SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ પાંડવ ચરિત્રમ્ ૧૩૨ એ પ્રમાણે વિલાપ કરતી દમયંતી સાડીના છેડાથી જ્યાં પોતાના આંસુઓને લૂછે છે, તેટલામાં સાડીના છેડા પર રક્તથી નળ રાજાએ લખેલા શબ્દો જોયા. તે જોઈને દમયંતી વિચારે છે, નિશ્ચિત નળ મને મૂકીને કોઈપણ બીજા દેશમાં ચાલી ગયા છે. તો હું પણ નળની શિક્ષાથી વડના માર્ગે પિતાના ઘરે જાઉં. કારણ કે નારીઓને પતિ વિના પિતા જ શરણભૂત છે. આથી પિતાના ઘરે જાઉં. પ્રિયના આદેશનો સ્વીકાર કરતી તેણી (દમયંતી) પણ વડ વૃક્ષના માર્ગે કુંડિનપુર તરફ ચાલી. દુ:ખથી ઘેરાયેલા હૃદયવાળી પતિના વિરહના કારણે જીવવાની આશા વિનાની શંકા રાખ્યા વિના માર્ગમાં ચાલવા લાગી. રસ્તે ચાલતી એવી તેણીની સામે એકાએક કેશરી સિંહ આવ્યો, ત્યારે તેના ભાલ પ્રદેશમાં રહેલા તિલકમાંથી નીકળતા વીજળી જેવા તેજના કિરણોથી અંજાઈ ગયેલો તે સિંહ નિષ્ફળતાને પામ્યો. તે દમયંતીના પ્રભાવથી રસ્તામાં કોઈપણ દુષ્ટ જંગલી પશુ પીડા કરવાને માટે શક્તિમાન ન થયા. સર્પે તેને જાંગુલી મંત્રની જેમ જાણીને, વનના હાથીઓ તેને સિંહણ માનીને, વાઘો તેને અગ્નિની જ્વાલાની જેમ માનીને દુઃખે કરીને જોઈ શકાય તેવી રીતે જોઈને સ્વયં ઉપદ્રવિત થયા. એટલે કે દમયંતીને જોઈને તેઓ જ ઉપદ્રવવાળા થયા. રસ્તે ચાલતા વિચારે છે, અહો ! મારા પતિના આદેશને ધારણ કરતી જીવનને ધારી રાખ્યું છે અથવા આશાના પાશથી બંધાયેલી મારી છાતીના બે ભાગ થતા નથી, એ પ્રમાણે રસ્તે જતાં તેનો આખો દિવસ પસાર થઈ ગયો. સાંજે પુષ્પ-ફૂલનો આહાર કરીને રાત્રિએ એક પર્વતની ગુફામાં નિદ્રાને લીધી (સૂઈ ગઈ). હવે તે સૂતેલી એવી તેણીના તે દુઃખને સહન નહિ કરી શકતો સૂર્ય અસ્તને પામ્યો. ફરી જાણે દમયંતીના રસ્તાને બતાવવાની ઇચ્છાવાળો સૂર્ય મેરૂપર્વતના શિખર પર ચડ્યો. તેથી જાગેલી એવી તેણે દેવો અને ગુરુઓને નમસ્કાર કરીને ફરી કુંડિનપુર તરફ ચાલવા માંડ્યું. એ પ્રમાણે રસ્તે ચાલતી દમયંતી ફરી કોઈ પર્વતની ગુફામાં રાત્રિએ સૂઈ ગઈ. એક વખત રાત્રિએ સુખપૂર્વક સૂતેલી દમયંતીને અજગરે પકડવાથી જાગેલી અત્યંત આકુલવ્યાકુલ હોવા છતાં પણ અજગરના મુખમાં નાભિ સુધી ગયેલી વિચારે છે. વિધિને ધિક્કાર હો, હે વિધે ! રાજ્ય લઈને અને રાજ્ય પર રહેલા નળને હરીને સંતોષ થયો નહિ ? હવે રાંકડી, દીન એવી મને હરી લેવા ઇચ્છે છે ? ત્યારે તેના મુખરૂપ ગુફામાંથી તે કોમળ અંગી કાદવમાંથી હાથિણીની જેમ બહાર નીકળી ન શકી. નરક ઉપમા સમાન તેવા જઠરમાં પડેલી માત્ર મુખ બાકી રહી ગયું. તેથી કંઠ સુધી આવી ગયેલા પ્રાણવાળીએ મૃત્યુને આવેલું જાણીને ધર્મનું શરણ સ્વીકારીને ઊંચા સ્વરે આક્રંદ કરવા લાગી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy