SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૬ એ પ્રમાણે ધર્મધ્યાનમાં રત તે ગુફામાં દિવસો પસાર કરે છે. જ્યાં સુધી હું મારી દૃષ્ટિ વડે નળને ન જોઉં, ત્યાં સુધી હું એક આંતરા ઉપવાસરૂપ ચોત્પત્તિ વિના પારણું નહિ કરું, એવો અભિગ્રહ કરીને ચોથભન્ન-છઠ્ઠ-અક્રમાદિ અનેક તપ કરતી ગળેલા, પડેલા પુષ્પ, ફલના આહાર વડે પારણું કરતી એકાકીની, ભય રહિત પરમષ્ઠિ મહામંત્રના સ્મરણમાં ડૂબેલી દમયંતીએ ઘણો કાળ પસાર કર્યો. હવે વસંત સાર્થપતિએ દમયંતીને ત્યાં નહિ જોતાં અહીં તહીં સાર્થની અંદર બધે તપાસ કરતાં તેના પગલાના અનુસાર તે કંદરા (ગુફા) મળી, તે કંદરાની અંદર જોતાં જોતાં શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિની પૂજા કરતી નળપત્નીને જોઈ. નળપત્નીએ પણ સાર્થપતિને પુષ્પાદિ આપીને શ્રી શાંતિનાથ પ્રભુની પૂજાને કરાવી. પછી સુખશાતા પૃચ્છાપૂર્વક સાર્થપતિની સાથે વાત કરવા લાગી. વસંત (સાર્થપતિએ) કહ્યું : “હે દમયંતી ! કયા દેવની આ મૂર્તિ છે, જેને તું પૂજે છે ? તેણીએ પણ ભવિષ્યમાં થનારા સોળમાં શ્રી શાંતિનાથ પ્રભુની છે.” એ પ્રમાણે કહ્યું. તેઓની વાણી સાંભળીને તે પર્વતની સમીપે રહેલા તાપસી ત્યાં આવ્યા, પછી તે દમયંતીએ તે તાપસીને અને વસંત સાર્થપતિને આશ્ચર્યકારી અરિહંત પરમાત્માનો ધર્મ બતાવ્યો. તે આ પ્રમાણે : પ્રતિદિન ત્રિકાલ જિનવંદન (પૂજા), સંઘનું બહુમાન સ્વાધ્યાય અને વિધિપૂર્વક ગુરુવંદન, દાન તથા આવશ્યક ક્રિયા અને શક્તિ પ્રમાણે વ્રતનું પાલન, શ્રેષ્ઠ તપ, જ્ઞાનનો પાઠ, આ જિનાગમોમાં શ્રાવક પુંગવનો ધર્મ કહ્યો છે. પ્રાણીઓનું રક્ષણ, ભક્તિપૂર્વક જિનેશ્વર પ્રભુનો મહોત્સવ, આગમનું શ્રવણ, સાધુઓને નમનવંદન અભિમાનનો વિલય, સદ્ગુરુનું બહુમાન, માયાનો નાશ, ક્રોધનું શમન, લોભરૂપ વૃક્ષનું ઉમૂલન, ચિત્તની શુદ્ધિ અને ઇન્દ્રિયરૂપ અશ્વનું દમન, આ મોક્ષનો ઉપાય છે. અરિહંત એ દેવ, સદ્ગુરુ તે સાધુ, જિનેશ્વરે કહેલો તે ધર્મ, સર્વ જીવોની દયા તે ધર્મનું સનાતન મૂલ છે. સર્વ સુખોનું પ્રધાન કારણ હોવાથી જગતનો સાર ધર્મ છે. તેની ઉત્પત્તિ મનુષ્યથી છે. તેથી જ મનુષ્યપણું સારભૂત છે. હે ભવ્યજનો ! આ પ્રકારનું સારભૂત મનુષ્યપણું પામીને ધર્મમાં પ્રયત્ન, પુરુષાર્થ કરવો. આ ધર્મ સાંભળી સાર્થપતિ અને બધા તાપસી હર્ષ પામ્યા; દમયંતીએ કહેલા તે જૈન ધર્મને વારંવાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy