SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ ૧૪૧ પાંડવ ચરિત્રમ્ કરતાં જ ચૌદમા (૧૪)માં ગુણઠાણા પર આરોહણ કરતાં મોક્ષ પ્રાપ્ત કર્યું. દેવોએ તે મારી કાયાનો પુણ્યક્ષેત્રમાં અગ્નિસંસ્કાર કર્યો. હવે કુલપતિ એવા વિમલમતિએ પાંચસો તાપસોથી પરિવરેલા યશોભદ્રસૂરિ ગુરુ પાસે દીક્ષા લીધી. દમયંતીએ દીક્ષા માંગતા ગુરુએ કહ્યું : “હાલમાં તારે દીક્ષાનો યોગ નથી. કારણ કે તારે હજુ પણ ભોગફળ બાકી છે. તું હજુ પણ નળની સાથે ભોગને ભોગવીશ.” દમયંતીએ પૂછ્યું : “હે ભગવન્! મેં પૂર્વભવમાં એવું શું અકાર્ય કર્યું છે ? જેથી મને બાર વર્ષ સુધી પતિનો વિયોગ થયો.” હવે નળ અને દમયંતીના પૂર્વભવોને કહે છે : પૂર્વભવમાં નળ રાજા મમ્મણ નામનો રાજા થયો હતો. હે દમયંતી ! તું વીરમતિ નામની તેની પત્ની થઈ હતી. તમે બેઉ શિકાર માટે ક્રીડાવનમાં જતાં તમે સાર્થની સાથે એક મુનિને જોયા. રાજાએ વિચાર્યું, મુનિ સામે મળ્યા તેથી અપશુકન થયું છે. મારો શિકાર નિષ્ફળ જશે. એવી બીકથી તે મુનિને સૈનિક વડે પકડીને પછી પોતાના ઘર તરફ પાછો ફર્યો. ક્યારેક (એક વખત) તે કોપને ભૂલી જઈને તે મુનિને બોલાવીને કહ્યું: “હે મુને ! તમે ક્યાંથી આવ્યા છો? ક્યાં જાઓ છો ?” મુનિએ કહ્યું : “હું ચંપાનગરીથી આવ્યો છું. તીર્થયાત્રા કરવા હું સમેતશિખરજી જાઉં છું.” તેમ સાંભળી તે બંનેને ખૂબ દુ:ખ થયું. અહો ! અમે સાર્થની સાથે જતાં મુનિને અટકાવ્યા. પછી મુક્ત કર્યા. તે મુનિએ તે બંનેને શ્રાવક ધર્મ આપ્યો. ફરી તે સાધુને મમ્મણ રાજાએ સાર્થની સાથે ભેગા કર્યા. પહેલાં સાધુને બાર ઘડી જે તમોએ રોક્યા, તેથી તમારા બંનેનો પરસ્પર) બાર વર્ષ સુધીનો વિરહ (થયો) જાણવો. હે દમયંતી ! બાર વર્ષ પછી નળ સાથે સમાગમ થશે, ફરી તું તેવા જ પ્રકારના સુખોને ભોગવીશ, એ પ્રમાણે યશોભદ્રસૂરિ ગુરુની વાણી સાંભળી હર્ષ પામેલી દમયંતીએ તે પર્વતની ગુફામાં જિનની સેવા કરવામાં ડૂબેલી (મગ્ન) ત્યાં રહીને દિવસો પસાર કરે છે. હવે યશોભદ્ર નામના ગુરુએ તે ગિરિના શિખર પરથી ઉતરીને તે તાપસપુરને અલંકૃત કર્યું. ત્યાં શ્રી શાંતિનાથ પ્રભુના મંદિરની પ્રતિષ્ઠા કરીને નગરના કરોડો જનોને દેશનારૂપ જલ વડે સારી રીતે સિંચીને ખેડૂતની જેમ સમ્યક્ત વ્રતરૂપ બીજનું રોપણ કર્યું. દમયંતીએ પણ તે ગુફામાં સાત વર્ષ પસાર કર્યા. એક વખત કોઈક પુરુષે ગુફાના દ્વાર પાસે આવીને દમયંતીને કહ્યું : “હે દમયંતી ! તારા પતિને બહુ દૂર નહિ એવા દેશમાં મેં જોયો છે. મારો સાથે રાહ જોતો હશે, આથી હું સાથે સાથે જવા માટે ઇચ્છું છું. તું જલ્દી આવ, હું જાઉં છું.” એ પ્રમાણે કહીને જ્યાં તે દૂર નીકળી ગયો, તેટલામાં તે ગુફામાંથી બહાર નીકળેલી દમયંતી બોલી : “હે ભદ્ર ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy