SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૧૪૮) સર્ગ - ૬ દેવલોકમાં વિમાનાધિપતિ મોટી ઋદ્ધિવાળો દેવ થયો છું, તે હું પિંગલ નામનો દેવ છું. જો તે ત્યારે મને દીક્ષા ન અપાવી હોત તો ચોરીના પાપથી નરકે ગયેલા એવા મારી કઈ ગતિ (દશા) થાત અને આ દેવ સંપત્તિ ક્યાં મળત? હે માત ! આ બધું તારી કૃપાનું ફળ છે. જેથી કરીને હું આવા પ્રકારની દેવલક્ષ્મીને પ્રાપ્ત કરનારો દેવ થયો છું. હવે કહે, હું તારા ઉપર શું ઉપકાર કરૂં ? તેણે કહ્યું : “જો મારા હૃદયમાં જિનેશ્વરે કહેલો ધર્મ છે, તો મારી પાસે બધું છે. તું પણ જિનધર્મનું સારી રીતે પાલન કર. જેથી તારી પાસે ફરી ઉત્તરોત્તર ઋદ્ધિ વૃદ્ધિ પામે.” એ પ્રમાણે કહીને દમયંતી મૌન રહી. દેવ બોલ્યો : “દેવનું દર્શન નિષ્ફલ ન હોય, એમ કહીને સાત ક્રોડ સોનું વરસાવીને તે દેવ સ્વસ્થાને ગયો.” તે ધર્મનું ફલ જાણીને રાજા ઋતુપર્ણ સમ્યક્ત મૂલ બારવ્રત રૂપ જિનધર્મને સેવે છે. હવે એક દિવસ અવસર પામીને હરિમિત્રે કહ્યું : “હે રાજન્ ! દમયંતી અહીંયા ઘણા વખતથી રહી છે, તમારી આજ્ઞા હોય તો પિતાના ઘરે જાય ? એની માતા પુષ્પદંતી છે. પિતા ભીમ રાજા છે, એના પ્રવાસના સમાચાર સાંભળવા મળ્યા ત્યારથી દુઃખે કરીને તેઓ રહ્યા છે.” પછી રાજા ઋતુપર્ણ ચંદ્રયશા સાથે દમયંતીને સારી રીતે ત્યાં વાહનમાં બેસાડીને મોટી સેના સાથે કુંડિનપુર તરફ મોકલી. ભીમ રાજા પુત્રી દમયંતીને આવતી સાંભળીને હર્ષના અશ્રુથી ભીના નેત્રવાળો, સૈન્યથી પરિવરેલો, પુષ્પદંતિ અને પુત્રાદિ સહિત કેટલીક ભૂમિ સુધી સામે ગયો. દમયંતી પણ પિતાને સામે આવતા જાણીને દૂરથી વાહનને છોડી દીધું. દમયંતી એકદમ દોડીને પિતાના પગમાં પડી. પછીથી માતા પુષ્પદંતીને કંઠે લાગીને દમયંતી જોરજોરથી રડવા લાગી. દમયંતીને મળ્યા પછી ભીમ રાજાએ પુત્રીને આગળ કરીને મહોત્સવ સહિત કુંડિનપુરમાં પ્રવેશ કર્યો (કરાવ્યો). પુત્રીના આગમનથી હર્ષિત થયેલા ભીમરાજાએ જિનચૈત્યમાં અષ્ટાહ્નિકા મહોત્સવ કરાવ્યો. હવે એક દિવસ ભીમરાજાએ દમયંતીને પૂછ્યું : “શું શું બન્યું ? નળે શું શું કર્યું ? પછી દમયંતીએ જુગારથી લઈને જ્યાં સુધી વનમાં તજી દીધી. પછી તાપસપુરે સાત વર્ષ રહી પછી અચલપુરે રહી. ત્યાં માસી ચંદ્રયશા મળી. ત્યાં હરિમિત્ર નામનો બ્રાહ્મણ મળ્યો. તે મને અહીંયા લઈ આવ્યો. એ પ્રમાણે વૃત્તાંત કહ્યો.” હવે ભીમરાજા બોલ્યો : “હે પુત્રી ! હવે તું મારા મહેલમાં રહીને ધર્મની સાધના કર. ધર્મના પ્રભાવથી અહીંયા જ તારા પતિ નળ સાથે તારું મિલન થશે. હું પણ આજથી કંઈક ઉપાય કરીશ કે જેથી ક્યાંયથી પણ આવીને તારો પતિ તને મળશે, એ પ્રમાણે કહીને તે દમયંતીને પુષ્પદંતીની પાસે રાખી.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy