SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ (૧૪૭). પાંડવ ચરિત્રમ્ ઘણા દિવસો પછી હું અહીંયા આવ્યો છું.” એમ કહીને દમયંતીના ચરણ કમલમાં નમ્યો. આજથી લઈને સર્વ તારો સ્વજન વર્ગ તારા દર્શનથી અને તારા સમાચાર સાંભળવાથી જીવિતને પ્રાપ્ત કરશે. પછી તે બ્રાહ્મણે ચંદ્રયશાની પાસે આવીને ચંદ્રયશાને વધામણી આપી. “હે દેવી ! ચંદ્રયશા રાણી, દમયંતીના દર્શન થવાથી હું તમને વધામણી આપું છું.” તેણીએ કહ્યું : “હે વિપ્ર ” દમયંતી ક્યાં છે !” તેણે કહ્યું : “જે તમારી દાનશાલામાં દાન આપે છે, તે જ દમયંતી છે. તે સાંભળીને ચંદ્રયશા તે જ ક્ષણે જ્યાં દમયંતી છે ત્યાં દોડી ગઈ.” દમયંતીને પ્રેમપૂર્વક આલિંગન આપીને (ભેટીને) અશ્રુથી ભીંજાયેલા વદનવાળી ચંદ્રયશા બોલી : “હે પુત્રી ! તે આટલા સમય સુધી જાતને કેમ છૂપાવી રાખી ? મારી આગળ તેં મને કેમ કહ્યું નહિ ? હું શું તારૂં કથન (વચન) સાંભળવા માટે યોગ્ય નથી ? તે જાતને કેમ છૂપાવી છે ?” તારો દોષ શું? મારો જ દોષ છે. કારણ કે, મારા ઘરમાં આવેલી હોવા છતાં પણ મેં તને ન ઓળખી અર્થાત્ હું તને ઓળખી ન શકી. હા ! હા ! ધિક્કાર હો મને ! પહેલાં જોઈ હોવા છતાં પણ ઓળખાઈ નહિ. હે વત્સ! તે આટલા કાળ સુધી મને કેમ ઠગી ? માસી પણ માતા સમાન જ છે, હે પુત્રી ! નળે તને કેમ તજી દીધી ? અથવા તે નળને કેમ ત્યાગી દીધો ! સૂર્યથી પણ અધિક પ્રકાશ આપતું તારા લલાટમાં રહેલું તિલક ક્યાં ? દમયંતીએ પણ ઘૂંકને હાથમાં લઈ પોતાના લલાટે ઘસ્યું. તેથી તે સૂર્યના તેજને હરનારૂં લલાટમાં તિલક પ્રકાશમાં આવ્યું. પછી ચંદ્રયશા રાણી તેનો હાથ પકડીને મહેલમાં લઈ જઈને સુગંધી પાણી વડે તેને સ્નાન કરાવીને બે સફેદ વસ્ત્ર પહેરાવીને તે તે પ્રકારના પ્રેમ ઉપચાર વડે તે દમયંતીને આનંદ કરાવે છે. તે દમયંતીનો હાથ પકડીને રાજાની પાસે લઈ આવી. રાજાએ પણ તે દમયંતીને રાજ્યથી ભ્રષ્ટ આદિ વૃત્તાંતને પૂક્યો. દમયંતીએ પણ પૂર્વે અનુભવ કરેલી પોતાની ચૂતક્રીડા આદિ સર્વે વાત કહી સંભળાવી. તેથી શોકથી વ્યાકુલ બનેલી, રોતી દમયંતીને તેના જ ઉત્તરવસ્ત્રથી આંખમાં આવેલા અશ્રુઓ લૂંછતા કહ્યું “હે વત્સ ! ખેદ ન કર. કર્મથી બલવાન કોણ છે ?” એ પ્રમાણે તે બધા ચંદ્રયશા રાણી દમયંતીથી લઈને સ્વજનોની વાતો કરતાં સૂર્યાસ્ત થઈ ગયો. પરંતુ દમયંતીના તિલકના પ્રભાવથી દમયંતી જ્યાં રહી છે, તે સ્થાનમાં પ્રકાશ પથરાઈ ગયો અને હાથ વડે તિલક ઢાંકતા અંધકાર છવાઈ ગયો. વળી હાથ દૂર કરતાં તિલકના ઉદ્યોત વડે પ્રકાશ પથરાઈ ગયો. તે જોઈને રાજા આશ્ચર્ય પામ્યો. તે રાત્રિને વિશે તેજથી ચમકતો કોઈકે દેવ દમયંતીને નમસ્કાર કરીને આગળ બેસીને તેને આ પ્રમાણે કહ્યું : “હે દેવી ! દમયંતી પિંગલ નામનો જે ચોર હતો તે હું છું.” જે તે પહેલાં મને છોડાવ્યો હતો અને મરણ (વધ)થી બચાવ્યો હતો અને વળી દીક્ષા અપાવી હતી, તે વિહાર કરતો ફરી તાપસપુર પહોંચ્યો અને રાત્રિને વિષે સ્મશાનમાં કાઉસ્સગ્નમાં રહ્યો હતો, ત્યાં દાવાનળે ઘેરી લીધો. સમ્યમ્ આરાધના કરીને તે અગ્નિથી શરીર બળી ગયું અને ત્યાંથી સૌધર્મ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy