SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ ૧૪૩ પાંડવ ચરિત્રમ્ છે, તેથી અહીં-તહીં ભમતી માર્ગ ભૂલેલી અહીં આ વડવૃક્ષ પાસે આવી. હવે તું મારો ધર્મબંધુ છે, હમણાં મને તાપસપુરનો રસ્તો બતાવ.” તે મુસાફરે કહ્યું: “હે બાલે ! જ્યાં સૂર્યાસ્ત થાય ત્યાં તું જા. તે તાપસપુરનો માર્ગ છે, એ માર્ગથી જા. તું તાપસપુરને પ્રાપ્ત કરીશ (પહોંચીશ).” મારે જવાની ઉતાવળ છે, માટે તેને માર્ગ બતાવવા આગળ આવવા સમર્થ નથી. દમયંતીએ કહ્યું : “તું ક્યાંથી આવે છે ?” તે પુરુષે કહ્યું : “હું જલ માટે સાર્થથી આવ્યો છું. જો તું અમારી સાથે સાથે આવતી હોય તો તેને કોઈપણ રહેવાના સ્થાને લઈ જઈશ. હવે તે દમયંતી તેની સાથે સાર્થમાં પહોંચી. તે મુસાફરે સાર્થપતિને તેનો બધો પૂર્વે કહેલો વૃત્તાંત જણાવ્યો. તે વૃત્તાંત સાંભળીને સાર્થવાહે તેને પુત્રીની જેમ સન્માન આપીને સ્નાનાદિ વડે સત્કારીને રાત્રિએ ત્યાં રહીને પ્રાતઃસમયે વાહનમાં બેસાડીને રસ્તે ચાલતાં અચલપુરને પ્રાપ્ત કર્યું. ત્યાં અચલપુરના દરવાજે વાહનમાંથી ઉતારીને એને છોડી દીધી.” હવે દમયંતી માર્ગથી થાકેલી તૃષાથી વ્યાકુલ નગર(પુર)ના દ્વાર પર રહેલી વાવડીના પાણીમાં સ્નાન કરવા અને પાણી પીવા માટે તેમાં પ્રવેશીને જ્યાં સ્નાન કરે છે, તેટલામાં તેના ડાબા પગને અંગૂઠો ઘોએ પકડ્યો. તેથી તેનો કરૂણ ધ્વનિ સાંભળીને પણિહારીઓએ તે ગોઘા (ઘા)ને હાંકી કાઢી. પછી સ્વસ્થ મનવાળી દમયંતી સ્નાન કરી જલને પીને સ્વેચ્છાએ વાવડીથી બહાર આવી. આ બાજુ તે નગરમાં ઋતુપર્ણ રાજા વસતો હતો. તેને ચંદ્રની ઉપમા જેવી યશવાળી ચંદ્રયશા નામની પટ્ટરાણી હતી, તે દમયંતીની માસી થતી હતી. તેની દાસીઓ જલને માટે આવી હતી, તેણીનું (દમયંતીનું) રૂપ જોઈને મોહિત થયેલી તેઓએ પોતાની સ્વામિની ચંદ્રયશાને કહ્યું. તે ચંદ્રયશા રાણીએ તે દાસીને દમયંતીને બોલાવવા મોકલી. દાસીએ જઈને કહ્યું : “હે શુભે ! ચાલ, અમારી સ્વામિની ચંદ્રયશા પુત્રી ઉપરના પ્રેમની જેમ તને બોલાવે છે.” વારંવાર કહે છે, જલ્દી આવ, જલ્દી આવ. એમ કહીને તેનો હાથ હાથમાં લઈને (પકડીને) સૌમ્ય વચનોથી આશ્વાસન આપ્યું. પછી તેઓથી પરિવરેલી દમયંતી રાજમહેલ તરફ ચાલી. દમયંતી માર્ગમાં ચાલતાં ચિંતવે છે. આ ચંદ્રયશા મારી માસી છે. પરંતુ આ મને બાલ્યવયમાં જોયેલી હોવા છતાં પણ મને ઓળખશે નહીં, જાણશે નહીં. તેવું વિચારતી દાસીઓ સાથે ત્યાં ગઈ. દમયંતીને સામે આવતી જોઈ સિંહાસનથી ઉઠીને સામે જઈને પુત્રીના પ્રેમથી ભેટી પડી. દમયંતીએ પણ માતાના સ્નેહની જેમ તેના ચરણકમળમાં શિર ઝુકાવીને પ્રણામ કર્યા. હે વત્સ ! જેવી રીતે મારી પુત્રી ચંદ્રવતી છે, તેવી રીતે તું પણ મારી ધર્મપુત્રી છો. આજથી લઈને મારા ઘરમાં બંને લક્ષ્મી અને સરસ્વતીની જેમ સુખપૂર્વક ક્રીડા કરો (ખેલો, રમો). વળી ચંદ્રયશાએ કહ્યું : હે પુત્રી ! તું તારી વાત કહે.” તેણે કહ્યું: “હું વણિકની પુત્રી પતિ સાથે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy