SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ ૧૩૭ પાંડવ ચરિત્રમ્ જતાં આગળ રસ્તે જવા નીકળી. રસ્તામાં જતાં નળ પ્રિયા દમયંતીએ અંજનગિરિ સમા મહાશ્યામ, મનુષ્યના અસ્થિ ભૂષણવાળો, વિકરાલ દાંતવાળો, હાથમાં કાતરવાળો એવા એક રાક્ષસને જોયો. તે રાક્ષસે ભયથી ચંચળ આંખોવાળી (ભયવાળી) એવી દમયંતીને કહ્યું : “હે બાલિકે ? તું ક્યાં જાય છે, ઉભી રહે, ઉભી રહે. સાત દિવસના ભૂખ્યા એવા મને તું મળી છે, હું તને ખાઈશ.” તે સાંભળી ડરેલી દમયંતીએ સત્ત્વધારીને રાક્ષસને કહ્યું : “હે ભદ્ર ! તું મને સ્પર્શ કર નહિ, તું મને સ્પર્શ કરતાં જ ભસ્મસાત્ થઈશ. સતીના શ્રાપથી નાશ પામીશ. જો કલ્યાણને ઇચ્છતો હોય તો આ બાજુ જા, અહીંથી દૂર જા.” તેને સતી જોઈને ડરેલા રાક્ષસે દમયંતીને કહ્યું : “હે ભદ્રે ! તારા શીલ અને સત્ત્વથી હું તુષ્ટ (ખુશ) થયો છું. તને જે રૂચે (ગમે) તે માંગ.” ત્યારે દમયંતીએ કહ્યું : “હે ભદ્ર ! હે રાક્ષસ ! હે વ્યંતરેશ્વર ! જો તું ખુશ થયો છે, તો કહે કે ભવિષ્યમાં મારા પતિનો સમાગમ ક્યારે થશે ?” રાક્ષસે શીઘતાએ અવધિજ્ઞાન વડે જોઈને તેને કહ્યું : “તારો ત્યાગ કર્યો તે દિવસથી લઈને બાર વર્ષે મેળાપ થશે.” તે પણ તારા પિતાના ગૃહે પતિ સાથે સમાગમ થશે, જો તું આદેશ કરે તો ક્ષણમાત્રમાં ત્યાં હું તને લઈ જાઉં. દેવી દમયંતી બોલી : “હે દેવરાજ ! આ જગતમાં તારે શું અસાધ્ય છે? પરંતુ હું પરપુરુષની સાથે ક્યારે પણ નહિ જ જાઉં, દમયંતીના તે વચન સાંભળીને દેવે દિવ્યરૂપ કરીને દમયંતી ઉપર પુષ્પવૃષ્ટિ કરીને દમયંતીની સ્તુતિ કરી અને નમસ્કાર કરીને પોતાના સ્થાને ચાલી ગયો.” બાર વર્ષના અંતે પતિનો સંગમ જાણીને સતી વ્રતમાં મુગટ સમાન એવી દમયંતીએ આવા પ્રકારના અભિગ્રહો ગ્રહણ કર્યા. તે આ પ્રમાણે : લાલ કપડાં, તાંબૂલ, પુષ્પ, આભૂષણ અને વિગઈ, પ્રિય પતિના દર્શન પહેલાં ગ્રહણ નહિ કરું. પછી ત્યાંથી ચાલતી દમયંતી એકલી પુણ્યના સહારે, કોઈ ગિરિની આજુબાજુ સુખને આપનારી કંદરા (ગુફા) પ્રાપ્ત થઈ (જોઈ), તે ગુફામાં વર્ષાકાળને પસાર કરવા માટે દમયંતી ત્યાં રોકાઈ ગઈ. ત્યાં રહેલી દમયંતી પુણ્યોદયથી સ્મૃતિમાં આવતાં માટીની એક ભવિષ્યમાં થનારા સોળમા શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા બનાવીને ત્રણ નવકાર ગણીને ગુફાના એક ખૂણે સ્થાપીને રહી, પછી તે દમયંતી દરરોજ શ્રેષ્ઠ પુષ્પો થકી તે જિન પ્રતિમાને જાતે જ પૂજે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy