથી કબૂતરો કબૂતરી માટે આવે છે, તેમ પ્રિયાને માટે દોડતો આવશે જ. તેથી અશ્વહૃદય મંત્રને જાણીને દૂર દેશાંતરથી અત્યંત વેગથી અહીંયા જો કોઈ આવશે તે નિશ્ચિત નળ જ હશે. દમયંતીએ માતાના મુખથી આ વાત (વિચારણા) સાંભળીને ખુશ થયેલા હૃદયવાળી દુઃખ વિનાની થઈ. હવે ભીમરાજાએ સુસુમારપુરે દધિપર્ણ રાજાના નિયંત્રણ માટે લેખ (પત્ર) લખ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy