SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ કહ્યું છે કે : “ગુણવાન બધે પૂજાય છે.’ “હે ભ્રાત ! પૂર્ણ લક્ષ્મી હોવા છતાં પણ ગુણીજનો પર અનાદર ન કર. સંપૂર્ણ ભરેલો ઘડો પણ કૂવામાં દોરીના છેદવાથી નીચે પડે છે. અર્થાત્ નીચે પડી જાય છે.” ૧૨૯ પાંડવ ચિરત્રમ્ ગુણ ઉપ૨ અનાદર ન કર, આડંબર વડે કરીને શું પ્રયોજન ? દૂધ વિનાની ગાય ઘંટડી વડે અર્થાત્ ઘંટડી લગાડવાથી વેંચાતી નથી. માટે ગુણોનો આદર કર. સરલ (સીધી) સોય સાંધે છે. વાંકી કાતર છેદને માટે થાય છે. આથી વક્રપણું છોડીને ગુણોનો જ આશ્રય કર. હવે રાજા દધિપર્ણ ગુણવાન, ગુણને જાણનાર, કુબ્તને જાણીને પોતાની સાથે મહેલમાં લઈ ગયો. તેને સ્નાન કરાવીને સાથે બેસી ભોજન કરાવીને પછી રાજા બધું પૂછે છે. “હે કુબ્જ ! તારા અંગ વિકલ હોવા છતાં પણ મહાપુરુષની જેમ ગજશિક્ષા, કલાકૌશલ્ય તારી પાસે ક્યાંથી આવ્યું, તું કોણ છો ? ક્યાંના રહેવાસી છો. તારામાં બીજી પણ કેટલીક કલાઓ જણાય છે.’ કુબ્જે કહ્યું : “હું નળ રાજાનો હુંડિક નામનો રસોઈયો છું. મારી જન્મભૂમિ કોશલા છે. મારો સ્વજનવર્ગ પણ બધો ત્યાં જ છે. નળનો હું પ્રેમપાત્ર આત્મતુલ્ય મિત્ર છું. તે કારણથી રાજા નળે આ ગશિક્ષા મને શીખવાડી છે તથા બીજી પણ બધી કલાઓ મને આપી છે.' વળી રાજા બોલ્યો : “નળ સૂર્યપાક રસોઈ જાણે છે, તું પણ તેવી રસોઈ બનાવવાનું જાણે છે ?’’ એણે (નળે) કહ્યું : ‘‘સૂર્યપાક રસોઈ હું પણ તેના પ્રભાવથી જાણું છું.' દધિપર્ણ રાજા બોલ્યો : ‘“તે નળ ક્યાં છે ?”’ તેણે કહ્યું : “નળ અને કૂબર બધાયે વાળવા છતાં પણ જુગારને રમ્યા. તેથી પૃથ્વી આદિ જીતીને કૂબરે કાઢી મૂકેલ નળ દમયંતીની સાથે નીકળીને વનમાં ગયો છે. પછી તે મરી ગયો છે કે જીવે છે, તેની મને ખબર નથી. હું પણ નળનો પ્રેમપાત્ર મિત્ર છું. આથી હું માયાવી કૂબરને છોડીને તમારી કીર્તિ સાંભળીને અહીંયા આવ્યો છું.” દધિપર્ણ રાજાએ તે નળની વાત સાંભળીને અત્યંત રૂદન કરતાં તેના મરણકાર્યને કર્યું, ત્યાં ત્રણ દિવસ ગીત, ગાન, નૃત્ય, વાદ્યાદિનો નિષેધ કરીને ફરી પણ રાજા તેવી જ રીતે નળ મિત્ર કુબ્જની સાથે સુખને ભોગવે છે. Jain Education International એક વખત દધિપર્ણ રાજાએ સૂર્યપાક રસવતી બનાવવા માટે કૌતુકથી હૂંડિક નામના રસોયાને ચોખા વગેરે ભોજનને યોગ્ય સર્વ સામગ્રી આપી. કુબ્જે પણ તે ભોજ્ય સામગ્રીને એક થાળીમાં મૂકીને તડકામાં રાખીને સૂર્યમંત્રને યાદ કર્યો. ભણ્યો તેના પ્રભાવથી સંપૂર્ણ ૨સ સામગ્રી For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy