SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ (૧૪૫ પાંડવ ચરિત્રમ્ પકડી લીધો. તે દાબડાને લઈને મારા વધનો આદેશ આપ્યો. તે પુરુષોથી લઈ જવાતો હું સ્વામિની એવી તમારા વડે હું છોડાવાયો. આથી તે સ્વામિની ! હું કેવી રીતે દેવા વિનાનો બનું? જે પ્રમાણે આ જગતના લોકો કાદંબનીના ઋણ વિનાના બન્યા.” હે દેવી ! જ્યારે તું તાપસપુરથી બહાર નીકળી ત્યારે વસંત સાર્થવાહે તને અહીં-તહીં જોઈ નહીં તેથી ત્રણ દિવસ દુઃખથી ભોજન ત્યાગી દીધું. પછી યશોભદ્ર ગુરુથી બોધ પામેલ અને અન્ય લોકોથી બોધ પામેલા એવા તેણે ભોજન કર્યું. પછી તે વસંત ભટણું લઈને કોશલ દેશના રાજા કૂબરની સેવા કરી ઘણા મણિ, માણેકરૂપ ભટણા વડે ખુશ થયેલા છત્ર, ચામર આદિ આપી અને મસ્તક પર તિલક કરીને છત્ર, ચામર વડે શોભતા તે નગરના લોકોએ ઇચ્છિત વસંતશ્રીશેખર એ પ્રમાણે નામ કરીને વાજિંત્રોના અવાજથી દિશાઓને પૂરી, બંદીજનો થકી સ્તુતિ કરાતો તેઓને દાન આપતો પોતાના નગરે આવ્યો. તે વસંતશ્રીશેખર તે નગર(પુર)નું પાલન કરતાં રાજ્ય કરે છે. વળી તે ચોરને દમયંતીએ કહ્યું : “હે ધર્મપુત્ર ! હમણાં તું દીક્ષાને અંગીકાર કર અને આત્માનું હિત સાધ ! જો તું નસીબ યોગે જીવતો છોડાયો છે-છૂટ્યો છે. આથી ધર્મને કર.” કહ્યું છે કે :- રાજ્ય, સારી સંપત્તિ, ભોગો, સુકુલમાં જન્મ, સુંદર રૂપ, પંડિતપણું, આયુષ્ય, આરોગ્ય આ ધર્મનું ફલ જાણવું. વૃક્ષની બહારની શોભાનું કારણ ભૂમિની અંદર રહેલું તે વૃક્ષનું મૂળ છે. તેમ સંપદાવિભવનુ કરણ પૂર્વકૃત ધર્મરૂપ મૂળનું કારણ છે. આરોગ્ય, સૌભાગ્ય, ધનાઢ્યપણું, નાયકપણું, આનંદ, હંમેશા જય મળવો, વાંછિતની પ્રાપ્તિ થવી આ પૂર્વે કરેલા ધર્મનું જ ફલ છે. ઇત્યાદિ દમયંતીના મુખથી ધર્મના મહિમાને સાંભળીને પિંગલ ચોરે મુનિની પાસે જિનેશ્વર પ્રભુએ જણાવેલ દીક્ષા આપવા માટે પ્રાર્થના કરી. મુનિએ પણ તેને યોગ્ય જાણીને જિનમંદિરે લઈ જઈને દીક્ષા આપી. પછી બધાય સાધુ વિહાર કરી ગયા. દમયંતી તેજ દાનશાળામાં ચંદ્રયશા રાણીની આજ્ઞાથી દાન આપી રહી છે. કહ્યું છે કે – “સંપત્તિમાં નિયમ, શક્તિમાં સહનશીલતા, યૌવનમાં વ્રત, દરિદ્રપણામાં દાન, થોડું પણ મોટા લાભને માટે થાય છે.” જેના ઘરથી નિરાશ થઈને પાછો ફરેલો અતિથિ તેમને પાપ આપીને પુણ્ય લઈને જાય એ પ્રમાણે જાણતી દમયંતી બધાયને દાન આપે છે. આ બાજુ એક દિવસ ભીમ રાજાએ કોઈની પણ પાસે સાંભળ્યું કે, નળ અને કૂબર બંને જુગાર રમ્યા. તે જુગારમાં કૂબર જીતી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy