SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ પાંડવ ચરિત્રમ્ આકંઠ સુધી આવી ગયેલા પ્રાણોનું આક્રંદ સાંભળીને અત્યંત કરૂણાથી ભીંજાયેલ હૃદયવાળો કોઈ ભીલ્લપતિ શીઘ્ર આવીને પ્રાપ્ત થયેલા રાહુના શરીરની અવસ્થાની જેમ માત્ર બાકી રહેલા મુખવાળી એવી તેને જોઈને તેણીને જ બચાવવા માટે ૫૨શુ વડે તે અજગરનું પૂંછડું કાપી નાંખ્યુ. કારણ કે કોમળ એવા પૂંછમાં જ અજગરનું બળ હોય છે. પૂંછ કાપવાથી બળ ચાલ્યું જાય છે. પછી ભીલ્લે અજગરના મુખમાંથી ખેંચી કાઢેલી સંપૂર્ણ અંગવાળી એવી તેને સરોવર પાસે લઈ જઈને સ્નાન કરાવી, તેના શરીરને સ્વચ્છ કર્યું. એ પ્રમાણે સ્વસ્થ કરીને ખજૂર, નાળિયેર, બીજોરા, સુંદર ફળો ખવરાવ્યા. પછી પાણી પીતી તેને જાણીને કમલની ઉપમા જેવા કોમલ પગોને હાથ વડે દબાવવા લાગ્યો. પછી તેના શરીરને સારૂં જોઈને ભીલ્લપતિ પોતાના કુલને ઉચિત વાણી બોલ્યો : “હે સુભૂ! તું આ જંગલમાં કોનું શરણ કરીશ ?” આથી તારો ઉપકારી એવા મને ગ્રહણ કર. સર્ગ . - દુ આ વનપ્રદેશ નિર્જન છે (મનુષ્યરહિત છે, એકાંત છે.) શૈયા પદ્મ પુષ્પ જેવી કોમલ છે. કાલ ફોગટ જવા ન દે. યાને સમયનો વિલંબ નક૨, લજ્જા શું કામ રાખે છે. તેના તેવા વચન સાંભળીને દેવી દમયંતી તે કુટીલ પર ક્રોધિત ન થઇ અને પ્રત્યુત્તર પણ ન આપ્યો. મૌન રહી પર તું હૃદયમાં આ પ્રમાણે ચિંતવે છે. અહહ! હું નલપતિ, વીરસેનરાજાની પુત્રવધુ ભાઇ દમનની બહેન અને ભીમરાજાની પુત્રી છું. આવા પ્રકારના પાત્રો (મનુષ્યો) જગતમાં જન્મે છે અને જય પામે છે. તેથી અહીંયા કાલની અને કર્મની ક્રુરતા છે. બીજું મારા વિષેશું? અહો ! કર્મની આ વિચિત્રતા. કારણ કે આ ભીલ્લે મારા માટે કરીને અજગરને હણી નાંખ્યો. તેના મુખમાંથી હું કામની ઇચ્છાથી ખેંચી કઢાઈ. તેથી આ લંપટ ભીલ્લ કોઈપણ રીતે સારો નથી, તેણીને મૌન ધારીને રહેલી જોઈને કામદેવના બાણની વ્યથાથી પીડિત ભીલ્લ બોલ્યો : “હે મુગ્ધ ! તું મૌન ધારીને રહેલી શું નિશ્વાસ થકી જ ઉત્તર આપે છે. અહીંયા જ આ વનમાં તું મારી સાથે નિઃશંક ૨મ યાને ક્રીડા કર. મારી સાથે ક્રીડા કરતાં તને કંઈ પણ દુઃખ સહવું નહિ પડે.’ દમયંતી બોલી : ‘‘અહો ! મહાભાગ, આ મહારૌદ્ર ભયંકરથી પણ ભયંકર વનમાં ભીલ્લોમાં પણ તું જ દયાળુ છે. જેથી કરીને તેં મને જીવન આપ્યું છે. જીવનથી પણ અધિક શું છે ? જે હું તને આપું ? હે પરોપકારેક શિરોમણિ ? હું તારા પર શું પ્રત્યુપકાર કરૂં ? બીજું હું શું કહું ?'' પિતા, કાકા, ભાઈ, પિતરાઈ ભાઈ આદિ હું એક જીભ વડે તને કરીને શું કહું ? હે મહાભાગ ! ‘ધન્યથી પણ તેઓ ધન્ય છે, જેઓ તારી જેમ જે પરસ્ત્રીથી દૂર રહેતા ધર્મબંધુઓ સ્વાર્થ વિના જ તારી જેમ પરોપકારને કરે છે, પરંતુ જેઓ પરસ્ત્રીની અભિલાષા રાખે છે, તેઓને ધિક્કાર છે.'' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy