SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ [૧૪૬ સર્ગ - ૬ ગયો. નળ સંપૂર્ણ રાજ્ય વગેરે હારી ગયો. તેથી કૂબરે નળને પોતાના દેશમાંથી કાઢી મૂક્યો. નળ દમયંતીને સાથે લઈને નીકળેલો હોવા છતાં પણ વનમાં દમયંતીને સૂતેલી એકલી મૂકીને ક્યાંય પણ જતો રહ્યો છે. આ બધું ભીમ રાજાએ સાંભળ્યું. ભીમ રાજાએ પોતાના ઘરમાં રહેલા દેવની પૂજા કરનારા નામે હરિમિત્રને તે નળ અને દમયંતીને શોધવા માટે મોકલ્યો. તે અહીં-તહીં ફરતો ફરતો અચલપુરે આવ્યો, ત્યાં રાજા ઋતુપર્ણને નમીને રાણી ચંદ્રયશાની પાસે ગયો. ત્યાં તેમને) આશીર્વાદ આપીને જ્યાં સામે બેસવા જાય છે ત્યાં ચંદ્રયશા રાણીએ પૂછ્યું : “મારી બહેન પુષ્પદંતિ ક્ષેમકુશળ છે ને ?” હરિમિત્રે કહ્યું : “રાજા અને રાણીની સનાતની લક્ષ્મી ક્ષેમકુશળ છે. પરંતુ રાજા અને રાણીને નળની અને દમયંતીની ચિંતા થાય છે.” ચંદ્રયશા રાણીએ કહ્યું : “નળ અને દમયંતીની ચિંતા શી છે?” હરિમિત્રે કહ્યું : “સાંભળો, નળ કુબેરની સાથે જુગાર રમ્યો અને રાજ્ય હારી ગયો. દમયંતીને આગળ કરીને (લઈને) નગરથી બહાર જતો રહ્યો. દમયંતીને રસ્તામાં એકલી મૂકીને ક્યાંય પણ જતો રહ્યો છે. તે ક્યાં છે, તેની ખબર મળતી નથી. તેઓની ક્યાંય પણ કોઈ પણ વાતને કરતું નથી તેઓની વાત સાંભળીને રાજા અને રાણી મૂર્છાને પામ્યા. અમારા રાજા અને રાણીને આ દુઃખ છે.” આ પ્રમાણે જાણીને ચંદ્રયશા પણ તે વાત સાંભળીને અત્યંત રડી પડી. પૂજારી હરિમિત્રે કહ્યું: “હું પણ તેઓને શોધવા માટે ભીમ રાજાની આજ્ઞાથી દેશદેશમાં ભ્રમણ કરતો, દરેક વન, દરેક ગામ ફરતો અહીંયા આવ્યો છું. પરંતુ તેઓનું નામમાત્ર પણ સાંભળવામાં આવ્યું નથી. તેથી મને અહીં-તહીં ભ્રમણ કરતાં કેવળ ક્લેશના ફલરૂપ જ થયું છે.” હરિમિત્રના મુખથી આ નળ અને દમયંતીની ફ્લેશ (દુઃખ) ઉપજાવનારી વાત સાંભળીને ચંદ્રયશા દુઃખના ભારથી ભરેલી દુઃખી થયેલી અત્યંત રૂદન કરવા લાગી. અહો ! નળે આ શું કર્યું ? જે સૂતેલી, દીન, એhી દમયંતીને વનમાં મૂકીને ક્યાં ચાલ્યો ગયો ઇત્યાદિ નળની નિંદા કરતી ચંદ્રયશા રાણીને સાંભળીને તેના સેવકો પણ તેવી જ રીતે રૂદન કરવા લાગ્યા. તે રાજ્યના બધા લોકોને રડતા જોઈને ભૂખ્યા બ્રાહ્મણે ચંદ્રયશા રાણીને કહ્યું : “અહો ! તમે બધાય નળના દુઃખથી દુઃખી થયેલા રડો છો, પરંતુ હું તો ભૂખ્યો છું.” ચંદ્રયશા રાણીએ કહ્યું : “હે વિપ્ર ! તું દાનશાળાએ જા, તને તે દાનશાળામાં ભોજન મળશે. તેથી ભૂખથી અંદર જતી રહી છે કુક્ષિ જેની એવી તે બ્રાહ્મણ રાજાના મહેલથી નીકળીને ભોજનની ઇચ્છાથી તે દાનશાળાએ ગયો.” તે દાનશાળામાં દાન આપવામાં લાગેલી તે દમયંતીને જોઈને હર્ષથી ખુલી ગયેલા નેત્રવાળા હરિમિત્ર બ્રાહ્મણે કહ્યું “હે દમયંતી ! તારા માટે હું ઘણાં ગામ, આકર, પુર, નગરો ભમી ભમીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy