SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ (૧૪૯) પાંડવ ચરિત્રમ્ દમયંતીના આગમનની વધામણીથી ખુશ થયેલા ભીમરાજાએ હરિમિત્ર બ્રાહ્મણને પાંચસો ગામો ભેટ આપ્યા. વળી ખુશ થયેલા તેણે કહ્યું: “નળ આવી જશે ત્યારે તને અર્થે રાજ્ય આપીશ, એમ કહીને સંતોષ પમાડ્યો.” ત્યાંથી તે પણ પોતાના સ્થાને ગયો, એ પ્રમાણે દિવસો પસાર થાય છે. એક દિવસ નળના દુ:ખથી પીડિત દમયંતીને જોઈને ભીમરાજાએ કહ્યું: “હે પુત્રી ! હવે તને શી ચિંતા ? તું રાજ્યની સ્વામિની છો.” ત્યારે દમયંતીએ કહ્યું : “હે રાજેન્દ્ર ! હે તાત ! તમારા જમાઈ વિના મારા જીવવાથી શું? વીરસેન પુત્ર વિના મારે રાજ્યથી શું ? તેના વિના બધું શૂન્ય જેવું છે.” કેટલાય દિવસો ગયા તો પણ તે નળના ક્યાંય પણ સમાચાર સાંભળવામાં આવ્યા નથી. આજ પણ તે જીવે છે કે મરેલો છે, એ પ્રમાણે મનમાં ચિંતા થાય છે. હવે હું નળની ચિંતા કરીશ, તું સ્વસ્થ થા. એમ કહીને ભીમરાજાએ પોતાના સેવકોને બોલાવીને આ પ્રમાણે કહ્યું : હે સેવકો ! જે નળનો વૃત્તાંત જાણીને લાવશે, તેને હું એક હજાર ગાયો આપીશ.” એમ કહીને પોતાના બધા સેવકોને બધી દિશામાં મોકલ્યા. ત્યારે દમયંતીએ નળના સંકેત સંબંધી ચિત્ત ક્ષોભિત કરનારા એવા બે શ્લોકો તે સેવકોને શીખવાડ્યા. તે આ પ્રમાણે :વસ્ત્ર ફાડીને વનમાં સૂતેલી મને તજીને તમે વનમાં નાસી ગયા છો. મારા હૃદયમાંથી તમે જાઓ, તો તમારું પરાક્રમ સાચું માનું. હે પ્રિય ! સ્ત્રી પરથી અને મિત્ર પરથી તમારી મમતા જતી રહી છે. હે દેવ ! જુગાર ખેલવાથી તમે યોગીની જેમ નિર્લોભી રહ્યા છો. એ પ્રમાણે બે શ્લોક વડે સંકેતો (નિશાની)ને ધારીને ભીમરાજાના સેવકો ચારે દિશામાં નળને શોધવા માટે પ્રવૃત્ત થયા. પછી તે ભીમ સેવકો ગામ, આકર, પુર વગેરેમાં બધેય ભમીને જોયું. પરંતુ ક્યાંય નળનું નામ માત્ર પણ સાંભળવામાં ન આવ્યું. ત્યારે પાછા આવેલા તે સેવકોએ ભીમરાજાને કહ્યું : “તે વખતે ત્યાં દમયંતીએ પણ તે સાંભળ્યું.” તે આ પ્રમાણે : “હે રાજન્ ! અમે તમારી આજ્ઞાથી બધી દિશાઓમાં નળને શોધ્યા, પરંતુ ક્યાંય પણ નળના અંશમાત્ર પણ સમાચાર મળ્યા નથી. તે સાંભળીને દમયંતી ચિંતવે છે, તો નળે રૂપ પરિવર્તન કર્યું લાગે છે. તે આ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા શુદ્ર જાતિમાં મૂળ રૂપને છોડીને નવું રૂપ ધારણ કર્યું હશે.” એ પ્રમાણે કાળ જાય છે. એક દિવસ સુસુમારપુરથી સ્નેહને માટે દધિપર્ણ રાજાએ ભીમરાજા પાસે દૂત મોકલ્યો, તે દૂતે વાત કરતાં ભીમરાજાને આ પ્રમાણે કહ્યું: “અમારા સ્વામિની પાસે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy