SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૧૪)ો. સર્ગ - ૬ સિંહકેસરી કેવલીના શ્રી યશોભદ્રસૂરિ ગુરુ છદ્મસ્થ હોવા છતાં પણ કેવલી પાસે રહેલા વિનયપૂર્વક નમ્ર બની તેઓ પણ ધર્મને સાંભળતા હતા. દેશના પૂર્ણ થયે કેવલી ભગવંતે કહ્યું : “જે દમયંતીએ આ અનુત્તર તત્ત્વવાળો ધર્મ કહ્યો છે, તેવી જ રીતે છે. અર્થાત્ તે સત્ય જ છે, બરાબર છે. તે ધર્મમાં અલ્પ માત્ર પણ સંશય ન કરવો.” આ પરમાત્માની ભક્તિ કરનારી, આ ધર્મને પાળનારી, આ પવિત્ર વાણીવાળી એના શીલના પ્રભાવથી ચોરો નાસી ગયા. મેઘવર્ષા રોકાઈ ગઈ, રાક્ષસ વશમાં આવી ગયો. આ બધા બનાવ તમે પ્રત્યક્ષ જોયા છે. તેથી આ મહાસતી બધાયને માનવા-પૂજવા જેવી છે. વાઘ ભીલ્લ, ચિત્તાદિથી સંકીર્ણ એવા આ મહાન વનમાં તે એકલી ગુફામાં રહે છે ઈત્યાદિ કેવલીના વચનો સાંભળીને દમયંતીના વચનમાં ઉત્પન્ન થયેલા વિશ્વાસવાળો કુલપતિ એવા વિમલમતિએ કેવલીને નમન કરીને દીક્ષાને માંગી. કેવલીએ કહ્યું: “આ મહાબુદ્ધિશાળી યશોભદ્રસૂરિ તને દીક્ષા આપશે. કારણ કે તે મારા પણ ગુરુ છે.” કુલપતિ એવા વિમલમતિએ કેવલીને કહ્યું : “હે પ્રભો ! તમે બાળવયમાં કેમ દીક્ષા લીધી?” સકેવલી ભગવંતે કહ્યું: “સાંભળો, કોશલ દેશમાં નળ નામે રાજા હતો, તેને ધર્મ આપનારી એની આ સ્ત્રી દમયંતી છે. તે નળ રાજાનો નાનો ભાઈ કૂબર નામનો છે. જે હમણાં નળ પાસેથી ધૂત રમતાં જીતેલું રાજ્ય કરે છે, તેનો હું સિંહકેસરી નામનો પુત્ર છું. તે હું સંગીતપુરના રાજા કેસરીની પુત્રી બંધુમતિની સાથે વિવાહ કરીને કરેલા વિવાહનું મંગલવાળો હું પોતાની નગરી અયોધ્યા તરફ પાછો ફર્યો.” આ વનમાં હું જ્યાં આવ્યો તેટલામાં મારા ભાગ્યથી આ યશોભદ્રસૂરિને મેં આ વનમાં જોયા અને વંદન કર્યું, આ ગુરુએ સંસારની અનિત્યતા સમજાવતી દેશના આપી. દેશના પૂર્ણ થતાં મેં ગુરુને પૂછ્યું : “ભગવન્! મારું આયુષ્ય કેટલું છે ?” જ્ઞાનવાન એવા તે યશોભદ્રસૂરિ ગુરુએ કહ્યું: “તારૂં આયુષ્ય પાંચ દિવસનું છે.” એ પ્રમાણેનું સાંભળીને મરણના ભયથી હું ડરી ગયો, તેથી ગુરુએ કહ્યું : “હે વત્સ ! ડર નહિ. હમણાં જ સંયમ વ્રતને તું ગ્રહણ કર. એક દિવસનું પણ સંય મોક્ષ આપે છે. જો મોક્ષ ન પામે તો વૈમાનિક દેવપણું અવશ્ય પામે છે. તે કથન ખોટું નથી. કહ્યું છે કે – એક દિવસનું પણ જીવ અનન્ય મનથી દીક્ષાને સ્વીકારે છે, તો જો કદાચ મોક્ષ ન પામે તો અવશ્ય વૈમાનિક દેવ થાય છે. તેવા ગુરુના વચન સાંભળીને સપરિવાર બંધુમતિને ત્યાગીને એ જ યશોભદ્રસૂરિ ગુરુની પાસે મેં પ્રવ્રજ્યા ગ્રહણ કરી, એમના આદેશથી હું આ ગિરિના શિખર પર ચઢ્યો. આજે જ પાંચમો દિવસ છે. ઘાતિકર્મો ખત્મ થવાથી આજે જ મને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. એ પ્રમાણે વાતો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy