SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચિરત્રમ્ ૧૩૬ દેખાયા નહિ. તેથી હું નળનો માર્ગ જોતી કોઈ ગિરિની ગુફામાં સૂઈ ગઈ. ત્યાં પણ અજગરે મને ગળી. ત્યાં એક ભીલ્લે મને છોડાવી, બચાવી. પછી હું સાથેની સાથે ભળી ગઈ. તે પણ સાર્થ વનહાથીથી પીડા પામ્યો. પછી હું ત્યાંથી નીકળીને દક્ષિણ દેશના અધિપતિ એવા મારા પિતાના ઘરે જાઉં છું. અહીંયા શ્રી શાંતિનાથ પ્રભુના મંદિરે આવેલા એવા તમે મને મળ્યા. મેં તમને વંદન કર્યું, આ મારી કથની છે. સર્ગ - મુનિએ કહ્યું : “હે ધર્મશીલે ! તારા શીલના પ્રભાવથી બધા ઉપદ્રવો દૂર થશે, એ પ્રમાણે કહીને તે મુનિ તે ચારણ મુનિઓની સાથે તપની લબ્ધિથી આકાશ માર્ગે સ્વસ્થાને ગયા.” -દુ હવે દમયંતી રસ્તે આગળ ચાલતી જ્યાં કેટલીક આગળ ગઈ, તેટલામાં ફરી પણ કોઈ સાર્થ મળ્યો. ત્યાં સાર્થની સાથે સંતુષ્ટ થયેલી જ્યાં થોડી આગળ ગઈ, તેટલામાં તે સાર્થને ભીલ્લ સેનાએ રોક્યો. તેથી સાર્થાધિપતિના સુભટો અને ભીલ્લ સેના સાથે ભીષણ યુદ્ધ થયું. એ પ્રમાણે એકબીજાનું યુદ્ધ જોઈને દમયંતીએ સાર્થપતિના સેવકોને ભાંગી પડેલા (નિરાશ) જોઈને આગળ થઈને (આવીને) સિંહણની જેમ હુંકારો કર્યો. તેના શીલના પ્રભાવથી અને મુનિના વચનથી તે ભીલ્લ નાયકો સર્વે ભાગી જઈને પોતાના સ્થાનમાં ચાલી ગયા. દમયંતીનું આવું પરાક્રમ જોઈને સાર્થપતિએ દમયંતીને પૂછ્યું : “હે કલ્યાણી ! પૃથ્વી પર મહિમાવાળી તું કોણ છે ?’ આ નિર્જન વનમાં એકલી તું આમતેમ કેમ ભમે છે ? તે દમયંતીએ સાર્થપતિની આગળ જેવું બન્યું હતું, તેવું કહ્યું. તું હું કુંડિનપુર ગામ તરફ જાઉં છું. ત્યાં અત્યંત પરાક્રમી ભીમ રાજા નામના મારા પિતા રહે છે. તેની હું પુત્રી છું. આથી હું ત્યાં જાઉં છું. રસ્તામાં મને તમે મળ્યા. મારા શીલના પ્રભાવથી હુંકાર માત્રથી તારા સાર્થનું રક્ષણ થયું. સાર્થવાહે કહ્યું : “હું વસંત નામે સાર્થવાહ છું. તારા પતિ નળ રાજાનો હું સેવક છું. આથી હું તારી રક્ષા કરીશ.' કારણ કે સાર્થનું રક્ષણ કરનારી હોવાથી તું મારી ઉપકારણી છો અને નળ પત્ની હોવાથી તું મારે માટે પૂજ્ય અને સન્માન્ય છો. એમ કહીને વસંત સાર્થવાહ દમયંતીને પોતાની છાવણી (તંબુ)માં લઈ ગયો. ત્યાં સાર્થવાહ દમયંતીની ભક્તિ કરે છે, તે આ પ્રમાણે. Jain Education International સ્નાન, ભોજનાદિ વડે થાક ચાલી ગયો છે જેનો એવી તેની તે તે ઉપચારો વડે દેવતાની જેમ આરાધના-સેવા કરે છે. વળી ત્યાં કેટલાક દિવસો રહી ત્યારે સ્થાને સ્થાને લોકોને મયૂરના નૃત્યને બતાવતી વર્ષાૠતુ આવી ગઈ. ત્રણ રાત્રિ સુધી પુષ્કરાવર્તના મેઘની ઉપમા જેવો અટક્યા વિના મૂશળધાર વરસાદ વરસવા લાગ્યો. ત્રણ દિવસ પછી તે વરસાદ અટક્યા બાદ માર્ગ ભાંગી જવાના ભયથી થોડો સમય રોકાઈને દમયંતી કોઈ જાણે નહિ તેવી રીતે વરસાદ રોકાઈ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy