SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૧ ૨૮ સર્ગ - ૬ કહ્યું છે કે - “મરણ જેવો કોઈ ભય નથી. દરિદ્રતા જેવો કોઈ પરાભવ દુઃખ) નથી, મુસાફરી જેવું કોઈ ઘડપણ નથી, ભૂખ જેવી કોઈ વેદના નથી.” એ પ્રમાણે રાજા બોલતો હોવા છતાં કોઈપણ હાથીની સામે જતું નથી. તેટલામાં મહાપરાક્રમી નળ પગ વડે ભૂમિને સ્પર્શ નહિ કરનારની જેમ (ભૂમિને નહિ સ્પર્શતાની જેમ) હાથીની સામે વેગપૂર્વક દોડ્યો. ત્યાં તો લોકો બોલ્યા : “હે કુન્જ ! હાથીની સામે ન જા, આ હાથી તારો અંત કરશે.” એ પ્રમાણે ઘણીવાર નિષેધ કરવા છતાં પણ નળ સિંહની જેમ હાથીની સામે ગયો. ત્યાં હાથીની સામે જઈને હાથીનો તિરસ્કાર કરતા કહે છે. રે રે માતંગ ! ચંડાલની જેમ બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, દુર્બલની હિંસા શું કરે છે. ? જો તારામાં પરાક્રમ હોય તો તે બધા લોકોને છોડીને મારી સામે આવ. તે સાંભળીને નળની તરફ હાથી દોડ્યો. નળે પણ માટી, પત્થર, લાકડી આદિ થકી મારવાથી હાથી અત્યંત ક્રોધિત થયો. એ ક્રોધથી લાલ આંખવાળો સાક્ષાત્ વિંદ્યાચલ પર્વત જેવો મહાકાયવાળો વંટોળીયાની જેમ ઉદ્ધત થયેલો હાથી દોડતો દોડતો સામે જઈને નળની સાથે યુદ્ધ કરવા લાગ્યો. નળ પણ ક્યારેક સામે જાય છે, ક્યારેક તેની ચારે બાજુ ભમે છે, ક્યારેક પત્થર વડે મારે છે, ક્યારે ભૂમિ પર આળોટે છે, ક્યારેક સૂઈ જાય છે, ક્યારેક કઠોર વચન થકી તર્જન કરે છે, ક્યારેક હાથ વડે પૂંછડીને પકડીને ચક્રની જેમ ભમે છે. એ પ્રમાણે નળે હાથીને થકવીને લોકોનો કોલાહલ હોવા છતાં પણ દઢ મનવાળા તેણે પોતાના વસ્ત્રને ગોળ વીંટીને હાથીની આગળ ફેંક્યું. ત્યારે હાથીએ પુરુષની ભ્રાન્તિથી દાંતો વડે પ્રહાર કરવા માટે મસ્તકને જ્યાં નમાવ્યું, તેટલામાં કુલ્ક તેના બે દાંત પર પગ મૂકીને ગંડસ્થલ પર ચડી ગયો. પછી નળ હાથીના ગળામાં રહેલા દોરડામાં પગોને નાંખીને હાથો વડે હાથીનાં કુંભસ્થલમાં ઘા કર્યો અને તે હાથીને સાંત્વના આપી. હાથીના રક્ષણ કરનારા મહાવત વડે ફેંકાયેલું અંકુશ લઈને હાથીને આલાનāભે લઈ આવ્યો. ત્યાં આલાનથંભે હાથીને બાંધતા નળે બધાય નગરલોકોને સ્વસ્થ ચિત્તવાળા કર્યા. તે કુન્નરૂપવાળા નળને જોઈને બધાય નગરના લોકો આશ્ચર્યથી ચકિત પ્રસન્ન મુખવાળા થયેલા ચિંતવે છે. તે આ પ્રમાણે : માયાથી કોઈ કુબ્ધદેવ શું આ ભૂમિ પર આવ્યો છે. કારણ કે મલ્લ એવા હાથીને આ પ્રતિમલે વશમાં કર્યો છે. રાજાએ પણ આ કુન્જનું ચરિત્ર જોઈને મોહથી પોતાના કંઠમાંથી મહામૂલ્યવાન રત્નોથી ભરેલો હાર કાઢીને કુલ્કના કંઠમાં જાતે (પહેરાવ્યો) નાંખ્યો. કુન્જનું આવું પરાક્રમ જોઈને લોકો વારંવાર પ્રશંસા કરે છે. રાજા દધિપણે બોલાવેલો કુલ્ક રાજાની પાસે મિત્રની જેમ બેઠો, તેથી ખુશ થયેલા રાજાએ તેને અલંકારો અને વસ્ત્ર આપ્યા. પછી મોટા ગૌરવ અને સન્માન સાથે પોતાની પાસે રાખ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy