SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ સર્ગ - ૬ પાંડવ ચિરત્રમ્ જ્યાં તેઓ પ્રશંસે છે તેટલામાં આકાશમાં મૂશળધારા વડે મેઘે વર્ષા શરૂ કરી વીજળીના ચમકારા અને ગડગડાટથી દિશાઓને ગજાવનારા મેઘે તે તાપસોને વર્ષાની ધારા વડે સિંચતા ભીંજવી દીધા. તેથી તે તાપસો મેઘધારાથી ભાગતા અહીં તહીં પલાયન થઈ ગયા. તેઓને નાસી ગયેલા જાણીને હાથમાં દાંડો (લાકડી) લઈને દમયંતીએ તેઓની ચારે બાજુ લાકડી વડે કરીને કુંડાળુ કર્યું. કુંડાળુ કરીને આ પ્રમાણે કહ્યું : “જો હું અરિહંત ભગવાનની ભક્તા અને શીલવતી હોઉં તો આ દંડથી કરેલા કુંડાળામાં વર્ષા વરસો નહિ.” તે પ્રમાણે થયેલું જોઈ આશ્ચર્ય પામેલા તે તાપસોએ દમયંતીએ કહેલો જૈન ધર્મ સ્વીકાર્યો. વસંત સાર્થવાહ પણ શ્રાવક બન્યો. તે સાર્થવાહે ત્યાં ભાવિ જિન શ્રી શાંતિનાથ પ્રભુનું મંદિર (ચૈત્ય) કરાવ્યું. તે ચૈત્યમાં બધા સાર્થ લોકો પૂજા કરે છે. તે પાંચસો તાપસો દમયંતીના વચનથી પ્રતિબોધ પામેલા તે વનમાં રહે છે અને ત્યાં સાર્થવાહે નગર વસાવ્યું. હવે આ નગરમાં તાપસો પ્રતિબોધ પામ્યા. તેથી તે નગર તાપસપુર નામથી જગતમાં પ્રસિદ્ધ થયું. સર્વ સાર્થ લોકો પણ ત્યાં ઘરો બનાવીને સ્વજનો સાથે સુખથી રહ્યા. એ પ્રમાણે ઊંચનીચ, સર્વ પ્રજા ગૃહો કરીને સુખથી રહ્યા છે અને તે નગરમાં રહેનારા લોકો પ્રાયઃ અરિહંત પરમાત્માના ધર્મમાં રત થયા. એ પ્રમાણે કાળ જતાં સતી દમયંતીએ એક રાત્રિએ બીજા પહોરે તે જ પર્વતના શિખર ઉપર સૂર્યમંડળના તેજને જીતનારો એવો પ્રકાશ દમયંતીએ જોયો. તે પછી ત્યાં જ પર્વત ઉ૫૨ દેવ, અસુર અને વિદ્યાધરો આકાશ માર્ગે આવી ગયેલા, આશ્ચર્યથી ખીલી ગયેલા મુખવાળા દમયંતીએ જોયા. આવતા એવા દેવ–દેવીના અવાજના કોલાહલથી જાગી ગયેલી પ્રજા આશ્ચર્યપૂર્વક શિખર પર ચડી અને બધા તાપસો પણ તે ગિરિ પર ચડ્યા. સિંહકેસરી સાધુને થયેલા કેવળજ્ઞાનનો ત્યારે જ દેવોએ મહોત્સવ કરતાં દેવોએ કરેલો પ્રકાશ બધાએ જોયો. દેવોએ રચેલા સુવર્ણ કમલ પર બેઠેલા કેવલી ભગવંતે સર્વજનોને અરિહંત પરમાત્માના ધર્મને બતાવ્યો. તેથી તે દમયંતી, તાપસો, સાર્થવાહ આદિ લોકો ત્યાં જઈને આ પ્રમાણે ધર્મને સાંભળે છે. શ્રી વીતરાગ પરમાત્મા ૫૨ ભક્તિ, સર્વ પ્રાણી વર્ગ ઉ૫૨ કરૂણા, દીનાદિને દાન, શ્રદ્ધાપૂર્વક આગમોનું હરહંમેશ શ્રવણ, પાપને દૂર કરવાની ઇચ્છા, ભવનો ભય, મુક્તિમાર્ગ પર અનુપમ અનુરાગ, સાધુ પુરુષોનો સંગ, મનથી પણ વિષયથી દૂર ગૃહસ્થનો આ ધર્મ છે. સમ્યક્ત્વ મૂલ બાર વ્રતરૂપ શ્રાદ્ધધર્મ અને પાંચ મહાવ્રતાદિરૂપ સાધુધર્મ, એ પ્રમાણે બંને પ્રકારનો ધર્મ કેવલી ભગવંતે કહ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy