SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ ૧૩૫ પાંડવ ચરિત્રમ્ ગંધથી ક્રોધથી અંધ થયેલો વનણાથી હાથીના ટોળા સાથે આવી ચડ્યો. તે હાથીએ વસ્તુ ભરવાના વાસણો, ભોજન કરવાના વાસણોને ભાંગી નાંખ્યા. કેટલાય પુરુષો ત્રાસને પામ્યા. કેટલાક મનુષ્યો મરણ પામ્યા અને બળદો સર્વ દિશામાં નાસી ગયા. ફરી તેવી જ રીતે દમયંતીએ એકાકી વનદેવતાની જેમ અહીં તહીં ભમીને એક વૃક્ષની નીચે વિશ્રામ લીધો. ખેદ પામેલી દમયંતી ચિતવે છે, અહો ! ભાગ્યની આ વિકૃતિ કેવી ? જેની સાથે રસ્તામાં ચાલું છું, તેનું પણ કુશલ થતું નથી. એ પ્રમાણે વિચારતી દમયંતી ઉઠીને થાકી ગયેલી હોવા છતાં પણ પરાક્રમનું આલંબન લઈને ધીરે ધીરે શિકારવાળા ગિરિના માર્ગ ઉપર ચાલવા લાગી. માર્ગથી થાકેલી, નિરાશ થયેલી, વ્યગ્ર બનેલી, કર્મને વશ થયેલી, ડરી ગયેલી, ત્રાસને પામેલા દેહવાળી એવી તે સુંદરી (દમયંતી) પણ સુખને પામતી નથી. આગળ જતાં રસ્તામાં દમયંતીએ અશોક વૃક્ષની નીચે ચારણ શ્રમણ મુનિના સમુદાયને જોયો. તે કોમળ અને ઝીણા વસ્ત્ર પહેરેલા મુનિની નજીકમાં ગયેલી (જઈને) દમયંતીએ પૂછ્યું : હે ભગવન્! મને વંદન માટે રજા આપો.” એ પ્રમાણે કહીને તેણીએ તેઓની વચ્ચે રહેલા ધીર, પ્રતાપી, ધર્મઘોષ નામના મહામુનિને વંદન કર્યું. મુનિએ કહ્યું : “હે ભદ્રે ! તને ધર્મનો લાભ થાઓ. હે કલ્યાણી ! આ બાજુ જો આ ચારણ-શ્રમણ સાધુઓ વૈતાઢ્ય પર્વતથી તીર્થયાત્રાએ આવ્યા છે. દેવ, અસુરો વડે નમસ્કાર કરાયેલું આ તીર્થ ભાવિમાં સોળમા શ્રી શાંતિનાથ ભગવાનનું મુક્તિધાર નામનું મહાતીર્થ થશે.” તું એકલી આ વનમાં કેવી રીતે આવી ? આ તીર્થ પ્રાયઃ મનુષ્યોને માટે અજાણ્યું છે. નહિ જાણનાર કોઈપણ અહીંયા આવવા માટે સમર્થ-શક્તિશાળી નથી. મુનિએ કહ્યું : “હે સુકુમારગી ! હે મુગ્ધ ! અવિધવા એવી તને એકલી જોઈને મને મોટું આશ્ચર્ય થાય છે. તું દેવકન્યા નથી, સાવિત્રી નથી, ઇન્દ્રાણી નથી, પાર્વતી નથી. કારણ કે ઉઘાડ બંધ તારા ચક્ષુઓ થાય છે. તું કોણ છે ? કોની પત્ની છે ? કયા કારણે દીન મુખવાળી, એકલી વનમાં વિચરે છે ! આ બધું મને જેવું છે તેવું કહે.” હે ભગવન્! હું દુર્દશામાં આવી પડેલી હોવા છતાં પણ ભાગ્યવાન છું. કારણ કે આ ભીષણ વનમાં મને આપના દર્શન થયા છે, તો પણ મારી કથની સાંભળો. અયોધ્યા નગરીમાં વીરસેન નામનો રાજા છે. તેના પુત્ર શત્રુ માટે કાળઝાળ અગ્નિ સમાન નળ નામનો રાજા ભાઈ કૂબરની સાથે જુગાર રમતાં સર્વસ્વ હારી ગયો. તેથી કૂબરે કાઢી મૂકેલો દમયંતી નામની પત્ની સાથે દેશાંતર ચાલી ગયો. એક અટવામાં મને સૂતેલી મૂકીને કઠોર હૃદયથી ક્યાં ગયો, તે જણાતું નથી. અનાથ એવી મને છોડીને તેવી રીતે ગયા કે જેવી રીતે ફરીથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy