SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૧૫૨ સર્ગ - ૬ ચૈત્ર સુદ પાંચમની સવારે ફરી દમયંતીનો સ્વયંવર મંડપ રચાશે. જો તમારે લગ્નની ઇચ્છા હોય તો શીઘ અહીં આવવું. એ પ્રમાણે પત્ર લખીને દધિપર્ણને આપવા માટે દૂતને મોકલ્યો. દૂત પણ ત્યાં જઈને લેખ (પત્ર)ને આપીને રાજા ભીમે કહેલું બધું દધિપર્ણને કહ્યું. તે બધું નજીકમાં રહેલા કુલ્થ (નળે) સાંભળ્યું. દૂતે કહેલું સાંભળીને કુલ્ક (નળ) વિચારે છે. અહો ! શું સંભળાય છે, મોટું આશ્ચર્ય ? કારણ કે દમયંતી ફરી લગ્ન કરે છે તો જે દુર્જય કામદેવ બલવાન લોકોને આ પ્રમાણે હેરાન કરે છે. ઘણા એવા તપથી જેના ભ્રમર અને માથાના વાળો સૂકાઈ (લૂખા થઈ) ગયા છે, રાખોડીથી જેનું શરીર લેપાયેલું છે, જેને લંગોટી પહેરેલી છે, કરચલી પડી જવાથી શરીરની શોભા જેની જતી રહી છે, પગની પાની સુધી જેને જટા આવી છે, એવા વૃદ્ધપણાથી જેનું અંગ વળી ગયું છે, પાપી એવો દુરાત્મા કામદેવ ભૃગુઋષી જેવાને બાલિકામાં આસક્ત બનાવી નચાવે છે, તેવા કામરૂપ નટને ધિક્કાર હો. ધિક્કાર હો કામને ! જે આ પ્રકારના વૃદ્ધોને નચાવે છે, તો બીજાનું તો શું કહેવાય? તો પણ મારા જીવતા મારી પ્રિયા દમયંતી ફરી સ્વયંવર મંડપમાં કેવી રીતે જાય ? એ પ્રમાણે નળ વિચારે છે, તેટલામાં દલિપર્ણ રાજા કુન્જને કહે છે : “હે કુજ ! હવે શું કરીશું?” કુષે કહ્યું : “હે સ્વામિન્ ! શું કહો છો ?” દધિપણે કહ્યું : “સાંભળો, ભીમરાજાએ નળ મર્યે છતે દમયંતીનો ફરી સ્વયંવર મહોત્સવ શરૂ કર્યો છે. તે મહોત્સવ ચૈત્ર મહિનાની સુદ પાંચમે થશે.” તે પંચમી આવતીકાલ જ સવારે છે. ત્યાં સુધી છ પ્રહર બાકી છે. જો છ પ્રહરના અંત સુધીમાં અઢીસો યોજનનું અંતર ગમે તે રીતે કાપવું જોઈએ, ત્યારે દમયંતીની પ્રાપ્તિ થાય. અન્યથા બીજી રીતે દમયંતી મળવી દુર્લભ છે, એવી મારા મનમાં મોટી ચિંતા છે અર્થાત્ એવી મોટી ચિંતા મને સતાવી રહી છે. હે રાજેન્દ્ર ! સર્વ કાર્ય કરવામાં સમર્થ મારા જેવો સેવક હોવા છતાં આવી ચિંતાને કરો નહિ. મને એક રથ આપો અને બે જાતિ ઘોડાઓ આપો. જેથી હું સવારે તમને કુંડિનપુરની ભૂમિ પર પહોંચાડી દઉં. રાજાએ કહ્યું : “હે હુંડિક ! આ એક હજાર રથો છે, તેમાંથી તને જે પસંદ હોય તે રથને લઈ લે તથા શ્રેષ્ઠ એક લાખ ઘોડાઓમાં પહેલા બે ઘોડાઓ બધા લક્ષણથી યુક્ત અને શ્રેષ્ઠ છે, તે લઈને મારી ઇચ્છાને પૂર્ણ કર.” પછી તે હુંડિક રસોયાએ એક શ્રેષ્ઠ રથ લીધો તથા બે મનને ગમતા બે જાતિ ઘોડાઓ લીધા. પછી તે બંનેના કાનમાં હુંડિકે દેવતાએ આપેલો અશ્વકર્ણ મંત્ર કહ્યો. જે મંત્ર આ ભરતક્ષેત્રમાં કોઈપણ બીજાની પાસે નથી. પછી તેનાથી મંત્રિત બે ઘોડા દિવ્ય ઘોડા થઈ ગયા. તે રથમાં છ પુરુષો બેઠા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy