SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ ૧િ૩૧ પાંડવ ચરિત્રમ્ પ્રમાણે ઘણી રાહ જોવા છતાં પણ નળ જ્યારે આવ્યા નહિ ત્યારે દમયંતી ફરી ચિંતવે છે. નક્કી આ નળના રૂપથી આકર્ષિત થયેલી ચિત્તવાળી કોઈપણ વિદ્યાધરીએ હરણ કર્યું છે અથવા કોઈ દેવીએ હરણ કર્યું છે. કોઈક વિદ્યાધરીએ અથવા કોઈપણ વનદેવતાએ તેની સાથે ક્રીડા કરવા માટે તેનું હરણ કર્યું છે. જે બીજી કોઈ રીતે તે મને છોડીને જાય નહિ. અથવા મશ્કરી કરવા રૂપે ક્યાંય પણ વેલડીઓમાં સંતાઈ ગયા હશે તો અહીંથી ઉઠીને જાઉં. મારી પાસેથી ક્યાં જશે ? એમ વિચારીને ઉભી થઈ ગયેલી દમયંતી અહીં તહીં જોતી પ્રેમમાં ડૂબેલી માર્ગમાં આવતા વૃક્ષોને પૂછે છે : “હે પૃથ્વીને શોભાવનારા વૃક્ષો ? મારા પ્રાણપ્રિય નળને તમે ક્યાંય પણ જોયા છે ?” ઈત્યાદિ વારંવાર વૃક્ષોને પૂછતી વનમાં ભમે છે. પછી એક મહાવૃક્ષ પર ચઢીને મોટા અવાજે પોકાર કરે છે. હે પ્રાણેશ ! આવો તમારા વિરહથી મારા હૃદયના બે ભાગ થઈ જશે, ઘણી મશ્કરી ક્યાંય પણ સુખને આપનારી બનતી નથી. એમ ઘણીવાર બોલતી અહીં તહીં ભમીને પાછી જ્યાં પહેલાં સૂતી હતી, ત્યાં આવી. ત્યાં રહીને સ્વપ્નાનો અર્થ વિચારે છે. જે આંબાનું ઝાડ તે મારો પ્રિય પતિ, આ પુષ્પ-ફલાદિ તે રાજ્ય, ફલનો આસ્વાદ તે તેનો ભોગવટો, ભમરાઓ તે પરિવાર, જે આંબાના વૃક્ષને ઉખેડી નાખનાર હાથી તે મારા પ્રિયને રાજ્યથી બહાર કાઢી મૂકનાર તે કૂબર અને જે હું આંબાના ઝાડ પરથી નીચે પડી તે પ્રિય પતિ સાથેનો મારો વિરહ, આ સ્વપ્નથી નક્કી પ્રિયનો મેળાપ હાલ દુર્લભ છે. આ પ્રમાણે વિચારીને દુઃખના ભારથી વિહલ બનેલી નળ પ્રિયા મૂર્છાને પામી, ક્ષણવાર રહીને વનના પવનથી ચેતનાને પામેલી તે દમયંતી અત્યંત રડી. હે નાથ ! શું હું તમને ભારરૂપ બની ? કારણ કે પોતાના શિંગડા મોટા હોવા છતાં પણ બળદને શું ભારરૂપ થાય છે ? હે નાથ ! નિષધ કુલોત્તમ ! સાત્વિક અને વિવેકી એવા આને (નળને) કોઈએ ક્યાંય પણ જોયો છે ? કારણ કે આવા વનમાં લગ્ન કરેલી પ્રિયાને છોડી દીધી છે અથવા આ મારા કરેલા કર્મોનો જ ઉદય છે. જેથી કરીને ઊંચા કુળમાં જન્મેલા એવા તમે આવા ભયંકર વનમાં દીન, અનાથ, એવી મને એકલી અટૂલી મૂકીને ચાલી ગયા છો અથવા હા મેં જાણ્યું, જુગારથી જકડાયેલા, સાહસિકજનોમાં મુગટ સમાન, આપની બુદ્ધિનો વિપર્યાસ થયો છે ? આ પ્રમાણે વારંવાર પોકાર કરતી દમયંતી વનમાં વૃક્ષોને, જંગલી પશુઓને વગેરેને પણ રડાવે છે. વિરહની વ્યથાવાળી દમયંતી કહે છે. રાજ્યથી ભ્રષ્ટ થવાનું એટલું દુઃખ નથી. પ્રવાસ પણ એટલો દુઃખકારી નથી, ખરેખર આ પ્રિયના વિયોગે હૃદયના બે ભાગ કરી નાંખ્યા છે. સાંજે હું પ્રિયની સાથે હતી, પ્રભાતે હું પ્રિયના વિયોગવાળી થઈ ગઈ. અહો ! વર્તમાન કાલે કોઈપણ દુષ્ટ કર્મનો આ વિપાક છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy