SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૧૩૪] સર્ગ - ૬ કારણ કે – તે નિંદાનું મૂળ, ધૃણાનું કારણ, મૃત્યુનું દ્વાર, લજ્જાનું ઘર છે તોપણ મૂઢ લોકોને પરસ્ત્રી ઉપર પ્રીતિ થાય છે. આથી હે મહાનુ! પરસ્ત્રી રક્ત હો અથવા વિરક્ત હો. બંને રીતે મહાપુરુષો વડે તે સર્વ રીતે ત્યાજ્ય છે. કારણ કે રક્ત(રાગી,સ્ત્રી બધું હરી લે છે. વિરાગી ન હોય તોપણ તે વિષની વેલડી છે. હે મહાભાગ ! તે કારણે પરસ્ત્રી સર્વ રીતે છોડવા યોગ્ય છે ઇત્યાદિ દમયંતીના વચનો સાંભળીને ભીલે નફફટ થઈને એટલે કે લાજ મૂકીને દમયંતીને કહ્યું: “હે સુ! પાપી પુરુષને આ ધર્મોપદેશ શું કામનો ? વૃક્ષના મૂળમાં સિંચેલુ પાણી કેટલો સમય સ્થિર રહે, તેવી જ રીતે આ તારો અલ્પ ધર્મોપદેશ મારા હૃદયમાં કેટલો સમય રહેશે. મારા હૃદયમાં નરકથી પણ વધુ દુઃખ છે. કારણ કે તારા જેવું સ્ત્રીરત્ન મારા વડે ક્યારે પણ ભોગવાયું નહિ.” અર્થાત્ તારા જેવી સ્ત્રીરત્નને મેં ભોગવી નહિ. હે બાલે ! તું શું મારા જેવા પાપીને નરકાદિની બીક બતાવે છે. અહીંયા તારા ઉપર બળાત્કાર કરતાં મને રોકવા કોણ સમર્થ છે ? એ પ્રમાણે કામાતુર થયેલો ભીલ નાયક તેના વિચારોથી અટક્યો એટલું જ નહિ, પરંતુ તે દમયંતીના હાથને ક્રીડા માટે બળાત્કારથી પોતાના હાથ વડે જ્યાં પકડે છે, તેટલામાં દમયંતીના યાદ કરવા માત્રથી આવેલા પૂર્વ આરાધિત હરિદેવે વીજળી પાડી ભસ્મ કરેલો ભીલ્લપતિ નરકનો અતિથિ થઈ ગયો. તે દેવ લિપતિને શિક્ષા આપીને પોતાના સ્થાનમાં ચાલી ગયો. હવે દમયંતી વિચારે છે, અહો ! કર્મની વિચિત્રતા જે કોઈપણ હાલમાં મારા ઉપર ઉપકાર કરે છે, તે બિચારો પણ દેવતાથી હણાય છે, એ પ્રમાણે શોકને કરતી દમયંતી ફરી પણ માર્ગમાં આગળ ચાલવા લાગી. માર્ગમાં ચાલતી એવી તે માર્ગનો થાક લાગવા છતાં પણ રાત્રિએ નિદ્રા લેતી નથી. કારણ કે નિદ્રાથી મારા પતિનો વિયોગ થયો છે. તેવી રીતે નિદ્રા લેતાં અજગરથી પણ ગળાઈ હતી, તે કારણથી રાત્રિએ પર્વતની ગુફામાં રહેલી પંચપરમેષ્ઠિ મંત્રનું હૃદયમાં વારંવાર સ્મરણ કરે છે. નમસ્કાર મંત્રના પ્રભાવથી અને શીલના પ્રભાવથી તેનું કોઈ કંઈ પણ અનિચ્છનીય કરવા માટે શક્તિશાળી નથી. તેના હૃદયમાં એક મોટું દુઃખ રહ્યું છે કે, મારા માટે જીલ્લ બિચારો મરી ગયો. એ પ્રમાણે રસ્તે ચાલતાં જતાં કેટલાય કાળ પછી ધનવાન વણિક સાર્થવાહનો સંગમ થયો. દમયંતી તે સાર્થવાહની સાથે માર્ગમાં આગળ વધતાં રાત્રિમાં દુઃખથી ચડી શકાય તેવી વિકટ ટેકરી ઉપર રહ્યા અને તે રાત્રિને વિશે સાર્થના સર્વ લોકો સૂઈ ગયા, ત્યારે લોકોની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy