SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ પાંડવ ચરિત્રમ્ ૧૫૦ એક નળ નામનો રસોયો છે, તે હાથીને શિક્ષા આપવામાં હોંશિયાર છે, ચતુર છે. તે સર્વ કલાઓમાં પ્રવીણ છે. તે સૂર્યપાક રસોઈનો જાણકાર છે, પરંતુ કુબ્જ આકૃતિવાળો છે.” તેણે તેને કહ્યું : મને શિખડાવનાર ગુરુ નળ જ છે. પછી ખુશ થયેલા નળ પાસેથી આ બધી કલાઓ શીખ્યો છું. દધિપર્ણ રાજાએ નળ (રસોયો)ને કહ્યું : “તો તું નળના ભાઈ કૂબરની શા માટે સેવા નથી કરતો ?'' તેણે તેને કહ્યું : “કૂબર અત્યંત દુષ્ટ દુર્જન છે, સ્વામિનો દ્રોહ કરનારો છે. જેણે નીતિમાં હોંશિયાર રાજા નળને રાજ્યથી બહાર કાઢી મૂક્યો છે, તેની સેવા કેમ કરૂં ?’’ આથી હું પણ નળની પાછળ દેશોદેશ ભમતાં અહીંયા આવ્યો છું. તમારી સેવા કરીશ, એ પ્રમાણે કહીને તે કુબ્જ મારા સ્વામિની સેવા કરે છે. દધિપર્ણ રાજા પણ તે નળ રસોયાની સાથે જમે છે, એ પ્રમાણે જલપાન, ભોજન, હાથી પર ચડવું, નાટક જોવા વગેરે સાથે જ કરે છે. વધારે શું કહેવું ? બંને જણા એક જ હોય તેમ રહે છે. આ પ્રમાણેના વચન સાંભળીને દમયંતીએ ભીમરાજાને વિનંતી કરી, હે તાત ! આ ભરતક્ષેત્રમાં મારા પતિ વિના બીજો કોઈપણ સૂર્યપાક રસોઈને જાણતો નથી. એમ પહેલાં મુનિએ કહેલું અને મુનિએ કહેલું તે સત્ય જ છે ખોટું નથી, તો તેને જોવા માટે કોઈક પુરુષને મોકલો તે કુબ્જ કેવો છે ? તેનું અંગ કેવું છે ? તેનું રૂપ કેવું છે ? પોતાની જાતને છૂપાવનારો નિશ્ચિત મારો પતિ જ છે. બીજો કોઈપણ તેના જેવો નથી. આથી હે તાત ! તો ત્યાં કોઈકને મોકલો. ત્યારે દમયંતીના કહેવાથી ભીમરાજાએ તે જ હરિમિત્ર બ્રાહ્મણને નળને જોવા માટે મોકલ્યો. નળના આક્ષેપવાળા બે શ્લોકો શીખવાડીને વિદાય કરેલો હરિમિત્ર ક્રમે કરીને જ્યાં તે નળ કુબ્જ રહ્યો છે, ત્યાં પહોંચ્યો. ત્યાં તે દમયંતીએ વર્ણવેલા તેવા તે નળને જોઈને રિમિત્ર ચિંતવે છે, વિચારે છે, તે આ પ્રમાણે : દિવ્ય રૂપવાળો નળ ક્યાં ? અને આ રસોયો કુબ્જ ક્યાં ? ક્યાં સરસવનો દાણો અને ક્યાં મેરુ પર્વત ? ક્યાં આગીયો અને ક્યાં સૂર્ય ? તો પણ નળની પરીક્ષા કરવા માટે ગોખેલા બે શ્લોકો બોલ્યો. તે સાંભળીને કંઈક ભીની આંખવાળા કુબ્જને જોઈને ફરી નળની નિંદાવાળા બે શ્લોકો બોલ્યો ઃ તે આ પ્રમાણે : : દયા વિનાનો, લજ્જા વિનાનો, સત્ત્વ વિનાનો, દુર્જનોમાં અગ્રેસર છે. જેણે સૂતેલી પ્રિયાને તજી દીધી છે એવો નળ. સ્નેહવાળી, વિશ્વાસવાળી, સતી સ્ત્રીને આશ્રય વિનાના નિર્જન વનમાં સૂતેલી એકલી મૂકી જતાં તે બળી ભસ્મસાત્ કેમ ન થયો ? ન આ પ્રમાણેના બે શ્લોકો સાંભળીને અશ્રુવાળી આંખે કુબ્જ હરિમિત્ર વિપ્રને કહ્યું : “અહો વિપ્ર ! તેં બે શ્લોકો સુંદર કંઠથી ગાયા, આથી તું કોણ છે ? ક્યાં રહે છે ? તે જેવું હોય તેવું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy