SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ પાંડવ ચિરત્રમ્ ૧૪૪ પિતાના ઘરે જતી એવી મને માર્ગમાં મારો પતિ એકલી સૂતેલી મૂકીને બીજા દેશમાં ચાલી ગયા છે. તેથી હું એક ગામથી બીજે ગામ ભટકતી અહીં આવી છું. તમારી દાસી અહીંયા મને લાવી છે.’’ હવે ચંદ્રયશા રાણી નગરની બહાર પુણ્યના કારણભૂત દાનશાલામાં દાન આપે છે, તે જાણી દમયંતીએ કહ્યું : “હે માત ! તમારી આજ્ઞા હોય તો હું દાનશાલામાંદાનને આપું ?” ત્યારે ચંદ્રયશાના આદેશથી દમયંતી દાનશાલામાં ગરીબ માણસો આદિને દાન આપે છે. એક વખત દમયંતીએ ઢોલ વગાડતા વગાડતા લઈ જવાતા વિકટ બંધનથી બંધાયેલા એક મહાચોરને જોયો. ચોર પણ દમયંતીને જોઈને, હે દેવી ! મારૂં રક્ષણ કરો, એમ કહીને દાનશાલાની પાસે નીચે પડ્યો. દમયંતીએ કહ્યું : “હે રક્ષક ! આ ચોરને છોડ, છોડ.' કોટવાળે કહ્યું ઃ આને ચંદ્રવતીનો રત્નનો દાબડો ચોર્યો છે. તેથી આને રાજાની આજ્ઞાથી કર્કશ ઢોલ વગાડવાપૂર્વક વધની ભૂમિએ લઈ જઈએ છીએ. ત્યારે તેણીએ કહ્યું : “હે રક્ષક ! એને છોડ, છોડ, હું રાજાને ઉત્તર આપીશ.'' એ પ્રમાણે કહેવા છતાં પણ જ્યાં તે છોડતો નથી, તેટલામાં તેણીએ સતીપણું સંભળાવવાપૂર્વક ત્રણ વાર પાણીની અંજલિ ભરીને પાણી છાંટ્યું. તેના સતીપણાના પ્રભાવથી તેના બંધનો શીઘ્ર તૂટી ગયા. તેથી બધા લોકોનો મોટો હર્ષ-કોલાહલ વ્યાપ્યો. તે કોલાહલને સાંભળીને રાજા ત્યાં આવ્યો. તે દમયંતીનું કૌતુક (ચમત્કાર) જોઈને હર્ષિત થયેલો રાજા આ પ્રમાણે બોલ્યો : “હે વત્સે ! સજ્જનોનું પાલન અને દુર્જનોનો નિગ્રહ રાજાનો આ ધર્મ છે. આ ચોર દુષ્ટ-દુર્જન છે. આ નિગ્રહને યોગ્ય છે. આથી મેં તેને પકડાવ્યો છે. રાજા પકડવા યોગ્યને પકડે છે, આથી નિગ્રહ કરતાં મને રોક નહિ.' હે તાત ! જો મારા જોતાં પણ આ ચોર મરાય તો અરિહંત ધર્મને જાણનારી (ઉપાસિકા) એવી મારામાં દયાપણું કેવું ? કેવી રીતે કહેવાય ? તેનો આગ્રહ જાણીને રાજાએ તે ચોરને છોડી દીધો.’’ મહાસતીઓ રાજાને પણ માનનીય હોય છે (તેમનું કહ્યું માને છે). ચોર બોલ્યો : ‘‘હે દમયંતી ! જીવિત દાન અપાવવાથી તું મારી માતા સમાન છે. કારણ કે તેં મને વધથી બચાવ્યો છે.’’ દમયંતીએ પૂછ્યું : “તું કોણ છે.” તેણે કહ્યું : “વસંત સાર્થવાહનો હું પિંગલ નામનો દાસ છું. મેં કર્મને વશ થવાથી તેના જ ઘરે ખાતર પાડીને ધનને ચોર્યું. ધનને હરીને નાસી ગયો, રસ્તે ચાલતાં ચોરોએ સર્વ લૂંટી લીધું. સર્વસ્વ લૂંટાઈ ગયેલો હું અહીંયા આવ્યો. અહીંયા રાજસેવા કરતાં વારંવાર રાજગૃહમાં પ્રવેશ કરતાં એક દિવસ રોક્યા વગરનો એવો હું રાજમહેલમાં રાજપુત્રી ચંદ્રવતીનો આભૂષણનો દાબડો જોઈને ચારે બાજુ કોઈ જોતું ન હોવાથી મેં તે લઈ લીધો. તે દાબડાને કાખમાં નાંખતા કોઈપણ રીતે રાજા જોઈ ગયો. તેથી મને સેવકોએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy