SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચિરત્રમ્ ૧૪૨ સર્ગ - ૬ ઉભો રહે, ઉભો રહે, એ પ્રમાણે બોલતી તે મુસાફરની પાછળ દોડતી વળી પાછી ભયંકર વનમાં આવી પડી.'' અહો ! વિધિ ચિંતવેલાથી બીજું કરે છે. કહ્યું છે કે :– ઉનાળાની ઋતુની ગરમીથી સારી રીતે દુ:ખી થયેલો (તપેલો) અત્યંત તૃષાથી પીડિત મનવાળા, ભરેલા સરોવ૨ને જોઈને હાથી દોડી (જલ્દી) ત્યાં આવે છે. ત્યાં કાદવમાં ફસાયેલો તે હાથી કિનારો નજીક હોવા છતાં પણ જેવી રીતે પાણીથી અને કિનારાથી એમ બંનેથી વિધિના વશથી ભ્રષ્ટ થાય છે. હવે દમયંતી પણ નિર્જન વનમાં નળને શોધતી ફરી તાપસપુર તરફ જ્યાં ચાલવા જાય છે, તેટલામાં માર્ગથી ભ્રષ્ટ થયેલી મહાવનમાં પડેલી ચિંતવે છે. અહો ! રૂઠેલો દેવ આજે પણ મારો પીછો છોડતો નથી. કંઈ સમજાતું નથી કે હવે શું કરૂં ? એમ દુઃખથી ભરેલા મનવાળી દમયંતી આંસુના પૂર વડે ભીના નેત્રવાળી આગળ રસ્તે ચાલે જાય છે. અહીં-તહીં વનમાં ભમતી વારંવાર પડતી, ભૂમિ પર આળોટતી, નસીબને ઓલંભા દેતી દમયંતીએ માર્ગમાં એક રાક્ષસીને જોઈ; પછી તે રાક્ષસીએ દમયંતીને કહ્યું : “હે બાલે ! હું ભૂખથી પીડાઉં છું. તેથી હું તને હવે ખાઈ જઈશ.'' તે રાક્ષસીને જોઈને ભયથી આકુલવ્યાકુલ બનેલી દમયંતીએ કહ્યું : જો મારે મન અરિહંત એ જ દેવ, સુસાધુ એજ ગુરુ અને જો જૈન ધર્મમાં જ મને રિત (રસ) હોય તો હે રાક્ષસી ! તું હતાશાને પામ. અર્થાત્ તારી આશા (ઇચ્છા) નષ્ટ થાઓ. એ પ્રમાણેના તેના વચનો સાંભળીને તે દમયંતીને નમીને પોતાના સ્થાનમાં ચાલી ગઈ. એ પ્રમાણે રસ્તે ચાલતાં તૃષાથી અકળાયેલી (પીડાતી) દમયંતીએ એક સૂકી ગિરિ નદીને જોઈને તૃષાથી દુ:ખી થયેલી તેણીએ આ પ્રમાણે કહ્યું : “જો હું જૈન ધર્મ પાળનારી શીલથી શોભતી હોઉં તો આ નદીમાં ઠંડુ, સ્વાદવાળું અમૃતની ઉપમા સમાન પાણી પ્રાપ્ત થાઓ.’' એ પ્રમાણે કહીને દમયંતીએ પગની પાનીથી ભૂતલને ફોસ્યું, તેથી તે નદીમાં શીતલ-સ્વાદુ જલ આવવા લાગ્યું. દમયંતીએ ત્યાં સ્નાન કરી, પાણી પીને શ્રમને દૂર કર્યો, એ પ્રમાણે નગરમાં જતી માર્ગથી થાકેલી દમયંતી એક વડના ઝાડ નીચે બેઠી. બેઠેલી એવી તેણીને એક મુસાફરે જોઈ અને પૂછ્યું : “હે ભદ્રે ! તું કોણ છે ? કયા કારણથી એકલી આ વડની નીચે બેઠી છે. વડવૃક્ષમાં રહેનારી તું શું દેવી છે ? અથવા શું માનુષી (નારી) છે ?'' તેણીએ કહ્યું : “હું દેવ નથી, પરંતુ મનુષ્ય નારી એવી વ્યાપારીની પુત્રી છું. પતિની સાથે પિતાના ઘરે જતી કોઈપણ કારણથી સૂતેલી એવી મને તેઓ વનમાં તજીને દેશાંતર ચાલી ગયા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy